૨૪
સોઇન્કા, વોલથી સ્વોબોડા, લુડવિક
સોરોલા ઈ બાસ્ટિડા જોઆકીન
સોરોલા, ઈ બાસ્ટિડા જોઆકીન (Sorolla, Y Bastida Joaquin) [જ. 1865, વાલેન્ચિયા (Valencia), સ્પેન; અ. 1923] : સ્પૅનિશ રંગદર્શી ચિત્રકાર. માનવીના મૂળભૂત મનોભાવોને વાચા આપતાં લાગણીસભર ચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. પૅરિસ તથા રોમમાં કલા-અભ્યાસ કરીને તેમણે તેમનું પ્રથમ વૈયક્તિક ચિત્ર-પ્રદર્શન પૅરિસમાં 1906માં યોજ્યું હતું. તેમાં તેમનાં 500 ચિત્રો પ્રદર્શિત…
વધુ વાંચો >સોલન (સોલોન)
સોલન (સોલોન) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 05´થી 31° 15´ ઉ. અ. અને 76° 42´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 1,936 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ બિલાસપુર, ઈશાન તરફ મંડી, પૂર્વ તરફ સિમલા અને અગ્નિ…
વધુ વાંચો >સોલના
સોલના : સ્વીડનના મધ્ય-પૂર્વભાગમાં, સ્ટૉકહોમ પરગણામાં, સ્ટૉકહોમથી વાયવ્ય તરફ આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 22´ ઉ. અ. અને 18° 01´ પૂ. રે.. અહીં આઠમાથી દસમા સૈકાના, યુરોપના વેપારી-ચાંચિયાના કાળગાળાના પાષાણના અક્ષરો તથા ઘણાં દફનસ્થળો ધરાવતી પ્રાચીન વસાહત જોવા મળે છે. અહીંની જાણીતી ઇમારતોમાં બારમી સદીનું ચર્ચ, કાર્લબર્ગ મહેલ, અઢારમી…
વધુ વાંચો >સોલશર્મા પુરોહિત
સોલશર્મા પુરોહિત : ગુર્જરેશ્વર મૂલરાજ(ઈ. સ. 942થી 997)નો પુરોહિત. તે વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુળમાં જન્મેલ ઋગ્વેદી બ્રાહ્મણ હતો. તે પંડિતરત્ન ગણાતો હતો. તે મૂલરાજ 1લાનો રાજપુરોહિત બન્યા પછી ખૂબ પ્રસિદ્ધ થયો હતો. એના વંશજો સોલંકી રાજાઓના રાજપુરોહિત થયા હતા. સોલનો પુત્ર ભલ્લશર્મા ચામુંડરાજનો રાજપુરોહિત હતો. એનો પુત્ર મુંજ દુર્લભરાજનો…
વધુ વાંચો >સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone)
સોલહૉફેન ચૂનાખડક (Solnhofen Limestone) : જર્મનીના સોલહૉફેન વિસ્તારમાં પથરાયેલા ઊર્ધ્વ જુરાસિક (વ. પૂ. 19થી 13.6 કરોડ વર્ષ) કાળનો ખડકવિભાગ. અહીંના ઊર્ધ્વ જુરાસિક ખડકો જીવાવશેષયુક્ત છે અને પરવાળાંના ખરાબાથી બનેલા છે. જુરાસિક કાળ દરમિયાન તેમાં ખાડીસરોવરો અસ્તિત્વ ધરાવતાં હતાં. આ સરોવરોમાં ચૂનાયુક્ત નિક્ષેપો એકઠા થયે જતા હતા, જેમાંથી અતિસૂક્ષ્મ ચૂનાખડક તૈયાર…
વધુ વાંચો >સોલંકી માધવસિંહ
સોલંકી, માધવસિંહ (જ. 29 જુલાઈ 1927, પિલુદર, જંબુસર તાલુકો, ગુજરાત રાજ્ય) : ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકારણી. પિતા ફૂલસિંહ, માતા રામબા. સામાન્ય પારિવારિક સ્થિતિ અને પ્રતિકૂળ સંજોગો છતાં અભ્યાસના ઉત્સાહને કારણે તેમણે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી તેમજ કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી સનદ મેળવી. તેમણે કારકિર્દીના પ્રારંભે પત્રકાર…
