ખંડ ૨

આદિવિષ્ણુથી ઈલાઇટિસ

આલ્ટરનેન્થેરા

આલ્ટરનેન્થેરા (Alternanthera) : જુઓ જળજાંબવો.

વધુ વાંચો >

આલ્ટો, અલ્વર

આલ્ટો, અલ્વર (જ. 3 ફેબ્રુઆરી 1898 કુઓર્ટેન, ફિનલૅન્ડ; અ. 11 મે 1976 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનિશ સ્થપતિ. આખું નામ હ્યુગો અલ્વર હેન્રિક આલ્ટો. વીસમી સદીનો અગ્રણી સ્થપતિ ગણાય છે. તેણે કેવળ પોતાના દેશ ફિનલૅન્ડમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં આધુનિક સ્થાપત્ય વિશે નવીન વિચારધારા સર્જી અને તેનો વિનિયોગ તેણે સ્થાપત્ય, નગર-યોજના…

વધુ વાંચો >

આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો

આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો (aldehydes and ketones) : કાર્બોનિલ સમૂહ > C = O ધરાવતાં કાર્બનિક સંયોજનો. આલ્ડિહાઇડમાં આ સમૂહ હાઇડ્રોજન સાથે જોડાયેલ હોય છે અને આ રૂપમાં તે ફૉર્માઇલ સમૂહ -HC = O તરીકે ઓળખાય છે. કીટોનમાંનો કાર્બોનિલ સમૂહ બે કાર્બન સાથે જ જોડાયેલ હોય છે. આ સમૂહો આલ્કાઇલ…

વધુ વાંચો >

આલ્ડૉસ્ટિરોન

આલ્ડૉસ્ટિરોન (Aldosterone) : અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર(adrenal cortex)નો અંત:સ્રાવ (hormone). અધિવૃક્ક ગ્રંથિના બહિ:સ્તર અથવા બાહ્યકમાંથી બે મુખ્ય અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે : કૉર્ટિસોન અને આલ્ડૉસ્ટિરોન. આલ્ડૉસ્ટિરોન મિનરલો-કૉર્ટિકૉઇડ સમૂહમાં આવે છે અને તેનું મુખ્ય કાર્ય સોડિયમ, પોટૅશિયમ અને હાઇડ્રોજનના આયનોની સમતુલા જાળવવાનું છે. આલ્ડૉસ્ટિરોન આડકતરી રીતે લોહીના દબાણને પણ અસર કરે છે.…

વધુ વાંચો >

આલ્ડ્રિન

આલ્ડ્રિન : હેકઝાક્લોરોહેક્ઝાહાઇડ્રોડાયમિથેનો નૅપ્થેલીનો(C12H8Cl6)માંનો એક કીટનાશક સમઘટક, હેક્ઝાક્લોરોપેન્ટાડાઇન સાથે બાયસાયક્લોહેપ્ટાડાઇનની પ્રક્રિયાથી તે બને છે. તે કીટકના મધ્યસ્થ ચેતાતંત્ર(central nervous system)ને ઉત્તેજિત કરે છે. તે ગરમ લોહીવાળાં પ્રાણીઓ માટે ઝેરી છે. ખોરાક, શ્વાસોચ્છવાસ અને ચામડી દ્વારા શરીરમાં પ્રવેશીને ઝેરી અસર ઉપજાવે છે. આલ્ડ્રિનની પેરૉક્સિએસેટિક ઍસિડ સાથેની પ્રક્રિયાથી બીજું કીટનાશક ડીલ્ડ્રિન મળે…

