૬(૨).૨૩

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્રથી ઘાસ

ઘાસ

ઘાસ : એકદળીય (monocot) પોએસી કુળની વનસ્પતિ. તેની જગતભરમાં 14 જનજાતિઓ (tribes), 600 ઉપરાંત પ્રજાતિઓ (genus) અને 9,000 ઉપરાંત જાતિઓ (species) જોવા મળે છે. ઘાસ માનવીને અત્યંત ઉપયોગી છે. સમગ્ર જગતનાં તૃણભક્ષી પ્રાણીઓ માટે ચારા અને દાણાની કુલ ખપતના લગભગ 53 % જેટલો જથ્થો ઘાસમાંથી મળી રહે છે. એકંદરે જોતાં,…

વધુ વાંચો >

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર (solid state physics)

Feb 23, 1994

ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્ર (solid state physics) ઘનપદાર્થના રાસાયણિક, ભૌતિક, પરાવૈદ્યુત, સ્થિતિસ્થાપક, યાંત્રિક, ચુંબકીય અને ઉષ્મીય ગુણધર્મોનો અભ્યાસ તથા મૂળભૂત ભૌતિક નિયમોના સંદર્ભમાં તેમની સ્પષ્ટતા. ઘન-અવસ્થા ભૌતિકશાસ્ત્રમાં પદાર્થના બંધારણ ઉપર આધારિત ગુણધર્મોને બદલે સંયોજનોના વિશાળ સમૂહના સામાન્ય ગુણધર્મો ઉપર ભાર મુકાયો છે. ઘન પદાર્થના બંધારણીય ગુણધર્મોનો અભ્યાસ ઘન-અવસ્થા રસાયણ-શાસ્ત્રમાં થાય છે, જ્યારે…

વધુ વાંચો >

ઘન ઇંધનો

Feb 23, 1994

ઘન ઇંધનો : ઊર્જા મેળવવા માટે વપરાતાં ઇંધનોનો એક પ્રકાર. હવામાંના ઑક્સિજનના સંસર્ગથી ઉષ્મા નિપજાવનારા પદાર્થોને ઇંધન કહે છે. તે મધ્યમ ઉષ્માએ સળગે છે, ઝડપથી સળગે છે તથા પ્રમાણમાં સસ્તાં પડે છે. હાલમાં પ્રવાહી અને વાયુરૂપ ઇંધનો વધુ વપરાય છે; પરંતુ ઘન ઇંધનો આ બંને કરતાં સસ્તાં પડે છે તથા…

વધુ વાંચો >

ઘનતા (density)

Feb 23, 1994

ઘનતા (density) : પદાર્થના એકમ કદ(volume)માં રહેલું દ્રવ્ય (matter) કે દળ (mass). પદાર્થના દળને તેના કદ વડે ભાગવાથી ઘનતાનું મૂલ્ય મળે છે. તેથી ઘનતા માટેનું સૂત્ર : ઘનતાના આ મૂલ્યને નિરપેક્ષ ઘનતા (absolute density) કહે છે. કોઈ પદાર્થની સાપેક્ષે મેળવવામાં આવતી ઘનતાને સાપેક્ષ ઘનતા (relative density) કહે છે. S. I.…

વધુ વાંચો >

ઘનતામાપકો

Feb 23, 1994

ઘનતામાપકો : અન્ય પદાર્થોથી ખનિજની ભિન્નતા દર્શાવતો ભૌતિક ગુણધર્મ તે ઘનતા. તેનું માપ કરનાર ઉપકરણો તે ઘનતામાપકો. કોઈ નિયમિત આકારના પદાર્થનું દળ ભૌતિક તુલા (physical balance) અથવા કમાન કાંટા (spring balance) વડે નક્કી કરવામાં આવે છે. આકારને અનુરૂપ નિશ્ચિત ગણિતીય સૂત્રનો ઉપયોગ કરીને કદ શોધવામાં આવે છે. દળને કદ વડે…

વધુ વાંચો >

ઘનતાવાદ (Cubism)