વધુ વાંચો >સોલંકી યુગ
સોલંકી યુગ ગુજરાતમાં સોલંકી (ચૌલુક્ય) વંશના રાજાઓનો સમય. ઈ. સ. 942માં મૂળરાજ 1લાએ સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ 2જાના સમયમાં આશરે ઈ. સ. 1299માં તેનો અંત આવ્યો. રાજ્યતંત્ર : સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. આબુ અને ચંદ્રાવતી તથા માળવા અને…
વધુ વાંચો >સોલંકી રમણીકલાલ છગનલાલ
સોલંકી, રમણીકલાલ છગનલાલ (જ. 12 જુલાઈ 1931, રાંદેર) : પત્રકાર. માતા ઇચ્છાબહેન. પિતા છગનલાલ. એમનું બાળપણ રાંદેરમાં વીત્યું; પછી તેઓ અભ્યાસ અર્થે સૂરત ગયા. 1949માં આઇરિશ પ્રેસ્બિટેરિયન મિશન સ્કૂલમાંથી મૅટ્રિક થયા, એમ.ટી.બી. કૉલેજમાંથી અર્થશાસ્ત્રના વિષયમાં બી.એ. તથા સાર્વજનિક લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા. વિદ્યાર્થીકાળમાં જ તેઓ 1950–54માં રાંદેર વિદ્યાર્થી મંડળના પ્રમુખ…
વધુ વાંચો >સોલંકી વૃંદાવન
સોલંકી, વૃંદાવન (જ. 1947) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફેકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં જ્યોતિ ભટ્ટ અને ગુલામ મોહમ્મદ શેખ તેમના ગુરુ હતા. અભ્યાસ દરમિયાન બૉમ્બે આર્ટ સોસાયટીની એક વાર્ષિક ચિત્રહરીફાઈમાં ઇનામ મળતાં તેમનો આત્મવિશ્વાસ એટલો દૃઢ થયો કે…
વધુ વાંચો >સોલાપુર
સોલાપુર : મહારાષ્ટ્ર રાજ્યના પુણે વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 17° 41´ ઉ. અ. અને 75° 55´ પૂ. રે.ની આજુબાજુનો 14,886 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં અહમદનગર અને ઓસ્માનાબાદ જિલ્લો, પૂર્વમાં ઓસ્માનાબાદ જિલ્લો અને કર્ણાટક રાજ્યસીમા, દક્ષિણે કર્ણાટક રાજ્યસીમા…
વધુ વાંચો >સોઇન્કા વોલ
સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…
વધુ વાંચો >સોકોટો (નદી)
સોકોટો (નદી) : પશ્ચિમ આફ્રિકામાં આવેલા નાઇજિરિયા દેશના વાયવ્ય ભાગમાં વહેતી નદી. તે કેમ્બી નદીના નામથી પણ ઓળખાય છે. અહીંના ઉત્તર ભાગમાં આવેલા ઉચ્ચપ્રદેશ પરના ફુંતુઆની દક્ષિણેથી તે નીકળે છે અને પહોળો વળાંક લઈને ઉગ્ર સમુત્પ્રપાતો(escarpments)ની વચ્ચે ખીણો અને ખાઈઓના સપાટ તળભાગમાં થઈને આશરે 320 કિમી.ની લંબાઈમાં સોકોટો રાજ્યના સોકોટો…
વધુ વાંચો >સોકોત્રા (Socotra)
સોકોત્રા (Socotra) : હિંદી મહાસાગરમાં યમન દેશની દરિયાઈ સીમામાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 12 30´ ઉ. અ. અને 54.0 પૂ. રે. ઉપર સ્થિત છે. ગુઆરડાફૂઈ (Guardafui) ખાડી અને અરબી સમુદ્રની વચ્ચે આવેલો છે. સોકોત્રા દ્વીપસમૂહમાં સોકોત્રા ટાપુ સૌથી મોટો છે. જેનું ક્ષેત્રફળ 3,665 ચો.કિમી. છે. આ સિવાય બીજા ચાર…
