૨.૧૮

આંતરહેલોજન સંયોજનોથી આંસૂ

આંતરહેલોજન સંયોજનો

આંતરહેલોજન સંયોજનો (interhalogen compounds) : બે ભિન્ન ભિન્ન હેલોજન તત્વો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના ફળસ્વરૂપે મળતાં સંયોજનો. તેઓ હેલોજન હેલાઇડ તરીકે પણ ઓળખાય છે. તેમનું સામાન્ય સૂત્ર XYn લખી શકાય કે જેમાં n = 1, 3, 5, 7 એમ એકી સંખ્યા હોય છે. આમાંનાં મોટાભાગનાં ફ્લોરિન ધરાવે છે. ઉપરના સૂત્રમાં…

વધુ વાંચો >

આંતરિક ઊર્જા

આંતરિક ઊર્જા (internal energy) : વિશ્વની કોઈ નિરાળી પ્રણાલી(isolated system)માંના અણુઓમાં સમાયેલી સ્થિતિજ (potential) અને ગતિજ (kinetic) ઊર્જાઓ. આવી પ્રણાલીમાંના અણુઓની સ્થાનાંતરીય (translational), કંપનીય (vibrational), ઇલેક્ટ્રૉનિક (electronic) અને ન્યૂક્લિયર (nuclear) ઊર્જાને આંતરિક ઊર્જા કહે છે. નિરાળી પ્રણાલીમાંની ઊર્જા નિયત (constant) હોય છે; કારણ કે આ પ્રણાલીમાં બહારથી ઊર્જા દાખલ થઈ…

વધુ વાંચો >

આંત્રરોધ

આંત્રરોધ (intestinal obstruction) : આંતરડાના હલનચલનનું અટકી જવું. તે એક તત્કાલ સારવાર માગી લેતી ગંભીર સ્થિતિ છે. આંતરડાનું હલનચલન લહરીગતિ(peristalsis)ના રૂપમાં થાય છે, જેથી મોં વાટે લેવાયેલો ખોરાક જેમ જેમ પચતો જાય તેમ તેમ તે આગળ ને આગળ ધકેલાતો જાય છે. આંતરડાની આ ગતિ કોઈ ભૌતિક કારણસર અટકે તો જે…

વધુ વાંચો >

આંત્રરોધ, સ્તંભજ

આંત્રરોધ, સ્તંભજ (paralytic ileus) : આંતરડાના ચેતા (nerves) અને  સ્નાયુઓના કાર્યમાં વિક્ષેપ પડવાથી તેના હલનચલનનું અટકી જવું તે. (જુઓ આંત્રરોધ આકૃતિ.). આંતરડાના હલનચલનનું નિયમન કરવા માટે બે ચેતાજાળાં (plexuses) કાર્ય કરે છે : ઑરબેક(Auerbach)નું આંત્રપટ જાળું (mesenteric plexus) અને મિસ્નેર(Meissner)નું અવશ્લેષ્મકલા જાળું (submucosal plexus). આ બંને ચેતાજાળાંની કાર્યશીલતામાં વિક્ષેપ પડે…

વધુ વાંચો >

આંત્રવાત

આંત્રવાત (intestinal gas) : આંતરડામાં વાયુનો પ્રકોપ. પેટમાં વાયુ ત્રણ રીતે થાય છે : (1) હવા ગળવાથી, (2) અર્ધપચેલા ખોરાક કે આંતરડામાંના જીવાણુઓ(bacteria)થી અને (3) લોહીમાંના વાયુઓનું આંતરડાની અંદર પ્રસરણ (diffusion) થવાથી. સામાન્ય રીતે જઠર અને આંતરડામાં વાયુ 200 મિલિ.થી વધુ હોતો નથી. દિવસ દરમિયાન ગુદા વાટે 7થી 20 વખતની…

વધુ વાંચો >

આંત્રવ્યાવર્તન

આંત્રવ્યાવર્તન (intestinal volvulus) : ધરીની આસપાસ આંતરડાની આંટી પડવી તે. નાના આંતરડાના છેવટના ભાગ(અંતાંત્ર, ileum)માં, મોટા આંતરડાના શરૂઆતના ભાગ(અંધાંત્ર, caecum)માં કે છેવટના ભાગ(શ્રોણિસ્થિરાંત્ર, pelvic colon)માં અથવા જઠરમાં આવી આંટી પડે છે. ગર્ભના વિકાસ-સમયે પેટમાં આંતરડું આંત્રપટ(mesentery)ની ધરી બનાવી ગોળ ફરીને તેના યોગ્ય સ્થાને ગોઠવાય છે. જો આ પ્રક્રિયા અધૂરી રહી…

