૨૩.૧૭
સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)થી સીઝર, જુલિયસ
સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)
સિંધુ–ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains) : સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો. પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર અને ભૌગોલિક દૃષ્ટિએ જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર ત્રણ સ્પષ્ટ એકમો(વિભાગો)નો બનેલો છે : (1) શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચપ્રદેશ. (2) ભારતની પશ્ચિમે, ઉત્તરે અને પૂર્વમાં…
વધુ વાંચો >સિંધુ-ગંગાનું ગર્ત
સિંધુ–ગંગાનું ગર્ત : જુઓ સિંધુ-ગંગાનાં મેદાનો.
વધુ વાંચો >સિંધુદુર્ગ
સિંધુદુર્ગ : મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ છેડે કોંકણ-વિભાગમાં દરિયાકાંઠે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 30´ ઉ. અ. અને 73° 20´થી 74° 10´ પૂ. રે. વચ્ચેનો 5,222 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રત્નાગિરિ જિલ્લો, પૂર્વમાં કોલ્હાપુર જિલ્લો, અગ્નિકોણમાં બેલગામ (કર્ણાટક) જિલ્લો, દક્ષિણે ગોવા રાજ્ય તથા…
વધુ વાંચો >સિંધુ, પી. વી.
સિંધુ, પી. વી. (જ. 5 જુલાઈ 1995, હૈદરાબાદ) : બૅડમિન્ટનના જાણીતા ખેલાડી. પિતાનું નામ પી. વી. રામન્ના અને માતાનું નામ પી. વિજયા. વૉલીબૉલ ખેલાડી માતા-પિતાની સંતાન સિંધુનું બાળપણ હૈદરાબાદમાં જ પસાર થયું. સિંધુના પિતા 1986થી એશિયન ગેઇમ્સમાં ભારતીય વૉલીબૉલ ટીમના સભ્ય હતા. તેમની ટીમે બ્રૉન્ઝ મેડલ પણ જીત્યો હતો. ખેલકૂદમાં…
વધુ વાંચો >સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000)
સિંધુરાજ (શાસનકાળ લગભગ ઈ. સ. 995-1000) : પરમાર વંશનો માળવાનો રાજા. મુંજ પછી તેનો નાનો ભાઈ સિંધુરાજ ઉર્ફે સિંધુલ માળવાની ગાદીએ બેઠો. તેણે ‘કુમારનારાયણ’ તથા ‘નવસાહસાંક’ ખિતાબો ધારણ કર્યા હતા. કલ્યાણીના ચાલુક્ય વંશના રાજા સત્યાશ્રયને તેણે પરાજય આપ્યો અને પરમારોએ ગુમાવેલાં રાજ્યો પોતાના અંકુશ હેઠળ લઈ લીધાં. સિંધુરાજે નાગવંશના રાજાને…
વધુ વાંચો >સિંહ (Panthera leo)
સિંહ (Panthera leo) : ‘સાવજ’, ‘કેસરી’ અને ‘વનરાજ’ના નામે જગપ્રસિદ્ધ શિકારી પ્રાણી. આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. તેનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું જંગલ સૂકું કંટકવન (thorny forest) કે પાનખર ઝાંખરાયુક્ત જંગલ (deciduous shruby forest) છે. ઈ. પૂ. 6000માં ભારતમાં સ્થાયી થયેલ આ સ્થાનાંતર કરતી જાતિ છે.…
વધુ વાંચો >સિંહ, ઈ. નીલકાંત
સિંહ, ઈ. નીલકાંત (જ. 1928) : મણિપુરી ભાષાના સાહિત્યકાર. તેમની કૃતિ ‘તીર્થયાત્રા’ને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તત્વજ્ઞાનના વિષયમાં એમ.એ. ઉપરાંત તેઓ કાયદાના સ્નાતક પણ છે. 1953થી 1971 સુધી તેમણે ઇમ્ફાલની ડી.એમ. કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે મણિપુર રાજ્ય કલા અકાદમીના સચિવ (1972-78) તથા મણિપુર…
વધુ વાંચો >સિંહ એમ. નવકિશોર
સિંહ, એમ. નવકિશોર (જ. 1940, હિયંગલમ્ માયાઈ લીકાઈ, મણિપુર) : મણિપુરી વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પાંગલ શોનબી ઐશે એદોમગીનિ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ. તથા બી.ટી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. મણિપુરની ઘણી સરકારી હાઈસ્કૂલો તથા માધ્યમિક શાળાઓમાં અધ્યાપનકાર્ય કર્યા પછી તેઓ…
