ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >આલ્પાઇન ગિરિનિર્માણ
આલ્પાઇન ગિરિનિર્માણ (Alpine Orogeny) : આલ્પ્સ પર્વતસંકુલના નિર્માણનું ઘટનાચક્ર. તૃતીય જીવયુગ (tertiary) દરમિયાન થયેલા ક્રમિક ભૂસંચલનજન્ય ઉત્થાન (tectonic uplift) દ્વારા યુરોપીય ભૂપૃષ્ઠ પર આલ્પ્સ તરીકે ઓળખાતા જે વિશાળ પર્વતસંકુલનું નિર્માણ થયું, તે સમગ્ર ઘટનાચક્રને આલ્પાઇન ગિરિનિર્માણ કહેવાય છે. આ જ કાળ દરમિયાન મધ્ય અને દક્ષિણ એશિયાના વિશાળ વિસ્તારને આવરી લેતા…
વધુ વાંચો >આલ્પિનિયા
આલ્પિનિયા : જુઓ પન્નગચંપો.
વધુ વાંચો >આલ્પ્સ
આલ્પ્સ : દક્ષિણ મધ્ય યુરોપમાં કમાન આકારે આવેલું વિશાળ પર્વતસંકુલ. સ્થાન : આ પર્વતમાળા આશરે 430થી 480 ઉ. અ. અને 50થી 170 પૂ. રે. વચ્ચે આશરે 2,59,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આલ્પ્સની હારમાળાનો પ્રારંભ નૈર્ઋત્યે કોલ-દ્-અલ્ટારે(colle-d´-Altare)થી થાય છે. અને ઈશાને ગોલ્ફો-ડી-જિનોવા (Golfo-di-Genova) અને પૂર્વમાં ઑસ્ટ્રિયામાં હોચસ્ચવાબ (Hochschwab) ખાતે પૂરી…
વધુ વાંચો >આલ્ફા-કણ
આલ્ફા-કણ : વિકિરણધર્મી (radioactive) પરમાણુમાંથી ઉત્સર્જિત થતો ઉચ્ચ ઊર્જા ધરાવતો ધન વિદ્યુતભારિત કણ. તે બે પ્રોટૉન અને ન્યૂટ્રૉન ધરાવે છે. આથી તે 2e જેટલો વિદ્યુતભાર ધરાવે છે, જ્યાં e ઇલેક્ટ્રૉનનો વિદ્યુતભાર છે અને તેનું મૂલ્ય e = 1.66 x 10-19 છે. આલ્ફા-કણનું દળ (દ્રવ્યમાન) 4.00015 a.m.u. છે (1 a. m.…
વધુ વાંચો >આલ્ફેરોવ, ઝ્હોરેસ આઈ
આલ્ફેરોવ, ઝ્હોરેસ આઈ. (Zhores I. Alferov) [જ. 15 માર્ચ 1930, વિટેબ્સ્ક (Vitebsk), બેલોરશિયા (બેલારૂસ), યુ. એસ. એસ. આર. અ.; 1 માર્ચ 2019, સેંટ પીટર્સબર્ગ, રશિયા] : આધુનિક માહિતી પ્રૌદ્યોગિકી(information technology)નો સ્થાયી અને સધ્ધર પાયો નાખનાર અને તે બદલ ઈ. સ. 2000નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન ભૌતિકવિજ્ઞાની. 1962થી તેઓ ટ્રાઇવેલન્ટ-પેન્ટાવેલન્ટ…
વધુ વાંચો >આલ્ફ્રેડ, ધ ગ્રેટ
આલ્ફ્રેડ, ધ ગ્રેટ (જ. 848, વૅન્ટેજ, યુ. કે; અ. 26 ઑક્ટોબર 899 વિન્ચેસ્ટર, યુ. કે.) : મહાન અંગ્રેજ રાજા આલ્ફ્રેડ. તેના ભાઈ ઍથલરેડ પછી એપ્રિલ 871માં વેસેક્સની ગાદીએ આવ્યો. તે રાજા ઍથલવુલ્ફનો પુત્ર હતો. શૂરવીરતા માટે તેમજ તેના વિદ્યાપ્રેમ માટે પ્રખ્યાત છે. નવમી સદીના બીજા મહાન શાસક શાર્લેમેન સાથે તેની…
વધુ વાંચો >આલ્બર્તી રાફેલ
આલ્બર્તી રાફેલ (જ. 16મી ડિસેમ્બર 1902, પુએર્તો દ સાંતા મારિયા, સ્પેન; અ. 28 ઑક્ટોબર 1999, સ્પેન) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. 1936-39ના સ્પૅનિશ આંતરવિગ્રહમાં તેમણે ભાગ લીધેલો અને દેશવટો ભોગવેલો. તેમણે માદ્રિદમાં અભ્યાસ કર્યો હતો અને 1922માં કાવ્ય-લેખન-પ્રકાશનની શરૂઆત કર્યા પહેલાં ચિત્રકાર તરીકે થોડી સફળતા મેળવી હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ…
વધુ વાંચો >આલ્બાઇટ
આલ્બાઇટ (Albite) : ફેલ્સ્પાર વર્ગની પ્લેજિયોક્લેઝ સમરૂપ શ્રેણી (isomorphous series)નું ખનિજ. (જુઓ પ્લેજિયોક્લેઝ). રાસાયણિક બંધારણ : Na2O Al2O3. 6SiO2. સોડા 11.8 %, ઍલ્યુમિના 19.5 %, સિલિકા 68.7 %. તે આલ્બાઇટથી ઍનોર્થાઇટ સુધીની સમરૂપ શ્રેણીનું સભ્ય હોવાથી તેમાં 10 % સુધીનું ઍનોર્થાઇટ (CaO.Al2O3.2SiO2) પ્રમાણ હોઈ શકે છે. ક્યારેક પોટૅશિયમ પણ હોય.…
વધુ વાંચો >