વધુ વાંચો >

આંત્રાંકુરો

આંત્રાંકુરો (intestinal villi) : ખોરાકના પાચન અને શોષણ માટે વિસ્તાર વધારવા માટે નાના આંતરડાના અંદરના પડની નાની નાની ગડીઓ. નાના આંતરડામાં ત્રણ પ્રકારની ગડીઓ છે : મોટી ગડીઓ (plicae circularis), આંત્રાંકુરો અને અંકુરિકાઓ (microvilli). આ ત્રણ પ્રકારની ગડીઓ વડે 2.5 સેમી. વ્યાસવાળા 6.35 મીટર લાંબા નાના આંતરડાની અંદરની દીવાલનું ક્ષેત્રફળ…

વધુ વાંચો >

આંત્રાંત્રરોધ

આંત્રાંત્રરોધ (intussusception) : આંતરડાના પોલાણમાં આંતરડાનો બીજો ભાગ પ્રવેશીને તેને બંધ કરી દે તે. સામાન્ય રીતે આંતરડાનો આગળનો ભાગ પાછળના ભાગમાં પ્રવેશે છે (જુઓ આંત્રરોધ આકૃતિ). આથી આંતરડાના થતા ગઠ્ઠામાં ચાર નિશ્ચિત ભાગો થાય છે : (1) અંતર્નળી એટલે કે અંદર પ્રવેશેલો આંતરડાનો ભાગ, (2) બાહ્ય નળી એટલે કે જેમાં…

વધુ વાંચો >

આંદામાન અને નિકોબાર ટાપુઓ

આંદામાન અને નિકોબાર ટાપુઓ : બંગાળના ઉપસાગરની દક્ષિણ પૂર્વમાં આવેલા ટાપુઓનો એક દ્વીપસમૂહ. તેના 3000 જેટલા ટાપુઓમાં 365 મુખ્ય છે. ભૌ. સ્થાન તે 120.00 ઉ. અ. અને 120 45´ પૂ. રે. આજુબાજુનો 8249 ચો. કિમી. જેટલો વિસ્તાર તે આવરી લે છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વ કિનારાથી 1,200 કિમી. જેટલો દૂર…

વધુ વાંચો >

આંદામાની ભાષાસમૂહ

આંદામાની ભાષાસમૂહ : આ ભાષા બોલનાર આંદામાનના મૂળ રહેવાસી નેગ્રિટો વંશના હોવાથી તેમનું મલયેશિયાની સમાંગ જાતિ જોડે સામ્ય જોવા મળે છે. એમની ‘બો’ નામની ભાષા હતી. આ ભાષા બોલનારાની સંખ્યા ઝડપભેર ઘટતી જાય છે. 1858માં તેમની સંખ્યા 4,800 હતી, 1909માં 1882, 1931માં 460 અને 1961ની વસ્તીગણતરીમાં ફક્ત પાંચ જ હતી.…

વધુ વાંચો >

આંબાહળદર

Jan 18, 1990

આંબાહળદર : એકદળી વર્ગમાં આવેલા સાઇટેમિનેસી કુળના ઝિન્જીબરેસી ઉપકુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curcuma amada Roxb. syn. C. aromatica Salish (સં. વનહરિદ્રા, આમ્લનિશા, આમ્રનિશા, આમ્રગંધા; મ. રાનહળદ; હિં. જંગલી હલ્દી, આંબીહલ્દી, વનહલ્દી; બં. વનુહલુદ; ત. કસ્તૂરમંજલ; તે. કસ્તૂરી પસુળુ; અં. વાઇલ્ડ ટર્મેરિક, કોચીન ટર્મેરિક) છે. હળદર તેની એક જુદી…

વધુ વાંચો >

આંબેડકર, બી.આર. (ડૉ.)

