ખંડ ૬(૧)
ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ગંગા
ગંગા : ભારતની સર્વ નદીઓમાં અત્યંત પવિત્ર મનાતી નદી. હિમાલયમાં આશરે 4062 મીટરની ઊંચાઈએ આવેલી ગંગોત્રી ગ્લેશિયરની ગોમુખ તરીકે ઓળખાતી હિમગુહાથી આરંભી ઉત્તરપ્રદેશ, બિહાર અને બંગાળમાં થઈ 2,510 કિલોમીટરનો પ્રવાસ કરતી ગંગા બંગાળના ઉપસાગરને મળે છે. ગંગાના ઉદ્ગમ વિશેની પુરાકથાઓમાં તેનું અત્યંત પાવનત્વ સૂચવાયું છે. ગંગા શબ્દની વ્યુત્પત્તિ પણ આવા…
વધુ વાંચો >ગંગાધર
ગંગાધર : મહંમદ બેગડાના સમકાલીન કર્ણાટકના કવિ અને નાટ્યકાર. આ લેખકની ‘ગંગદાસ પ્રતાપ વિલાસ’ નાટક (1449) અને ‘માંડલિક મહાકાવ્ય’ એ બે કૃતિઓ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની છે. તેમણે ગુજરાતના સુલતાનના દરબારની અને જૂનાગઢના રા’માંડલિકના દરબારની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં કર્ણાટક વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની તે સૂચક છે. ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના…
વધુ વાંચો >ગંગાધર ચૂર્ણ
ગંગાધર ચૂર્ણ : આયુર્વેદીય ઔષધ. નાગરમોથ, ઇન્દ્રજવ, બીલાનો ગર્ભ, લોધર, મોચરસ અને ધાવડીનાં ફૂલ સરખા ભાગે લઈ ખાંડીને તૈયાર કરેલું વસ્ત્રગાળ ચૂર્ણ. ત્રણથી પાંચ ગ્રામ જેટલી માત્રા દિવસમાં બેથી ત્રણ વાર છાશ તથા ગોળ સાથે લેવાથી અતિસાર, મરડો અને રક્તાતિસારમાં લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા
વધુ વાંચો >ગંગાનગર
ગંગાનગર (Ganganagar) : રાજસ્થાનના ઉત્તર છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 04’થી 30° 06’ ઉ. અ. અને 72° 30’થી 74° 30’ પૂ. રે. વચ્ચેનો 7,944 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ પાકિસ્તાનનો ભાવલપુર જિલ્લો, ઉત્તર અને ઈશાન…
વધુ વાંચો >ગંગાસાગર
ગંગાસાગર : કૉલકાતાથી 96.54 કિમી. દૂર આવેલો મુખત્રિકોણ પ્રદેશ (delta). ભૌગોલિક સ્થાન : 21° 38’ ઉ. અ. અને 88° 95’ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ 388.33 ચોકિમી. છે. તેના પર ગાઢાં જંગલો આવેલાં છે. લોકોક્તિ પ્રમાણે પવિત્ર ગંગાનો આ સ્થળે સાગર સાથે સંગમ થાય છે તેથી આ સ્થળ ગંગાસાગર તરીકે ઓળખાય…
વધુ વાંચો >ગંગેટી (જીતેલી)
ગંગેટી (જીતેલી) : આયુર્વેદિક ઔષધિ. સં. नागबला, गांगेरुकी; હિ. गुलसकरी, कुकरविचा, कुकरांड; મ. गोवाली, गांगी, गांगेरुकी; ગુ. ગંગેટી, ગંજેટી, જીતેલી, બાજોલિયું, ઊંધી ખાટલી; લૅ. Grewia tenax (Forsk). ગુલ્મ પ્રકારની વનસ્પતિના વર્ગમાં ગંગેટીના મધ્યમ ઊંચાઈના છોડ-ઝાડ 3થી 10 ફૂટનાં થાય છે. તેમાં અનેક શાખા-પ્રશાખાઓ હોય છે, જે એકબીજીમાં ગૂંચવાયેલી હોય છે.…
વધુ વાંચો >ગંગો (પશ્ચિમના)
ગંગો (પશ્ચિમના) : દક્ષિણ ભારતના ગંગ વંશના મૈસૂરના શાસકો. આ વંશના રાજવીઓ પોતાને ઇક્ષ્વાકુ વંશના ગણાવતા હતા. જાણવા જેવું છે કે આ વંશનો સ્થાપક કોંગુણિવર્મા ઉર્ફે માધવ પહેલો ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત(ઈ. સ. 350–400)ના સમયમાં હયાત હતો. માધવ બીજો (ઈ. સ. 400–435) નીતિશાસ્ત્ર અને ઉપનિષદોનો જ્ઞાતા હતો અને એણે દત્તકના ‘કામસૂત્ર’…
વધુ વાંચો >ગંગો (પૂર્વના)
ગંગો (પૂર્વના) : ઇન્દ્રવર્મા પહેલાએ કલિંગ પ્રદેશમાં ઈ. સ. 496માં સ્થાપેલ ગંગ વંશના શાસકો. આ નવા વંશની રાજધાની કલિંગનગર(ગંજામ જિલ્લામાં આવેલા મુખલિંગમ્)માં હતી. આ વંશના ઇષ્ટદેવ ગંજામ જિલ્લામાં આવેલા મહેન્દ્રગિરિના શિખર ઉપરના ગોકર્ણેશ્વર મહાદેવ હતા. આ નવા રાજવંશનો સ્થાપક ઇન્દ્રવર્મા પહેલો (ઈ. સ. 496–536) હતો. પાછળથી એના રાજ્યાભિષેકના વર્ષ(ઈ. સ.…
વધુ વાંચો >ગંગોત્રી
ગંગોત્રી : ઉત્તરાખંડના ગઢવાલ જિલ્લામાં આવેલું પવિત્ર નદી ગંગાનું ઉદ્ગમસ્થાન. તે 31° ઉ. અ. તથા 78° 57’ પૂ. રે. પર આવેલું છે. ત્યાં દર વર્ષે સમગ્ર ભારતમાંથી હજારો યાત્રાળુઓ આવે છે. ગંગોત્રી 4,062 મીટરની ઊંચાઈએ આવેલું છે. ઉત્તરકાશી પહોંચીને ગંગોત્રી જવાય છે. હવે ઉત્તરકાશીથી ઠેઠ ગંગોત્રી સુધી બસમાં જઈ શકાય…
વધુ વાંચો >ક્રિયા
ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રિયા-વિભવ (action potential)
ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિયેટિનીન, સીરમ-સપાટી
ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રિસૅન્થમમ પ્રજાતિ
ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >
ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી
ગંગેશ્વરાનંદજી ઉદાસીન, સ્વામી (જ. 27 ડિસેમ્બર 1881; અ. 14 ફેબ્રુઆરી 1992, મુંબઈ) : વીસમી સદીના વેદભાષ્યકારોમાં આગવું સ્થાન ધરાવતા વિદ્વાન સંન્યાસી. ‘ભગવાન વેદ’ નામના ગ્રંથરત્નનું તેમનું સંપાદન અને વિશ્વનાં જુદાં જુદાં લગભગ 800 સ્થાનોમાં તેનું સ્થાપન, વિતરણ વગેરેનું કાર્ય અત્યંત નોંધપાત્ર છે. ‘ભગવાન વેદ’ એ 3935.48 ચોસેમી.ની સાઇઝમાં બે રંગમાં…
વધુ વાંચો >