ખંડ ૪

ઔરંગાથી કાંસું

ઔરંગા

ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…

વધુ વાંચો >

ઔરંગાબાદ (બિહાર)

ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…

વધુ વાંચો >

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)

ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…

વધુ વાંચો >

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય

ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…

વધુ વાંચો >

ઔલખ, અજમેરસિંહ

ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >

ઔલી સ્કીઇંગ કેન્દ્ર

ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…

વધુ વાંચો >

ઔષધ-અભિજ્ઞાન

ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…

વધુ વાંચો >

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ

ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…

વધુ વાંચો >

ઔષધકોશ

ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…

વધુ વાંચો >

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં

ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…

વધુ વાંચો >

કાન્સુ

Jan 20, 1992

કાન્સુ : વાયવ્ય ચીનનો, મૂળ ચીનના વિસ્તારના મધ્ય ભાગમાં આવેલો વેરાન ડુંગરાળ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 37o 00′ ઉ. અ. અને 103o 00′ પૂ. રે.. યુઆન વંશના શાસન દરમિયાન (1279-1368) કાન-ચોઉ અને સુ-ચોઉ બે જિલ્લા હતા. બંનેના પ્રથમ પદને જોડવાથી કાન્સુ નામ બન્યું છે. તે શીન કે ચીન વંશના શાસન…

વધુ વાંચો >

કાન્સોદરિયા, રતિલાલ

Jan 20, 1992

કાન્સોદરિયા, રતિલાલ (જ. 1961, જિલ્લો અમરેલી, ગુજરાત) : ગુજરાતના શિલ્પી. 1984માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં શિલ્પના અભ્યાસ માટે વિદ્યાર્થી તરીકે દાખલ થયા. 1989માં શિલ્પનો ડિપ્લોમા તથા 1990માં તેનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. અહીં છાત્પર, રજનીકાન્ત પંચાલ તથા રાઘવ કનેરિયા જેવા પીઢ શિલ્પીઓએ શિક્ષકો તરીકે કાન્સોદરિયાનું ઘડતર કર્યું. 1991થી 1993 સુધી બે…

વધુ વાંચો >

કાન્સ્કોરા

Jan 20, 1992

કાન્સ્કોરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની એક પ્રજાતિ. તેની 22 જેટલી એકવર્ષાયુ શાકીય જાતિઓ મુખ્યત્વે ભારત, મલાયા, ઑસ્ટ્રેલિયા અને ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં વિતરણ પામેલી છે. તેની ગુજરાતમાં 6 જેટલી જાતિઓ નોંધાઈ છે. ડાંગ, પાવાગઢ, લુણાવાડા અને ગોધરામાંથી Canscora concanensis; ગઢના જૂના કાંગરા પર C. decurrens Dalz.; અંબાજી, બાલારામ જેવા…

વધુ વાંચો >

કાન્હડદે પ્રબંધ

Jan 20, 1992

કાન્હડદે પ્રબંધ (1456) : જૂની ગુજરાતીનું ઐતિહાસિક પ્રબંધકાવ્ય. ચરિત્રાત્મક રચના, વીરરસપ્રધાન કાવ્ય, ઇતિહાસ સાથે ઇષત્ કવિકલ્પનાના અંશોવાળું, રસપ્રદ કથાનક ધરાવતું કાવ્ય. રચયિતા કવિ પદ્મનાભ પંદરમા શતકના જૂની ગુજરાતી ભાષાના ગણનાપાત્ર કવિ, વીસલનગરા નાગર બ્રાહ્મણ, વિદ્વાન અને બહુશ્રુત કાવ્યસેવી, જાલોરના રાજા અખેરાજજીના આશ્રિત રાજકવિ, ‘પુણ્યવિવેક’ના બિરુદથી તત્કાલીન કાવ્યજ્ઞોમાં પ્રસિદ્ધ. કૃતિના કેન્દ્રસ્થાને…

વધુ વાંચો >

કાન્હમધુ

Jan 20, 1992

કાન્હમધુ (જ. 1813; અ. 1868) : બંગાળી કવિ. એમણે વૈષ્ણવ કીર્તનપદોના આધુનિકીકરણ તથા નવીનીકરણ માટે સફળ પ્રયત્ન કર્યો. એમણે મધ્યબંગાળમાં શિક્ષણ લીધું હતું. એમણે જે કૃષ્ણવિષયક પદો લખ્યાં તેમાં ઝડઝમક ર્દષ્ટિએ પડે છે. એમની ભાષા સરળ છે. પદો કીર્તનસંગીતના પ્રકારનાં છે. એમણે પદો માટે પોતે શોધેલી રાગરાગિણીઓમાં તે પદ રજૂ…

