ખંડ ૬(૧)
ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ક્રિયા
ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રિયા-વિભવ (action potential)
ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિયેટિનીન, સીરમ-સપાટી
ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રિસૅન્થમમ પ્રજાતિ
ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >ક્ષય, હાડકાં અને સાંધાનો
ક્ષય, હાડકાં અને સાંધાનો : હાડકાં અને હાડકાંના સાંધાનો ક્ષય થવો તે. પ્રાગ્-ઐતિહાસિક સમયમાં પણ તેનું અસ્તિત્વ હતું. તે સમયે કરોડના મણકામાં પોટનો ક્ષય રોગ થવાથી પીઠમાં ઢેકો (gibbus) થતો હતો. હાલ પણ કરોડના મણકાનો ક્ષય (tuberculous spondylitis) જ હાડકાંમાં સૌથી વધુ થતો ક્ષયજન્ય વિકાર છે. પુખ્ત વયે પીઠ અને…
વધુ વાંચો >ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ)
ક્ષયાર્ષ (જર્સિસ કે ઝર્કસિસ) (શાસનકાળ : ઈ. પૂ. 486 – ઈ. પૂ. 465) : ઈરાનનો રાજા. દરાયસ 1લાનો પુત્ર. મહાન સાયરસ 2જાનો પૌત્ર. ગાદીએ બેસતાં અગાઉ 12 વર્ષ તે બૅબિલોનનો વાઇસરૉય હતો. ગાદીએ બેઠા પછી તેમણે ઇજિપ્ત અને બૅબિલોનના બળવા દબાવી દીધા. તેણે વિશાળ લશ્કર તૈયાર કર્યું અને તેનું સેનાપતિપદ…
વધુ વાંચો >ક્ષહરાત વંશ
ક્ષહરાત વંશ : ગુજરાતમાં ક્ષત્રપ રાજ્યોનો આરંભ કરનાર વંશ. ભારતના પશ્ચિમ ભાગ ઉપર તથા ઉત્તર અને દક્ષિણને જોડતા કેટલાક પ્રદેશ ઉપર શક જાતિના ક્ષત્રપ રાજાઓની સત્તા પ્રવર્તતી હતી. પશ્ચિમી ક્ષત્રપોમાં પ્રાય: ભિન્ન ભિન્ન છ વંશો હતા. તેમાં પહેલું કુળ (વંશ) ક્ષહરાત ક્ષત્રપોના નામે ઓળખાય છે. પશ્ચિમી ક્ષત્રપ રાજાઓના શાસનનો સમય…
વધુ વાંચો >ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર)
ક્ષારકર્મ (આયુર્વેદિક ચિકિત્સાપ્રકાર) : ક્ષરણ અને ક્ષણનની પ્રક્રિયા. ‘तत् क्षरणात् क्षणनाद् वा क्षार:’ – ધાતુઓનું ક્ષરણ અને ક્ષણન કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષરણ એટલે દુષ્ટ માંસ વગેરેના તેમજ દોષોના અવરોધોને દૂર કરવા તે. ત્વચા, માંસ વગેરે ધાતુઓનો નાશ કરે છે માટે તેને ક્ષાર કહે છે. ક્ષારમાં ત્રિદોષઘ્ન,…
વધુ વાંચો >ક્ષારતાણ
ક્ષારતાણ : મૃદા(soil)માં ક્ષારોના થતા વધુ પડતા જમાવને કારણે વનસ્પતિઓમાં ઉદભવતી દેહધાર્મિક તનાવ સ્થિતિ. સોડિયમ (Na+)ની વધુ પડતી સાંદ્રતાને સોડિયમતા (sodicity) અને કુલ ક્ષારોની ઊંચી સાંદ્રતાને ક્ષારતા (salinity) કહે છે. સોડિયમયુક્ત મૃદામાં સોડિયમની ઊંચી સાંદ્રતા વનસ્પતિને ઈજા પહોંચાડે છે; એટલું જ નહિ, પરંતુ છિદ્રાળુતા અને પાણીની પારગમ્યતા ઘટાડી મૃદાના ગઠનની…
વધુ વાંચો >ક્ષારપાણિ
ક્ષારપાણિ (ઈ. પૂ. 1000) : ક્ષારપાણિ પુનર્વસુ આત્રેયના છ શિષ્યોમાંના એક. આત્રેય પાસેથી તેમને આયુર્વેદનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમણે ‘ક્ષારપાણિ તંત્ર’ અથવા ‘ક્ષારપાણિ સંહિતા’ લખી છે જે આજે પ્રાપ્ય નથી પણ ‘ક્ષારપાણિ સંહિતા’ના સંદર્ભો જેજ્જટ, ચક્રપાણિ, ડલ્હણ, અરુણદત્ત, વિજયરક્ષિત, શ્રીકંઠ દત્ત તથા નિશ્ચલકર જેવા ટીકાકારોએ ટીકામાં આપ્યા છે.…
વધુ વાંચો >ક્ષારપાણી પેય ચિકિત્સા
ક્ષારપાણી પેય ચિકિત્સા : બાળકોમાં પાતળા ઝાડા થવાથી શરીરનું પ્રવાહી અને ક્ષાર ઘટી જાય ત્યારે તે માટે મોં વાટે આપવાની સારવાર. બાળકોમાં ઘણી વાર ઝાડા-ઊલટીની બીમારી થાય છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે. શરીરમાંનું પ્રવાહી ઘટી જાય ત્યારે નિર્જલન (dehydration) થાય છે. પ્રાથમિક સારવાર તરત અને ઘરે જ શરૂ…
વધુ વાંચો >ક્ષારયુક્ત જમીન
ક્ષારયુક્ત જમીન : પાકની વૃદ્ધિને અવરોધે તેટલી હદ સુધીનો ક્ષાર ધરાવતી જમીન. આવી જમીનને જુદા જુદા પ્રદેશમાં જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં તેને ખાર અગર લૂણો અગર પડો કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક પરિભાષામાં આવી જમીનોના ત્રણ વિભાગ પડે છે : ક્ષારયુક્ત, ભાસ્મિક અને ક્ષારયુક્ત ભાસ્મિક. ક્ષારયુક્ત…
વધુ વાંચો >ક્ષારરાગીઓ
ક્ષારરાગીઓ (halophiles) : ઊંચી સાંદ્રતાવાળા ક્ષારયુક્ત માધ્યમમાં જીવવા માટે અનુકૂલન પામેલા બૅક્ટેરિયા. ક્ષારની સાંદ્રતા સહન કરવાની ર્દષ્ટિએ ક્ષારરાગી બૅક્ટેરિયાના ચાર પ્રકાર છે : (1) અલ્પ (slight) ક્ષારરાગી (મીઠાનું પ્રમાણ 1.2 %થી 3 %); દા.ત., દરિયાઈ સૂક્ષ્મ જીવો; (2) મધ્યમ ક્ષારરાગી (મીઠાનું પ્રમાણ 3 %થી 15 %); દા.ત., Vibrio costicola; (3)…
વધુ વાંચો >