ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આલ્મા જેસ્ટ

આલ્મા જેસ્ટ : ગ્રીક ખગોળશાસ્ત્રી ક્લૉડિયસ ટોલેમીએ ઈ. સ. 140માં લખેલો ખગોલીય સિદ્ધાન્તોનો ગાણિતિક ગ્રંથ. તે વિષય-વૈશિષ્ટ્યને કારણે ‘મહાન ગણિતીય સંગ્રહ’, ‘મહાન ખગોળજ્ઞ’, ‘મહાન કોશ’ અને ‘સર્વશ્રેષ્ઠ’ (ગ્રીક ભાષામાં ‘મેજિસ્ટી’) વગેરે નામે ઓળખાતો હતો. આરબ વિદ્વાનોએ 827માં ઉપર્યુક્ત ગ્રંથનો અરબી ભાષામાં અનુવાદ કર્યો અને અરબી નામકરણપદ્ધતિ અનુસાર એને અલ-મેજિસ્તી કહીને,…

વધુ વાંચો >

આલ્મિડા

આલ્મિડા (જ. આશરે 1450, લિસ્બન; અ. 1 માર્ચ 1510, ટેબલ બે) : ભારત ખાતેનો પ્રથમ ફિરંગી સૂબો. પૉર્ટુગલના રાજા મૅન્યુઅલ પહેલાએ માર્ચ 1505માં એની નિમણૂક કરી હતી. પશ્ચિમ ભારતના દરિયાકાંઠા પર ફિરંગીઓનું વર્ચસ્ સ્થાપવા એને ગુજરાતની સલ્તનત સાથે સંઘર્ષમાં ઊતરવું પડ્યું હતું. આવો પ્રથમ સંઘર્ષ 1508માં થયેલો. ગુજરાતના સુલતાનની મદદે…

વધુ વાંચો >

આલ્વારેઝ, લૂઈ વૉલ્ટર

આલ્વારેઝ, લૂઈ વૉલ્ટર (જ. 13 જૂન 1911, સાનફ્રાંસિસ્કો; અ. 1 સપ્ટેમ્બર 1988 બર્કલે, કેલિફૉર્નિયા, યુ. એસ.) : ઉચ્ચ ઊર્જા ભૌતિકશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન માટે 1968નું નોબેલ પારિતોષિક મેળવનાર અને પ્રાયોગિક ભૌતિકશાસ્ત્ર વિષયના નિષ્ણાત અમેરિકન. શિકાગો યુનિવર્સિટીમાંથી બી.એસ. (1932), એમ.એસ. (1934) અને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. (1936)ની ઉપાધિઓ મેળવીને કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં સંશોધન મદદનીશ…

વધુ વાંચો >

આલ્વેન હાનેસ

આલ્વેન, હાનેસ (જ. 30 મે 1908, નૉરકૂપિંગ સ્વીડન; અ. 2 એપ્રિલ 1995 ડેનડરયાડ, સ્વીડન) : ભૌતિક ખગોળશાસ્ત્રી. પ્લાઝ્મા ભૌતિકશાસ્ત્રની આગવી શાખાની સ્થાપના માટે પાયાનું પ્રદાન કરવા માટે ફ્રાન્સના લુઈ નીલ સાથે 1970ના નોબેલ પુરસ્કાર વિજેતા. 1934માં અપ્સલા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1940માં સ્ટૉકહોમની ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી’માં પ્રાધ્યાપક તરીકે…

વધુ વાંચો >

આવક

આવક : સમયના નિશ્ચિત ગાળા દરમિયાન વસ્તુ કે નાણાંના રૂપમાં વ્યક્તિ, સમૂહ, પેઢી, ઉદ્યોગ કે સમગ્ર અર્થતંત્રને વળતર કે અન્ય રીતે પ્રાપ્ત થતો વિનિમયપાત્ર ખરીદશક્તિનો પ્રવાહ (flow). તે વિવિધ સ્વરૂપે ઊભો થતો હોય છે; દા.ત., ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલાં ઉત્પાદનનાં વિવિધ સાધનોને ભાડું, વેતન, વ્યાજ કે નફાના રૂપમાં આવક પ્રાપ્ત થતી…