વધુ વાંચો >

કાન્હેરે, અનંત લક્ષ્મણ

Jan 20, 1992

કાન્હેરે, અનંત લક્ષ્મણ (જ. 7 જાન્યુઆરી 1891, અંજની, રત્નાગિરિ; અ. 11 એપ્રિલ 1910, થાણા જેલ, મહારાષ્ટ્ર) : ભારતીય ક્રાંતિકારી.  પિતા લક્ષ્મણ ગોવિંદ રત્નાગિરિ જિલ્લાના ચિતપાવન બ્રાહ્મણ હતા. નોકરીની શોધમાં તેઓ ઇન્દોર ગયા. તેથી અનંતનું બાળપણ ઇન્દોરમાં વીત્યું હતું. તે 1903માં તેના મામા ગોવિંદ ભાસ્કર બર્વેને ઘેર ઔરંગાબાદ ગયા. તેને કસરતનો…

વધુ વાંચો >

કાપડઉદ્યોગ અને તેનો વિકાસ

Jan 20, 1992

કાપડઉદ્યોગ અને તેનો વિકાસ કાપડ ઉદ્યોગ અને તેના અંતર્ગત ઘટકોના વિકાસની રૂપરેખા 1. પ્રાચીન ઇતિહાસથી ઓગણીસમી સદી સુધી કાપડ–ઉત્પાદનની શરૂઆત : કાપડની બનાવટનાં બે ઉદભવસ્થાન છે – હુન્નરઉદ્યોગ અને અર્વાચીન સંશોધન. પ્રાથમિક બનાવટમાં વળી શકે તેવા નેતર, વાંસ કે બીજી વસ્તુઓમાંથી ટોપલીઓ બનાવવામાં આવતી હતી. ત્યાર પછી દોરડાના પુનરાવર્તિત ગાળા…

વધુ વાંચો >

કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ

Jan 21, 1992

કાપડ-ઉદ્યોગ : માનવસર્જિત રેસાઓ : કૃત્રિમ રેસાઓ અંગેનો ઉલ્લેખ છેક સન 1664માં ફ્રેંચ વૈજ્ઞાનિક રોમરે (Rene A. F. Reumur) શક્યતા રૂપે કરેલો. સન 1854માં કૃત્રિમ રેસા અંગેનો પ્રથમ પેટન્ટ કાઉન્ટ હીલેઈરે (Hilaire de Chardonnet) લીધેલો. પૅરિસમાં સન 1889માં સૌપ્રથમ વાર નાઇટ્રોસેલ્યુલોઝના રેસાઓ પ્રદર્શનમાં દર્શાવાયેલા. સન 1924માં વિસ્કોસ રેયૉન અસ્તિત્વમાં આવ્યું.…

વધુ વાંચો >

કાપડની ભાતની કલા

Jan 21, 1992

કાપડની ભાતની કલા : ગુજરાતના રંગરેજ અને છીપાગરની કાપડ ઉપર છપાતી ભાતની કલા. વસ્ત્રપરિધાનમાં વિવિધ રંગો વપરાય છે. ખૂબ ભભકભર્યા રંગો કચ્છ જેવા રણપ્રદેશમાં રહેતા લોકોના પહેરવેશમાં જોઈ શકાય છે. દરેક વર્ણ ઉત્સવો સમયે અથવા કોઈ વિધિવિધાન વખતે પોતપોતાના દેશ કે ગામની ખાસિયત પ્રમાણેના રંગોનાં કપડાં પહેરે છે. આથી એમ…

વધુ વાંચો >

કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ

Jan 21, 1992

કાપડિયા, કનૈયાલાલ મોતીલાલ (જ. 1908, નવસારી; અ. 1967) : વિખ્યાત ભારતીય સમાજશાસ્ત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષય સાથે 1930માં બી.એ. તથા 1938માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં નવસારી તથા મુંબઈમાં સંસ્કૃતના શિક્ષક તરીકે સેવા આપી. 1943થી 1959 સુધી મુંબઈ વિશ્વવિદ્યાલયમાં સમાજશાસ્ત્રના અધ્યાપક રહ્યા. સમાજશાસ્ત્ર પરના તેમના ગ્રંથોમાં ભારતની કુટુંબવ્યવસ્થા વિશેનું તલસ્પર્શી,…

વધુ વાંચો >