વધુ વાંચો >

આલ્તેક ભાષા જૂથ

આલ્તેક ભાષા જૂથ : મધ્ય એશિયામાં તિબેટની ઉત્તરે અને પૂર્વ યુરોપથી પૅસિફિક સમુદ્ર સુધી ફેલાયેલા વિશાળ પ્રદેશમાં બોલાતી ભાષાઓ. આ ભાષા-પરિવારનું નામ અલ્તાઇ પર્વતો પરથી પડેલું છે. આ પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ એવા બે ભાગ કર્યા હોય તો, પશ્ચિમના અર્ધા પ્રદેશમાં વિવિધ તુર્કી ભાષાઓ આશરે 30 લાખ લોકો દ્વારા બોલાય…

વધુ વાંચો >

આલ્થિયા

આલ્થિયા : જુઓ ગુલખેરૂ

વધુ વાંચો >

આલ્પાઇન ગિરિનિર્માણ

આલ્પાઇન ગિરિનિર્માણ (Alpine Orogeny) : આલ્પ્સ પર્વતસંકુલના નિર્માણનું ઘટનાચક્ર. તૃતીય જીવયુગ (tertiary) દરમિયાન થયેલા ક્રમિક ભૂસંચલનજન્ય ઉત્થાન (tectonic uplift) દ્વારા યુરોપીય ભૂપૃષ્ઠ પર આલ્પ્સ તરીકે ઓળખાતા જે વિશાળ પર્વતસંકુલનું નિર્માણ થયું, તે સમગ્ર ઘટનાચક્રને આલ્પાઇન ગિરિનિર્માણ કહેવાય છે. આ જ કાળ દરમિયાન મધ્ય અને દક્ષિણ એશિયાના વિશાળ વિસ્તારને આવરી લેતા…

વધુ વાંચો >

આલ્પિનિયા

આલ્પિનિયા : જુઓ પન્નગચંપો. 

વધુ વાંચો >

આલ્પ્સ

આલ્પ્સ : દક્ષિણ મધ્ય યુરોપમાં કમાન આકારે આવેલું વિશાળ પર્વતસંકુલ. સ્થાન : આ પર્વતમાળા આશરે 430થી 480 ઉ. અ. અને 50થી 170 પૂ. રે. વચ્ચે આશરે 2,59,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આલ્પ્સની હારમાળાનો પ્રારંભ નૈર્ઋત્યે કોલ-દ્-અલ્ટારે(colle-d´-Altare)થી થાય છે. અને ઈશાને ગોલ્ફો-ડી-જિનોવા (Golfo-di-Genova) અને પૂર્વમાં ઑસ્ટ્રિયામાં હોચસ્ચવાબ (Hochschwab) ખાતે પૂરી…

વધુ વાંચો >

આદિવિષ્ણુ

Jan 1, 1990

આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)

વધુ વાંચો >

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)

Jan 1, 1990

આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…

વધુ વાંચો >

આદીશ્વર મંદિર, શત્રુંજય

Jan 1, 1990

આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…

વધુ વાંચો >

આદું

Jan 1, 1990

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આદ્ય તારકપિંડ

Jan 1, 1990

આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…

વધુ વાંચો >

આદ્ય રંગાચાર્ય

Jan 1, 1990

આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…

વધુ વાંચો >

આધ ચાનની (ચાંદની) રાત

Jan 1, 1990

આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…

વધુ વાંચો >

આધમખાન (આઝમખાન)

Jan 1, 1990

આધમખાન (આઝમખાન) ( જ. 1531 કાબુલ, અફઘાનિસ્તાન; અ. 16 મે 1562 આગ્રા ફોર્ટ) : અકબરની ધાત્રી માહમ આંગાનો નાનો પુત્ર. એ રીતે એ અકબરનો દૂધભાઈ થતો. આધમખાન સ્વભાવે ઘણો સ્વાર્થી હતો. બૈરમખાનની વધતી જતી સત્તાને નાબૂદ કરવા તે અકબરની સતત કાનભંભેરણી કર્યા કરતો. એટલે અકબરે બૈરમખાનને દૂર હઠાવ્યો. એ સમયે…

વધુ વાંચો >

આધમગઢ (આઝમગઢ)

Jan 1, 1990

આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…

વધુ વાંચો >