વધુ વાંચો >

આવકનીતિ

આવકનીતિ : ભાવસ્થિરતા જાળવી રાખવા માટે કિંમતો તથા આવકોને નિયંત્રણમાં રાખવા માટેની રાજકોષીય નીતિ. સામાન્યતયા ભાવો તથા વેતનદરોમાં થતા વધારાને સરકારી પ્રયાસો દ્વારા નિયંત્રિત કરીને શ્રમ તથા મૂડીની આવક પર અંકુશ મૂકવાનાં પગલાં આવકનીતિનો અંતર્ગત ભાગ બને છે. આમ, અર્થકારણની ભાવનીતિ તથા વેતનનીતિ આપોઆપ જ આવકનીતિનાં બે પાસાં ગણાય. પ્રચલિત…

વધુ વાંચો >

આવકની વહેંચણી

આવકની વહેંચણી : ઉત્પાદનનાં જુદાં જુદાં સાધનોને રાષ્ટ્રીય આવકમાંથી મળતો હિસ્સો. અર્થાત્, ઉત્પાદનનાં વિવિધ સાધનોના સક્રિય સહકારથી સમાજમાં કુલ સંપત્તિનું જે સર્જન થાય છે તે સંપત્તિની, તેના સર્જનમાં રોકાયેલાં સાધનો વચ્ચે અથવા તો તે સાધનોના માલિક વચ્ચે થતી ફાળવણીને આવકની વહેંચણીનું અર્થશાસ્ત્ર કહી શકાય. અર્થશાસ્ત્રની આ શાખામાં ઉત્પાદનનાં સાધનોની કિંમતો…

વધુ વાંચો >

આવકવેરો

આવકવેરો : પોતાની હકૂમત હેઠળના પ્રદેશમાં વ્યક્તિ, કુટુંબ કે કંપનીની કુલ આવક પર સરકાર દ્વારા આકારવામાં આવતો વેરો. આ વેરો સર્વપ્રથમ ઈ. સ. 1799માં ઇંગ્લૅન્ડમાં તે સમયની યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન વિલિયમ પિટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. 1799થી 1874 દરમિયાન તે અવારનવાર ક્યારેક રદ કરવામાં આવતો અને…

વધુ વાંચો >

આવરણ-ખડક

આવરણ-ખડક (Cap-rock) : ખડક કે ખનિજ દ્રવ્યથી બનેલું એક પ્રકારનું આચ્છાદન અથવા આવરણ. તેના ત્રણ પ્રકારો નીચે મુજબ છે : (1) જે અર્થમાં શબ્દપ્રયોગ થાય છે તે દુનિયાના જુદા જુદા ભાગોમાં મળી આવતા મીઠાના ઘુંમટો(salt domes)ના લાક્ષણિક આકારોની ઉપરની સપાટી પર ચિરોડી કે ઍનહાઇડ્રાઇટ કે ચૂનાખડક કે ક્વચિત્ ગંધકના બનેલા…

વધુ વાંચો >

આવરણતંત્ર (પ્રાણીશાસ્ત્ર)

આવરણતંત્ર (પ્રાણીશાસ્ત્ર)  (Integumentary System)  પર્યાવરણ પરત્વે શરીરનું સમાયોજન કરતું ત્વચા અને/અથવા અન્ય આવરણરૂપ તંત્ર. શરીરની બાહ્ય દીવાલ રૂપે આ તંત્ર શરીરની આસપાસ એક સુરક્ષિત આવરણ બનાવે છે. આ આવરણ શરીરને થતી ભૌતિક ઈજા અટકાવવા ઉપરાંત, ઢાલ બનીને શરીરને ભક્ષક પ્રાણીઓથી રક્ષણ આપે છે. વળી બૅક્ટેરિયા તેમજ તેના જેવાં અન્ય હાનિકારક…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >