ખંડ ૪
ઔરંગાથી કાંસું
ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >કાસરવલ્લી, ગિરીશ
કાસરવલ્લી, ગિરીશ (જ. 3 ડિસેમ્બર 1950, કાસરવલ્લી, કર્ણાટક) : કન્નડ સિનેમાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે નામના અપાવનાર કન્નડ ફિલ્મસર્જક. મૂળ નામ શાજી નિલાકાન્તન કરૂન. ધાર્મિક, સંસ્કારી ખેડૂત પિતાનું એ ત્રીજું સંતાન હતા. ફાર્મસીમાં ઊંડા રસના કારણે 1971માં ફાર્મસીની ડિગ્રી સાથે સ્નાતક થયા. હૈદરાબાદમાં આવેલી ઇન્ડિયન ડ્રગ ઍન્ડ ફાર્માસ્યૂટિકલ કંપનીમાં તાલીમ…
વધુ વાંચો >કાસલ્સ, પાબ્લો
કાસલ્સ, પાબ્લો (જ. 29 ડિસેમ્બર 1876, વેન્ડ્રૅલ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1973, સાન જોન, પુઅર્તો રિકો) : વિશ્વવિખ્યાત ચૅલોવાદક, સ્વરનિયોજક તથા ઑર્કેસ્ટ્રા-સંચાલક. પિયાનોવાદન, ચૅલોવાદન અને સ્વરનિયોજનની તાલીમ લીધા બાદ બાર્સેલોનામાં 1891માં ચૅલોવાદનનો પ્રથમ જાહેર જલસો કર્યો. એ પછી તેઓ મૅડ્રિડ, બ્રુસેલ્સ તથા પૅરિસમાં સંગીતનો વધુ અભ્યાસ કરવા ગયા. પાછા ફરીને…
વધુ વાંચો >કાસાની, મીર સૈયદઅલી
કાસાની, મીર સૈયદઅલી : ગુજરાતનો સલ્તનતકાલનો ઇતિહાસલેખક અને કવિ. એણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન(1511-1526)નો ઇતિહાસ આલેખ્યો છે. સુલતાન મુઝફ્ફરશાહ બીજાએ 1517માં માળવાનું રાજ્ય માંડુ જીતી લઈને એના સુલતાન મહમૂદ ખલજી બીજાને પાછું સોંપ્યું હતું તેનું વિસ્તૃત વર્ણન એમાં છે. એ આક્રમણમાં એ…
વધુ વાંચો >કાસાબ્લાન્કા પરિષદ
કાસાબ્લાન્કા પરિષદ : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બે મિત્ર રાષ્ટ્રોના વડાઓ વચ્ચે યોજાયેલી પરિષદ. તે 14 જાન્યુઆરી 1943થી 24 જાન્યુઆરી 1943 સુધી કાસાબ્લાન્કા ખાતે અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ તથા બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ વચ્ચે યોજાયેલી હતી. સોવિયેત સંઘ તથા ચીન તેમાં હાજર ન હતાં. પરિષદનો મુખ્ય હેતુ ફ્રાન્સના નેતૃત્વ તથા ભાવિ…
વધુ વાંચો >કાસારગોડ (Kasargod)
કાસારગોડ (Kasargod) : કેરળ રાજ્યના છેક ઉત્તર છેડે આવેલો જિલ્લો, તાલુકો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક-તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 12o 02’થી 12o 45′ ઉ. અ. અને 74o 52’થી 75o 26′ પૂ. રે. વચ્ચેનો 4,992 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ કર્ણાટક રાજ્યના જિલ્લા,…
વધુ વાંચો >કાસાવુબુ, જોસેફ
કાસાવુબુ, જોસેફ (જ. 1910, ત્શેલે, પ્રાંત લિયોપોલ્ડવિલે; અ. 24 નવેમ્બર 1969, વેમ્બ) : સ્વાધીન ઝૈર(બેલ્જિયન-કૉંગો, લિયોપોલ્ડવિલે-કૉંગો કિન્સાશા-કાગો)ના પ્રથમ પ્રમુખ. તેમનાં માતા મુકોન્ગો ટોળીનાં હતાં અને પિતા રેલવેના બાંધકામ ખાતામાં કામ કરતા ચીની મજૂર હતા. રોમન કૅથલિક શાળા અને સેમિનરીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. પાદરી બનવાને બદલે તેમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો…
વધુ વાંચો >કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ
કાસિન્યસ્કી, ઝિગ્મૂંટ (જ. 19 ફેબ્રુઆરી 1812, પૅરિસ; અ. 23 ફેબ્રુઆરી 1895, પૅરિસ) : પોલૅન્ડના નામી કવિ તથા નાટ્યકાર. આગેવાન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પ્રારંભમાં કાયદાનો અભ્યાસ કરવા વૉર્સો યુનિવર્સિટીમાં જોડાયા. ત્યારબાદ 1829માં જિનીવામાં અભ્યાસ શરૂ કર્યો. મોટાભાગની જિંદગી તેમણે વિદેશોમાં ગાળી અને પોતાની કૃતિઓ પોતાના નામોલ્લેખ વગર જ પ્રગટ કરી. રશિયન…
વધુ વાંચો >કાસિમ, અબ્દુલ કરીમ
કાસિમ, અબ્દુલ કરીમ (જ. 21 નવેમ્બર 1914, બગદાદ; અ. 9 ફેબ્રુઆરી 1963, બગદાદ) : ઇરાકમાં 1958ના બળવા દ્વારા રાજાશાહીને પદભ્રષ્ટ કરનાર લશ્કરી અધિકારી અને નવા પ્રજાસત્તાકના પ્રમુખ અને વડાપ્રધાન. તેમણે ઇરાકની લશ્કરી અકાદમીમાં સૈનિક તરીકેની તાલીમ લીધી અને વિવિધ સ્તરે બઢતી મેળવી 1955 સુધીમાં ઉત્તરોત્તર ઊંચા હોદ્દા હાંસલ કર્યા. રાજાશાહીની…
વધુ વાંચો >કાસૂન્દ્રી (કાશિન્દ્રો)
કાસૂન્દ્રી (કાશિન્દ્રો) : દ્વિદળી વર્ગમાં આવેલા સિઝાલ્પિનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia occidentalis Linn. (સં. કાસમર્દ, કાસારી; હિં. કસૌદી, અગૌથ; બં. કાલકસુંદા; મ. કાસવિંદા; ક. એલહુરી, અલવરી; તે. પેડિતાંગેડુ, કસવીંદચેટ્ટુ; મલા. પોન્નાવીર, અં. નિગ્રોકોફી) છે. તેના સહસભ્યોમાં કાચકા, ચિલાર, લિબીદીબી, ગુલમહોર, રામબાવળ, ગરમાળો વગેરેનો સમાવેશ થાય છે. તેનું…
વધુ વાંચો >કાસેલા, આલ્ફ્રેદો
કાસેલા, આલ્ફ્રેદો (જ. 25 જુલાઈ 1883, તુરિન, ઇટાલી; અ. 5 માર્ચ 1947, રોમ, ઇટાલી) : આધુનિક ઇટાલિયન સંગીતકાર. પૅરિસ ખાતેની પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીત અને સ્વરનિયોજનનો અભ્યાસ કર્યો. ત્યાં પ્રસિદ્ધ ફ્રેંચ સ્વરનિયોજક ફૉરે (Faure) તેમના શિક્ષક હતા. પછી પિયાનોવાદન પણ શીખ્યા. તે પછી થોડો વખત પૅરિસમાં સંગીત-સંચાલક તરીકે કામ કર્યું. 1909થી…
વધુ વાંચો >