વધુ વાંચો >સિંહ એ. મિનાકેતન
સિંહ, એ. મિનાકેતન (જ. 1906, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરી કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અસૈબાગી નિનાઇપોડ’ (1976) માટે 1977ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 1930માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ શાળા તથા યુનિવર્સિટી કક્ષાએ સતત 41 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ ઇમ્ફાલ ખાતે…
વધુ વાંચો >સિંહ ખુમનથેમ પ્રકાશ
સિંહ, ખુમનથેમ પ્રકાશ (જ. 1937, સાગોલબંદ મીનો લેરક, ઇમ્ફાલ) : જાણીતા મણિપુરી કવિ. વિશેષત: ઊર્મિકાવ્યના રચયિતા અને વાર્તાકાર. તેઓ ‘તમો પ્રકાશ’ તરીકે ખૂબ જાણીતા છે. તેમણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત શાળાના શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1960માં તેઓ આકાશવાણીમાં જોડાયા અને હાલ (2001) તેઓ જવાહરલાલ નેહરુ…
વધુ વાંચો >સિંહ, (ડૉ.) મનમોહન
સિંહ, (ડૉ.) મનમોહન (જ. 26 સપ્ટેમ્બર 1932, ગાહ, પંજાબ (હાલ પાકિસ્તાનમાં); અ. 26 ડિલેમ્બર 2024, નવી દિલ્હી) : વિદ્વાન અધ્યાપક, અર્થશાસ્ત્રી, ભારતમાં આર્થિક ઉદારીકરણની ની પ્રખર પુરસ્કર્તા અને ભારતના પૂર્વ નાણામંત્રી અને વડાપ્રધાન. તેઓ વડાપ્રધાન તરીકે પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ફરીથી ચૂંટાયા હોય તેવા જવાહરલાલ નહેરુ પછીના પહેલા વડાપ્રધાન…
વધુ વાંચો >સિંહ રાશિ/સિંહ તારામંડળ
સિંહ રાશિ/સિંહ તારામંડળ (Leo) : – બાર રાશિઓ પૈકીની પાંચમી રાશિ. સિંહ રાશિના તારા ઘણી સહેલાઈથી દેખી શકાય તેવા હોઈ આકાશમાં આ તારામંડળ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. આકાશમાં યથાનામ આકૃતિ ધરાવતાં જે થોડાંઘણાં તારામંડળો (અથવા રાશિઓ) છે તેમાં સિંહનું નામ પણ આવે. તેનામાં સિંહ જેવો આકાર સહેલાઈથી ઊપસી આવતો…
વધુ વાંચો >સિંહલ
સિંહલ : લાળ દેશનો રાજા. શ્રીલંકાના પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત વર્ણવતા દીપવંસમાં જણાવ્યા મુજબ વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિંહબાહુ નામે પુત્ર અને સીવલી નામે પુત્રી જન્મ્યાં. સિંહબાહુ સોળ વર્ષનો થતાં સિંહની ગુફામાંથી નાસી ગયો. તેણે લાળ દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું અને ત્યાં રાજ્ય કરવા લાગ્યો. મહાવંસમાં…
વધુ વાંચો >સિંહ, લાલજી
સિંહ, લાલજી (ડૉ.) (જ. 5 જુલાઈ 1947, જૌનપુર, ભારત; અ. 10 ડિસેમ્બર 2017, વારાણસી, ઉત્તરપ્રદેશ, ભારત) : સેન્ટર ફોર સેલ્યુલર ઍન્ડ મોલેક્યુલર બાયૉલૉજી, હૈદરાબાદના નિર્દેશક. તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસીથી એમ.એસસી. તથા પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ લિંગ-નિર્ધારણ કે અણુ-જૈવિક આધાર, ડી.એન.એ. અંગુલિછાપ (finger-print), માનવપ્રકૃતિ વિશ્લેષણ, વન્યજીવ ન્યાયિક વિજ્ઞાન અને…
વધુ વાંચો >સિંહ લૈશરામ સમરેન્દ્ર
સિંહ, લૈશરામ સમરેન્દ્ર (જ. 1925) : પ્રતિષ્ઠિત મણિપુરી કવિ અને ચિત્રકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મમાન્ગ લેઇકાઇ થામ્બલ શાતલે’ (1974) માટે 1976ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે 1948માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવીને અધ્યાપનકાર્ય શરૂ કર્યું. પછી ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ઑવ્ સ્કૂલ્સ બન્યા. ત્યારબાદ મણિપુર સરકારમાં કળા, સંસ્કૃતિ…
વધુ વાંચો >સિંહ, (જનરલ) વી. કે.
