ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આર્થ્રોકનેમમ
આર્થ્રોકનેમમ : દ્વિદળી વર્ગમાં આવેલ ચિનોપોડિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arthrocnemum indicum (Willd) Moq. (ગુ. ભોલાડો) છે. તે ભારતનું વતની છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અને મુંબઈમાં વસઈના કિનારે ઊગી નીકળતી ચેર (mangrove) વનસ્પતિ છે. જામનગર-ભાવનગરના ઘોઘા બંદરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને મળતી આવતી પ્રજાતિ Salicornia…
વધુ વાંચો >આર્દ્રક
આર્દ્રક : ભારતના શુંગ વંશના પુષ્યમિત્રના પૌત્ર વસુમિત્ર પછી થયેલો રાજા. તેનું નામ પુરાણોમાં અન્તક, આન્ધ્રક, આર્દ્રક કે ભદ્રક આપ્યું છે. પ્રયાગ પાસે આવેલા પભોસામાં મળેલા અભિલેખમાં જણાવેલ ઉદાક રાજા પ્રાય: આ આર્દ્રક હતો. એના પછી શુંગ વંશમાં પાંચ રાજા થયા. શુંગ વંશે ઈ. પૂ. 185થી ઈ. પૂ. 73 સુધી…
વધુ વાંચો >આર્દ્રતા
આર્દ્રતા (વનસ્પતિશાસ્ત્ર) : હવામાં રહેલા ભેજનું માપ. સામાન્યત: તે સાપેક્ષ (relative) કે નિરપેક્ષ (absolute) આર્દ્રતા તરીકે માપવામાં આવે છે અને ટકાવારીમાં દર્શાવાય છે. આંતરકોષીય અવકાશ (intercellular space), વાયુકોટરો અને રંધ્રો (stomata) દ્વારા એક સળંગ વાતાયન (ventilation) વનસ્પતિમાં રચાય છે. તેની મારફતે ભેજ આવજા કરે છે. સાપેક્ષ આર્દ્રતા વાતાવરણમાં રહેલાં બે…
વધુ વાંચો >આર્દ્રા
આર્દ્રા (Betelgeuse) : મૃગશીર્ષ તારામંડળનો રાતા રંગે ચમકતો તેજસ્વી તારો. આ તારામંડળ માગશર માસ દરમિયાન રાત્રિના પ્રથમ ચરણમાં પૂર્વાકાશમાં ધ્યાન ખેંચે છે. જુલાઈ માસમાં સૂર્ય આર્દ્રાની સમીપ હોવાથી આ નામનું નક્ષત્ર વર્ષાઋતુના આગમન સાથે સંકળાયેલ છે. રાતા રંગનો આ એક મહાવિરાટ (red supergiant) તારો છે. સૂર્ય કરતાં અધિક ભારવાળા તારાના…
વધુ વાંચો >આર્નલ્ડ, એડવિન (સર)
આર્નલ્ડ, એડવિન (સર) (જ. 10 જૂન 1832, ગ્રેવ્ઝેન્ડ, અ. 24 માર્ચ 1904 લંડન) : અંગ્રેજ કવિ અને પત્રકાર. સસેક્સના ગ્રેવ્ઝેન્ડમાં મૅજિસ્ટ્રેટ કુટુંબમાં જન્મ. ઉચ્ચ શિક્ષણ કિંગ્ઝ કૉલેજ, લંડન અને ઑક્સફર્ડમાં. 1852માં ‘બેલ્શઝાર ફીસ્ટ’ – એ શ્રેષ્ઠ કાવ્યકૃતિ માટે તેમને ‘ન્યૂડિગેટ’ પારિતોષિક મળ્યું હતું. તેમના પ્રથમ કાવ્યસંગ્રહનું પ્રકાશન ‘પોએમ્સ નૅરેટિવ ઍન્ડ…
વધુ વાંચો >આર્નલ્ડ, મેથ્યૂ
આર્નલ્ડ, મેથ્યૂ (જ. 28 ડિસેમ્બર,1822, લેલહૅમ, મિડલસેક્સ; અ. 15 એપ્રિલ 1888, લિવરપુલ) : અંગ્રેજ કવિ-વિવેચક. ટેમ્સ નદીને કિનારે આવેલા લેલહૅમ (Laleham) ગામના વતની અને પ્રસિદ્ધ રગ્બી શાળાના આચાર્ય, ટૉમના જ્યેષ્ઠ પુત્ર. શિક્ષણ પિતાની જ શાળામાં. ઉચ્ચ શિક્ષણ માટે એ ઑક્સફર્ડની બેલિયલ (Balliol) કૉલેજમાં જોડાયા, જ્યાં કાવ્યલેખન માટે એમને 1843માં ‘ન્યૂડિગેટ’…
વધુ વાંચો >આર્પ, ઝાં હાન્સ
આર્પ, ઝાં હાન્સ (જ. 16 સપ્ટેમ્બર 1886 સ્ટ્રાસબર્ગ, જર્મની; અ. 7 જૂન 1966, બેઝલ, સ્વિટ્ઝર્લૅન્ડ) : ફ્રેન્ચ શિલ્પી, ચિત્રકાર અને કવિ. હાન્સ આર્પ યુરોપના કલાક્ષેત્રે વીસમી સદીના પૂર્વાર્ધમાં ‘આવાં ગાર્દ’ યાને નવોદિત યુવા કલાકારોના નેતા હતા. તેમણે વતન સ્ટ્રાસબૉર્ગમાં કલાની તાલીમ મેળવી હતી. પછી જર્મનીના વૈમરમાં અભ્યાસ કર્યો અને પૅરિસમાં…
વધુ વાંચો >આર્બર, અગ્નેસ
આર્બર, અગ્નેસ (જ. 23 ફેબ્રુ. 1879, લંડન : અ. 22 માર્ચ 1960 કેમ્બ્રિજશાયર) : અંગ્રેજ મહિલા વનસ્પતિશાસ્ત્રી. તેમણે એકદળી વનસ્પતિઓની તુલનાત્મક અન્ત:સ્થ સંરચના (anatomy) ઉપર મહત્વના મૌલિક વિચારોનું પ્રદાન કરેલું છે. લંડન યુનિવર્સિટીમાંથી બી.એસસી. (1899) તથા ડી.એસસી. (1905) અને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.(1909)ની ઉપાધિ મેળવી હતી. આમ તેમના કાર્યમાં વિજ્ઞાન અને…
વધુ વાંચો >આર્બર, વર્નર
આર્બર, વર્નર (જ. 3 જૂન 1929, ગ્રાનિકેમ, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના પ્રસિદ્ધ સૂક્ષ્મજીવશાસ્ત્રી. શરીરક્રિયાશાસ્ત્રમાં પ્રતિબંધક ઉત્સેચકો અને તેમના આણ્વિક જનીનવિદ્યા(molecular genetics)માં ઉપયોગને લગતી શોધ માટે તેમને 1978નું નોબેલ પારિતોષિક નાથાન્સ અને હૅમિલ્ટન ઑર્થોનેલ સ્મિથની સાથે એનાયત થયેલું. પ્રતિબદ્ધ ઉત્સેચકો ડી.એન.એ.ના મોટા અણુઓને તોડીને તેમનું મહત્વની જનીનીય માહિતી દર્શાવતા નાના વિભાગોમાં વિભાજન…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >