ખંડ ૪
ઔરંગાથી કાંસું
ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >કામદાર રાજ્ય વીમાયોજના
કામદાર રાજ્ય વીમાયોજના (Employees’ State Insurance Scheme, ESIS) : કામદારોને તથા તેમના કુટુંબને તબીબી સારવાર તથા નાણાકીય વળતર આપવાની સામાજિક સુરક્ષાલક્ષી વીમાયોજના, જે ભારત સરકારના કામદાર રાજ્ય વીમાના કાયદા (1948) દ્વારા અમલમાં આવેલી છે. આ કાયદાની કલમ 2(9)માં દર્શાવેલી વ્યાખ્યા પ્રમાણેના ઔદ્યોગિક કામદારોની તથા તેમનાં કુટુંબીજનોની માંદગી તથા સગર્ભાવસ્થા સમયે…
વધુ વાંચો >કામદારવળતર
કામદારવળતર : અકસ્માતને કારણે ઊભી થતી મુશ્કેલીમાં કામદારોને ગુજરાત રાજ્ય તરફથી આપવામાં આવતું વળતર. આ માટે કામદારવળતર ધારો 1923માં ઘડવામાં આવ્યો. તેમાં 1984માં સુધારા કરવામાં આવ્યા છે. કામદારવળતર ધારો કારીગરોને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં પ્રથમ કદમ છે. આ કાયદો ‘વસ્તુની કિંમતમાં કારીગરના શ્રમનો પૂરો સમાવેશ થવો જોઈએ’ તે સિદ્ધાંત ઉપર…
વધુ વાંચો >કામદાર-શિક્ષણ
કામદાર-શિક્ષણ : કાર્યક્ષેત્ર, જાગરુકતા તથા વ્યક્તિગત તેમજ કૌટુંબિક વિકાસમાં મદદરૂપ એવું કામદારોને અપાતું શિક્ષણ. આવા શિક્ષણ દ્વારા કામદારોનું કાર્યકૌશલ વધારવાનો, સંઘશક્તિ પ્રત્યે તેમને સભાન કરવાનો તથા તેમનામાં સારા નાગરિકોના ગુણ કેળવવાનો હેતુ હોય છે. કામદાર-શિક્ષણનું આયોજન કરતી વેળાએ કેટલીક અગત્યની બાબતોનો અગાઉથી વિચાર કરવામાં આવે છે, જે તેની સફળતા માટે…
વધુ વાંચો >કામનો અધિકાર
કામનો અધિકાર : ગરીબીનિવારણ અને બેકારીનિવારણની આર્થિક સમસ્યાઓનો એક કાયદાકીય ઉકેલ. ભારતમાં આ અધિકારને બંધારણીય અધિકારનું કે કાનૂની અધિકારનું સ્વરૂપ આપવા અંગે ભારે મતભેદ છે. કામનો અધિકાર કોઈ એક અધિકાર નથી. તે એકથી વધુ અધિકારોનો સમુચ્ચય છે. કામના અધિકારના ઘટક અધિકારો વિખ્યાત રાજ્યશાસ્ત્રી હેરલ્ડ લાસ્કી આ પ્રમાણે જણાવે છે :…
વધુ વાંચો >કામન્દકીય નીતિશાસ્ત્ર
કામન્દકીય નીતિશાસ્ત્ર : હિન્દુ રાજનીતિ ઉપરનું પુસ્તક. ‘કામન્દકીય નીતિસાર’ના સાતમી કે આઠમી સદીમાં થઈ ગયેલા લેખકે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. કૌટિલ્યને તે આ વિષયમાં ગુરુ ગણી અનુસર્યા હોય તેમ જણાય છે. ‘દશકુમારચરિત’ના અને ‘માલતીમાધવ’ના લેખકો અનુક્રમે દંડી તથા ભવભૂતિએ તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગ્રંથમાં પદ્યમાં લખાયેલા વીસ સર્ગો…
વધુ વાંચો >કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ
કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ (જ. 15 જુલાઇ 1903, વિરુધુનગર, તમિલનાડુ અ. 2 ઑક્ટોબર 1975, ચેન્નાઇ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. મદ્રાસ રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન. પિતા કુમારસ્વામી નાદર અને માતા શિવકામી અમ્મલ. તેમનું મૂળ નામ કામાચી હતું, જે પાછળથી કામરાજર થઈ ગયું. તેમના પિતા વેપારી હતા. તેમને 1907માં પરંપરાગત શાળામાં…
વધુ વાંચો >કામરાજ યોજના (1963)
કામરાજ યોજના (1963) : પક્ષને સુર્દઢ કરવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારમાંનાં સત્તાસ્થાનોએથી રાજીનામું આપવાની કામરાજપ્રેરિત યોજના. કૉન્ગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કામરાજ યોજના અમલમાં મુકાઈ હતી. અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિએ 10 ઑગસ્ટ 1963ના રોજ કામરાજ યોજના અંગેના ઠરાવને મંજૂરીની મહોર મારી હતી. તે અંગેનો પ્રસ્તાવ તે સમયના ચેન્નાઈ રાજ્યના…
વધુ વાંચો >કામરાન
કામરાન : રાતા સમુદ્રકાંઠે આવેલો યેમેન હેઠળનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 150 30’ ઉ. અ. અને 420 30’ પૂ. રે.. તેની લંબાઈ 22 કિમી. (ઉ.-દ.) અને પહોળાઈ 10 કિમી. (પૂ.-પ.) જેટલી છે. ક્ષેત્રફળ 181 ચોકિમી. તેનું ભૂપૃષ્ઠ સમતળ છે. તે બાબ-અલ-માંડેબની સામુદ્રધુનીથી 320 કિમી. ઉત્તર તરફ આવેલો છે. અહીંનું જુલાઈ…
વધુ વાંચો >કામરૂપ
કામરૂપ : આસામ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 260 30’ ઉ. અ. અને 900 00’ પૂ. રે.ની આજુબાજુનો 4,345 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જેની વસ્તી 15,17,202 (2011) છે. જ્યારે મેટ્રોપોલિટીનનો વિસ્તાર 1272 ચોકિમી. અને વસ્તી 12,60,409 (2011) છે. તેની ઉત્તરે ભુતાન, ઈશાનમાં દારાંગ જિલ્લો, પૂર્વમાં મોરીગાંવ…
વધુ વાંચો >કામરેજ
કામરેજ : પ્રાચીન કર્મણિજ્જ અથવા કાર્મણેયનગર. આ નગર તાપી નદીના દક્ષિણ કિનારા પર, સૂરતથી પૂર્વમાં આશરે 20 કિલોમીટર દૂર આવેલું છે. કામરેજ એ પાઘડીપને આશરે એકાદ કિલોમીટર લંબાઈ ધરાવતું જૂનું નગર છે. તેની એક બાજુ કોટને નામે જાણીતો જૂનો વિસ્તાર છે. આ વિસ્તારમાંથી કામરેજના જૂના અવશેષો પ્રાપ્ત થાય છે તે…
વધુ વાંચો >