ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

કાલાણી, હેમુ

Jan 27, 1992

કાલાણી, હેમુ (જ. 23 જાન્યુઆરી 1923, જૂન સખર, પાકિસ્તાન; અ. 21 જાન્યુઆરી 1943, જૂન સખર, પાકિસ્તાન) : ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન શહીદ થયેલ સિંધી યુવાન. તેમનાંમાં બચપણથી જ રાષ્ટ્રીય ભાવના હતી. કસરતબાજ હેમુ સખરના લેન્સડાઉન પુલ ઉપરથી સિંધુ નદીમાં કૂદી પડતો અને તરીને સામે કિનારે નીકળી જતો. શરીર ખડતલ, તે…

વધુ વાંચો >

કાલાનીન મિશેલ મોરીસ

Jan 27, 1992

કાલાનીન મિશેલ મોરીસ (જ. 30 જુલાઈ 1914, લંડન; અ. 25 એપ્રિલ 1999, ડબ્લિન, આર્યલૅન્ડ) : ઓલિમ્પિક કાઉન્સિલના એક વખતના પ્રમુખ. કૅમ્બ્રિજની મગડેનેલ કૉલેજમાં ભણીને અનુસ્નાતકની પદવી મેળવી. ચીન-જાપાન યુદ્ધ વખતે 1937-38માં પત્રકાર તરીકેની કામગીરી બજાવી. 1938માં સ્વેચ્છાએ બીજા વિશ્વયુદ્ધમાં બ્રિગેડમેજર તરીકે કામગીરી અને નોર્મન્ડીના આક્રમણમાં ભાગ લેવા માટે ‘મેમ્બર ઑવ્…

વધુ વાંચો >

કાલાબુરાગી

Jan 27, 1992

કાલાબુરાગી : જુઓ ગુલબર્ગ

વધુ વાંચો >

કાલાવડ

Jan 27, 1992

કાલાવડ : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના દસ પૈકીનો એક તાલુકો અને તે જ નામનું તાલુકામથક. તાલુકાનું ક્ષેત્રફળ 12,445 ચોકિમી. કાલાવડ 22o 10′ ઉ. અ. અને 70o 20′ પૂ. રે. ઉપર આવેલું છે. તાલુકામાં એક શહેર અને 106 ગામ આવેલાં છે. તાલુકાની ઉત્તરે જામનગર અને ધ્રોળ તાલુકા, પૂર્વે અને દક્ષિણે રાજકોટ જિલ્લો…

વધુ વાંચો >

કાલાસ, મારિયા

Jan 27, 1992

કાલાસ, મારિયા (જ. 2 ડિસેમ્બર 1923, ન્યૂયૉર્ક નગર, યુ.એસ.; અ. 16 સપ્ટેમ્બર 1977, પૅરિસ, ફ્રાંસ) : ઑપેરાની વિખ્યાત શાસ્ત્રીય સોપ્રાનો(ઊંચા તાર સપ્તકોમાં)-ગાયિકા. મૂળ નામ મારિયા સેસિલિયા સોફિયા આના કાલોગેરોપૂલૉસ. માતા સાથે 1937માં અમેરિકા છોડી મારિયા ગ્રીસ ગઈ અને ત્યાં ઍથેન્સ કૉન્ઝર્વેટરીમાં સોપ્રાનો-ગાયિકા એલ્વિરા દે હિદાલ્યો હેઠળ સોપ્રાનો-ગાયનનો અભ્યાસ કર્યો. ઍથેન્સમાં…

વધુ વાંચો >

કાલાહંડી

Jan 27, 1992

કાલાહંડી : ઓડિસા રાજ્યમાં સંબલપુર અને નવાપરાના કેટલાક ભૂમિભાગોને જોડીને રચવામાં આવેલો જિલ્લો. આ રાજ્યની અગત્યની નદી ગોદાવરી અને ટેલ નદીની શાખા મહાનદીને કારણે આ પ્રદેશમાં કાંપનું ફળદ્રૂપ મેદાન બનેલું છે. સાથે સાથે આ જિલ્લામાં ભવાનીપટણા અને જૂનાગઢ જિલ્લાનો ફળદ્રૂપ મેદાની પ્રદેશ ઉમેરાયેલો હોવાથી અહીં ડાંગર, તમાકુ, ઘઉં અને તેલીબિયાંની…

વધુ વાંચો >

કાલિક્રાટેસ

Jan 27, 1992

કાલિક્રાટેસ (ઈ. પૂ. પાંચમી સદી) : પ્રાચીન ગ્રીક સ્થપતિ. એક્રોપૉલિસ ખાતે દેવી ઍથિના નાઇકીનાં અને સ્થપતિ ઇક્ટિનૂસ સાથે પાર્થેનૉનનાં મંદિરોની ડિઝાઇન તેણે કરેલી. એક્રોપૉલિસ ખાતેનું દેવી ઍથિના નાઇકીનું મંદિર કાલિક્રાટોસે ગ્રીક સ્થાપત્યની આયૉનિક શૈલીમાં ડિઝાઇન કર્યું છે. આ મંદિરનું બાંધકામ ઈ. પૂ. 427માં શરૂ થયું અને ઈ. પૂ. 424માં પૂર્ણ…

વધુ વાંચો >

કાલિદાસ

Jan 27, 1992

કાલિદાસ : સંસ્કૃતના પ્રથિતયશ કવિ અને નાટ્યકાર. સંસ્કૃતમાં એમની કક્ષાનો કવિ હજી સુધી થયો નથી. એમની રસાર્દ્ર કૃતિઓએ એમને વૈશ્વિક કવિની ભૂમિકા પર મૂક્યા છે. સંસ્કૃતના અનેક કવિઓની જેમ કાલિદાસે પોતાને વિશે કશુંય કહ્યું નથી. કવિની કાવ્યમાધુરીમાં મગ્ન રસિકવર્ગ પણ કવિના દેશકાલ વિશે કહેવાનું વીસરી ગયો. પરિણામે કાલિદાસના વ્યક્તિત્વ અને…

વધુ વાંચો >

કાલિનિકૉવ, વાસિલી

Jan 27, 1992

કાલિનિકૉવ, વાસિલી (જ. 13 જાન્યુઆરી 1866, ગામ વોઇન, ઑરેલ જિલ્લો, રશિયા; અ. 11 જાન્યુઆરી 1901, પૅરિસ, ફ્રાંસ) : રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. બાળપણમાં કાલિનિકૉવનું ઘર સંગીતના જલસાથી હંમેશાં ગુંજતું રહેતું. પહેલેથી જ તેમને સંગીતમાં ખૂબ રસ હતો અને કોન્ચર્તિના વાજિંત્ર વગાડવું શરૂ કરેલું. કાલિનિકૉવે સાંભળવા મળતાં રશિયન લોકગીતોની સૂરાવલિઓને કોન્ચર્તિના…

વધુ વાંચો >

કાલિનીનગ્રાડ

Jan 27, 1992

કાલિનીનગ્રાડ : રશિયાનું એ જ નામના જિલ્લાનું રાજકીય અને વહીવટી મથક અને બંદર. તેનું જૂનું નામ કોનીસબર્ગ છે. ભૌગોલિક સ્થાન : 54o 43’ ઉ. અ. અને 20o 30’ પૂ. રે.. તે પ્રેગલ નદીને કાંઠે તેમજ વિસ્તુલા ખાડીસરોવરના મૂળ પર વસેલું છે. 1945ના પોસ્ટડામ કરાર અન્વયે બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ પ્રશિયાના…

વધુ વાંચો >