Feb 23, 1994

ઘનતાવાદ (Cubism) : વીસમી સદીનો ચિત્રકલા અને શિલ્પકલા ક્ષેત્રનો એક પ્રભાવશાળી પ્રવાહ અને વાદ. કેટલાક આધુનિક ઍબ્સ્ટ્રૅક્ટ ઝુંબેશોનું આદ્ય પ્રેરણાસ્થાન બની રહ્યો છે. તે ઇમ્પ્રેશનિસ્ટ અભિગમમાંથી મુક્ત થવા તથા પ્રવૃત્તિઓની નરી ર્દશ્યાત્મકતાનું સ્થાન લેવા પિકાસો તથા બ્રાક જેવા કલાકારોએ જે ચિત્રશૈલી પ્રયોજી તેમાંથી ‘ક્યૂબિઝમ’ નામે ઓળખાતી ચિત્રશૈલીનો 1907થી 1914 દરમિયાન…

વધુ વાંચો >

ઘન દ્રાવણ (solid solution)

Feb 23, 1994

ઘન દ્રાવણ (solid solution) : બે કે વધુ પદાર્થોનું આણ્વિક કક્ષાએ એકબીજા સાથે મિશ્રણ કરતાં ઉદભવતો નવો ઘન પદાર્થ. સ્ફટિકરચનામાં એક ઘટકના પરમાણુઓ, આયનો કે અણુઓ, સામાન્યત: બીજા ઘટકના લૅટિસ સ્થાનમાં ગોઠવાયેલા હોય છે. અમુક મિશ્રધાતુઓ (alloys) એક ધાતુનું બીજી ધાતુમાં આવેલું મિશ્રણ છે. સમરૂપી ક્ષારો (isomorphic salts) પણ કેટલીક…

વધુ વાંચો >

ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર

Feb 23, 1994

ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર (bulk handling of solids) : પૅક નહિ કરેલાં, વિભાજિત દ્રવ્યોની મોટા જથ્થામાં હેરફેર માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ. પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘન પદાર્થના જથ્થાને…

વધુ વાંચો >

ઘનાકારો (solid shapes)

Feb 23, 1994

ઘનાકારો (solid shapes) : પ્રિઝમ, બહુફલક (polyhedron), પિરામિડ, શંકુ (cone), નળાકાર અને ગોલક (sphere) વગેરે નિયમિત (regular) અને અનિયમિત ઘન પદાર્થો. પ્રિઝમ : બે સમાંતર સમતલોમાં આવેલા અને સમસ્થિતિમાં હોય (similarly situated) તેવા એકરૂપ બહુકોણનાં અનુરૂપ શિરોબિંદુઓ(vertices)ને જોડવાથી બનતી ઘનાકૃતિ પ્રિઝમ છે. તેનાં અનુરૂપ શિરોબિંદુઓને જોડવાથી બનતી રેખાઓ સમાંતર હોય…

વધુ વાંચો >

ઘરઘંટી (વીજચાલિત)

Feb 23, 1994

ઘરઘંટી (વીજચાલિત) : અનાજ અથવા મસાલાને બારીક દળવાનું ગૃહઉપયોગી વીજળિક સાધન. શરૂઆતમાં માનવ જંગલમાંથી ફળફૂલ વગેરે વસ્તુઓ લાવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો. તે વસ્તુઓના ભાગ કરવા માટે અથવા તો તેને બારીક કરવા માટે પથ્થરનો ઉપયોગ કરતો અને પથ્થરથી તોડીને, દબાવીને અને કચડીને પોતાની જરૂરિયાત સંતોષતો. ત્યારબાદ મનુષ્યજાતિનો વિકાસ થતો…

વધુ વાંચો >

ઘરનો દીવો

Feb 23, 1994

ઘરનો દીવો : ત્રિઅંકી ગુજરાતી નાટક (1952). જૂની અને નવી રંગભૂમિના સેતુરૂપ મનાતા નાટ્યકાર પ્રાગજી ડોસા(1908)નું એક સફળ નાટક. એમાં તત્કાલીન આર્થિક પરિબળોમાં ગૂંચવાતાં, ગૂંગળાતાં પાત્રોનું ચિત્રણ છે અને નારીગૌરવનું યથાર્થ મૂલ્ય નિરૂપાયું છે. સમગ્ર નાટકમાં પ્રતીતિજનક, જીવંત અને ગંભીર કથાવસ્તુની સમાંતર નર્મ-મર્મનો પ્રવાહ નોંધપાત્ર છે. પ્રવીણ, હસમુખ, સુરેશ, પસાકાકા,…

વધુ વાંચો >