૨૪

સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક

સ્વરૂપપ્રકાર

સ્વરૂપપ્રકાર : જુઓ મેન્ડેલવાદ.

વધુ વાંચો >

સ્વરૂપવાદ

સ્વરૂપવાદ : જુઓ આકારવાદ.

વધુ વાંચો >

સ્વરૂપાનંદ સ્વામી

સ્વરૂપાનંદ સ્વામી (જ. ? ; અ. 15 ઑગસ્ટ 1974, પાવસ, જિલ્લો રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : પ્રખર રાષ્ટ્રભક્ત, સ્વાતંત્ર્યસેનાની અને નાથસંપ્રદાયની પરંપરામાં ઊછરેલા મહારાષ્ટ્રના સંત. મૂળ વતન પાવસ, જે રત્નાગિરિથી 14 કિમી. અંતર પર આવેલું નાનું ગામ છે. સ્વામી સ્વરૂપાનંદે ત્યાં આશ્રમની સ્થાપના કરી છે. ગોડબોલે પરિવારમાં જન્મેલા આ સંતની આઠ પેઢીઓ…

વધુ વાંચો >

સ્વ-રોજગારી

સ્વ-રોજગારી : પોતાના ગુજરાન માટે પોતાના કૌશલ્યને અનુકૂળ એવી સ્વનિયંત્રિત રોજગારીની તકનું નિર્માણ. સ્વ-રોજગારીનો ખ્યાલ માનવ-સંસ્કૃતિના વિકાસ જેટલો પ્રાચીન છે. માનવ-સંસ્કૃતિ પાંગરી તે સાથે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા કેટલીક ઉત્પાદક પ્રવૃત્તિઓ કરતો થયો. શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતો માનવી કાળક્રમે ખેતી કરતો થયો. વસ્ત્રોની જરૂરિયાતે માનવીને કાપડ વણતો કર્યો. ગુફામાં રહેતો…

વધુ વાંચો >

સ્વરોદયશાસ્ત્ર

સ્વરોદયશાસ્ત્ર : સ્વરોદય એટલે સ્વરના ઉદય નિમિત્તનું અર્થઘટન કરતું શાસ્ત્ર. નિમિત્તશાસ્ત્રને અષ્ટાંગ નિમિત્ત કહેવામાં આવે છે. પરિપાટી મુજબ નિમિત્તશાસ્ત્રનાં આઠ અંગ છે – (1) અંગવિદ્યા, (2) સ્વપ્નશાસ્ત્ર, (3) સ્વરશાસ્ત્ર, (4) ભૌમશાસ્ત્ર, (5) વ્યંજન, (6) લક્ષણ, (7) ઉત્પાત અને (8) અંતરિક્ષ. अंगं स्वप्न: स्वरश्चैव भौमे व्यंजनलक्षणे । उत्पातमन्तरिक्षं च निमित्तं स्मृतमष्टधा…

વધુ વાંચો >

સ્વર્ગ

સ્વર્ગ : હિંદુ ધર્મ અનુસાર પુણ્યશાળીઓને માટે પરલોકમાં ભોગોપભોગ માટેનું સુખધામ. કર્મ અને પુનર્જન્મના સનાતન ધર્મના સિદ્ધાંત અનુસાર પુણ્યકર્મોનું ફળ પરલોકમાં સુખ રૂપે અને પાપકર્મોનું ફળ પરલોકમાં નરકનાં દુ:ખ રૂપે મળે છે. જે દેવને ઇષ્ટ દેવ ગણી આરાધ્યા હોય અને પુણ્યકર્મો કર્યાં હોય તદનુસાર તે દેવના લોકમાં સ્થાન પામી સુખોપભોગ…

વધુ વાંચો >

સ્વર્ટીઆ

સ્વર્ટીઆ : જુઓ કરિયાતું.

વધુ વાંચો >

સ્વર્ણકુમારી દેવી

સ્વર્ણકુમારી, દેવી (જ. 28 ઑગસ્ટ 1856, કોલકાતા; અ. 3 જુલાઈ 1932) : બંગાળી મહિલા-સાહિત્યકાર. તેઓ રવીન્દ્રનાથ ટાગોરનાં બહેન હોવાથી સાહિત્યિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. તેમને ઘરમેળે યુરોપિયન મહિલા દ્વારા અને પાછળથી અયોધ્યાનાથ પકરાસી મારફત શિક્ષણ પ્રાપ્ત થયું હતું. દેવી સ્વર્ણકુમારી તેમનાં લગ્ન કૉંગ્રેસી નેતા જાનકીનાથ ઘોસાલ સાથે થયેલાં. નાની…

વધુ વાંચો >

સ્વર્ણલતા

સ્વર્ણલતા : તારકનાથ ગંગોપાધ્યાયની (1843–1891) બંગાળી નવલકથા. ‘જ્ઞાનાંકુર’ સામયિકમાં ધારાવાહિક રૂપે આવ્યા પછી 1874માં ગ્રંથસ્થ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના યુગમાં પણ આ નવલકથાની એટલી પ્રસિદ્ધિ થઈ કે તેની સાત આવૃત્તિઓ થઈ હતી. અમૃતલાલ બસુએ કરેલા તેના નાટ્યરૂપાંતર ‘સરલા’નું કોલકાતા અને અન્ય સ્થળોએ લગભગ સોએક વાર મંચન થયું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બંગાળીના પ્રોફેસર…

વધુ વાંચો >

સ્વર્ણસિંગ

સ્વર્ણસિંગ (જ. 19 ઑગસ્ટ 1907; અ. 30 ઑક્ટોબર 1994, નવી દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની તથા સ્વાતંત્ર્યોત્તર કાળના ભારતના રાજદ્વારી મુત્સદ્દી. 1926માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી લાહોરની સરકારી કૉલેજમાં વિજ્ઞાન વિદ્યાશાખામાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા. 1930માં બી.એસસી.ની સ્નાતક પદવી, 1932માં ભૌતિકશાસ્ત્ર સાથે એમ.એસસી.ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કર્યા પછી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

સોઇન્કા વોલ

Jan 1, 2009

સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…

વધુ વાંચો >

સોકોટો (નદી)

Jan 1, 2009

સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…

વધુ વાંચો >

સૉક્રેટિસ

Jan 1, 2009

સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…

વધુ વાંચો >

સોગંદનામું (affidavit)

Jan 1, 2009

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…

વધુ વાંચો >

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)

Jan 1, 2009

સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…

વધુ વાંચો >

સોચા જૂન સૂરતૂન (1990)

Jan 1, 2009

સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…

વધુ વાંચો >

સોજિત્રા

Jan 1, 2009

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોઝ હીરાનંદ

Jan 1, 2009

સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…

વધુ વાંચો >

સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)

Jan 1, 2009

સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…

વધુ વાંચો >

સોડાલાઇટ

Jan 1, 2009

સોડાલાઇટ : સોડાલાઇટ સમૂહ(સોડાલાઇટ, હૉયનાઇટ, નોસેલાઇટ અને લેઝ્યુરાઇટ)નું મુખ્ય ખનિજ. રાસા. બં. : 3NaAlSiO4·NaCl (3Na2Al2Si2O8·2NaCl); સિલિકા : 37.2 %; ઍલ્યુમિના : 31.6 %; સોડા 25.6 % અને ક્લોરિન : 7.3 % – જે મળીને કુલ 101.7 % થાય, પરંતુ (θ = 2Cl)ના 1.7 % બાદ કરતાં 100 % થઈ જાય…

વધુ વાંચો >