Jan 18, 1990

આંબેડકર, બી. આર. (ડૉ.) (જ. 14 એપ્રિલ 1891, મઉ, મધ્યપ્રદેશ; અ. 6 ડિસેમ્બર 1956, નાગપુર) : બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ, દલિત આગેવાન, પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત. આખું નામ ભીમરાવ રામજી આંબેડકર. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સૂબેદાર હતા. 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

આંબો

Jan 18, 1990

આંબો દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mangifera indica Linn. (સં. આમ્ર; હિં. બં. આમ; ક. માવિનમારા, માવિણહણ; તે. માર્મિડીચેટુ, મ., આંબા; ત. મામરં; મલ. માવુ; અં. મેંગો ટ્રી) છે. તેના સહસભ્યોમાં કાજુ, ચારોળી, સમેટ, આમાતક, પિસ્તાં અને કાકડાશીંગનો સમાવેશ થાય છે. તે વિશાળ સદાહરિત, 15થી…

વધુ વાંચો >

આંભિ

Jan 18, 1990

આંભિ (ઈ. સ. પૂ. ચોથી સદી) : તક્ષશિલાનો રાજા. સિકંદર બુખારામાં હતો ત્યારે તેણે તેનું રાજ્ય બચાવી લેવામાં આવે, એવી શરતે તેને મદદ આપવાનું કહેણ મોકલ્યું હતું. તેણે સિકંદરને 65 હાથી, 3,000 કીમતી બળદ તથા અનેક મોટા કદનાં ઘેટાં ભેટ મોકલ્યાં હતાં. ઇતિહાસમાં નોંધાયેલ તે દેશદ્રોહ કરનાર સૌપ્રથમ ભારતીય રાજા…

વધુ વાંચો >

આંશિક ખોતરણ

Jan 18, 1990

આંશિક ખોતરણ (fractional curettage) : ગર્ભાશયના અમુક ભાગનું ખોતરણ. ગર્ભાશય કૅન્સરની નિદાનલક્ષી તપાસ માટેનો એક પ્રકાર તે આંશિક ખોતરણ છે. તેના દ્વારા કૅન્સરના સ્થાન અને ગર્ભાશયગ્રીવા (uterine cervix) સુધીનો ફેલાવો ચકાસી શકાય છે. ઋતુસ્રાવ (menstruation) બંધ થવાની ઉંમરની કે તે બંધ થયા પછીની ઉંમરની સ્ત્રીઓની યોનિમાંથી અનિયમિતપણે લોહી પડે ત્યારે…

વધુ વાંચો >

આંશિક દબાણનો નિયમ

Jan 18, 1990

આંશિક દબાણનો નિયમ (Law of partial pressures) : બે અથવા વધુ વાયુઓના મિશ્રણમાં રહેલ પ્રત્યેક વાયુનો જથ્થો, તેનું દબાણ અને વાયુમિશ્રણના કુલ દબાણ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ. બ્રિટિશ રસાયણવિજ્ઞાની જ્હૉન ડાલ્ટને આ નિયમ 1801માં રજૂ કર્યો હોવાથી તેને ડાલ્ટનનો નિયમ પણ કહે છે. આ નિયમ મુજબ ‘એકબીજા સાથે પ્રક્રિયા કરતા…

વધુ વાંચો >

આંશિક નુકસાન

Jan 18, 1990

આંશિક નુકસાન : જુઓ યૉર્ક ઍન્ટવર્પ રૂલ્સ

વધુ વાંચો >

આંશિક વિવૃતિ

Jan 18, 1990

આંશિક વિવૃતિ (Outrop) : સ્તર, સ્તરો કે તળખડકનો તેની ઉપર રહેલા શિલાચૂર્ણ (debris) કે જમીનજથ્થાના આવરણમાંથી ખુલ્લો થઈને દેખાતો ભાગ. ભૂપૃષ્ઠ પર બધે જ ખડકો ખુલ્લી સ્થિતિમાં મળતા હોતા નથી. તે ઘણી વાર જાડા કે પાતળા શિલાચૂર્ણજથ્થાથી, કાંપમય આવરણથી કે જમીનોથી ઢંકાયેલા હોય છે. અમુક ફળદ્રૂપ વિસ્તારોમાં તો કાંપ કે…

વધુ વાંચો >

આંસૂ

Jan 18, 1990

આંસૂ (1952) : આધુનિક સિંધી નવલકથા. આ નવલકથાના લેખક ગોવિંદ માલ્હી છે. પ્રસ્તુત નવલકથામાં વિભાજન પછી સિંધમાંથી હિજરત કરીને ભારતમાં આવીને વસેલ સિંધી સમાજની યાતનાસભર અનિશ્ચિત સ્થિતિનું અસરકારક ચિત્રણ છે. નિરાશ્રિત શિબિરોમાં વિસ્થાપિત માનવીઓની માનવતાના હ્રાસનું નિરૂપણ પણ છે. માતૃભૂમિની સ્મૃતિઓ, ભવિષ્યની અનિશ્ચિતતા તથા વર્તમાનની વિષમ મન:સ્થિતિ વચ્ચે જીવતો માનવી…

વધુ વાંચો >