વધુ વાંચો >સૉક્રેટિસ
સૉક્રેટિસ (જ. ઈ. પૂ. 469, ઍથેન્સ, ગ્રીસ; અ. 399) : અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતો ‘ભારતીય ઋષિ’ના બિરુદને પાત્ર મહાન તત્વજ્ઞાની. જેમ રાષ્ટ્રપિતા ગાંધીજીએ ‘મારું જીવન એ જ મારો સંદેશ છે.’ – એમ કહેલું, તેમ સૉક્રેટિસે પણ કહેલું : ‘મારું જીવન એ જ મારું તત્વજ્ઞાન છે’. વિચાર જીવનમાં જ પ્રતિબિંબિત થવા…
વધુ વાંચો >સોગંદનામું (affidavit)
સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ લેવાતું સહીવાળું લેખિત નિવેદન. સામાન્ય રીતે તે જ્યુડિશ્યિલ ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, મૅજિસ્ટ્રેટ, ન્યાયાધીશ કે નૉટરી અથવા અધિકૃત અધિકારી સમક્ષ લેવામાં આવતું હોય છે. આવું નિવેદન આપનારે તેમાં દર્શાવેલ હકીકતો સાચી…
વધુ વાંચો >સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)
સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…
વધુ વાંચો >સોચા જૂન સૂરતૂન (1990)
સોચા જૂન સૂરતૂન (1990) : સિંધી કવિ હરિકાંત-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ પુરસ્કૃત કાવ્યસંગ્રહની રચનાઓમાં બહુધા ભ્રમનિરસનનો ભાવ વણાયેલો છે; એ ઉપરાંત તેમાં આજના અસ્તવ્યસ્ત શહેરી જીવનમાંથી ઉદભવતી નવી સંકુલ સમસ્યાઓનું ચિત્રણ છે. મોટા ભાગનાં કાવ્યોમાં વેધક રાજકીય કટાક્ષનો આક્રોશ છે. તેમની…
વધુ વાંચો >સોજિત્રા
સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…
વધુ વાંચો >સોઝ હીરાનંદ
સોઝ, હીરાનંદ [જ. 19 મે 1922, જિ. મિયાંવાલી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂ લેખક અને કવિ. તેઓ ઉત્તર રેલવેમાંથી સેવાનિવૃત્ત થયા. ત્યાર બાદ લેખનપ્રવૃત્તિ આરંભી. 1994માં હરિયાણા ઉર્દૂ અકાદમીની કાર્યકારી સમિતિના સભ્ય તેમજ ફરીદાબાદની અંજુમન-અદબના સેક્રેટરી રહ્યા. તેમણે ઉર્દૂમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાગઝ કી દીવાર’ (1960), ‘સાહિલ, સમુન્દર ઔર…
વધુ વાંચો >સોડરબ્લૉમ લાર્સ એલૉફ નાથન (જોનાથન)
સોડરબ્લૉમ, લાર્સ એલૉફ નાથન (જોનાથન) (જ. 15 જાન્યુઆરી 1866, ટ્રોનો, સ્વીડન; અ. 12 જુલાઈ 1931, ઉપસાલા, સ્વીડન) : સ્વીડિશ ધર્મગુરુ, લુથેરન ખ્રિસ્તી દેવળના મુખ્ય બિશપ, અગ્રણી ધર્મશાસ્ત્રી તથા ખ્રિસ્તી દેવળોની એકતા મારફત આંતરરાષ્ટ્રીય સમજણ વિસ્તારવાનો સઘન પ્રયાસ કરવા બદલ 1930 વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. ખ્રિસ્તી સંપ્રદાયોની એકતા તથા…
વધુ વાંચો >