સિંહ, (જનરલ) વી. કે. (જ. 10 મે, 1951, પૂણે) : ભારતીય સેનાના પૂર્વ ફોર-સ્ટાર જનરલ અને ગાઝિયાબાદ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ. સૈન્ય અધિકારીમાંથી રાજકારણના મેદાનમાં ઉતરેલા પૂર્વ ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ વિજય કુમાર સિંહ હાલ મિઝોરમના રાજ્યપાલ છે. કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં રાજ્યકક્ષાના માર્ગપરિવહન અને રાજમાર્ગમંત્રી તથા રાજ્યકક્ષાના નાગરિક…
વધુ વાંચો >સિંહ શિવ પ્રસાદ
સિંહ, શિવ પ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1928, જલાલપુર, જિ. વારાણસી, ઉત્તરપ્રદેશ; અ. 28 સપ્ટેમ્બર 1998) : હિંદી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને વિવેચક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી બી.એ., એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી હતી. પછી તેઓ તે યુનિવર્સિટીમાં હિંદીના પ્રાધ્યાપક અને પછી વિભાગના વડા બન્યા અને એ પદેથી 1988માં સેવાનિવૃત્ત થયા.…
વધુ વાંચો >સિંહ શિવમંગલ ‘સુમન’
સિંહ, શિવમંગલ ‘સુમન’ (જ. 5 ઑગસ્ટ 1915, ઝગરપુર, જિ. ઉન્નાવ, ઉ. પ્ર.; અ. ?) : હિંદી કવિ. તેમણે 1940માં એમ.એ. અને 1950માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સની પદવી મેળવી હતી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘મિટ્ટી કી બારાત’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમનું તખલ્લુસ…
વધુ વાંચો >સિંહ શિવાંગી
સિંહ શિવાંગી (જ. 15 માર્ચ 1995, ફતેહાબાદ, મુઝફ્ફરપુર, બિહાર) : રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડનાર પ્રથમ અને એકમાત્ર મહિલા પાઇલટ. પિતા હરિ ભૂષણ સિંહ અને માતા પ્રિયંકા સિંહ. તેણે ગંગટોકની સિક્કિમ મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટૅક્નૉલૉજીની પદવી મેળવી. તેણે જયપુરમાં માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં વધુ અભ્યાસ…
વધુ વાંચો >સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ)
સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ) : પંજાબી સાહિત્યને લગતી ચળવળ. હિંદુઓના મુખ્ય સમુદાયમાંથી શીખોને જુદા તારવી શકાય તેવી તેમની ધાર્મિક અને સામાજિક જીવનની વિશેષતાઓને પ્રગટ કરીને તેમની આગવી ઓળખ ઊભી કરવાનો આ ચળવળનો ઉદ્દેશ હતો. આ નવી શીખ સંસ્કૃતિના માધ્યમ તરીકે પરંપરાગત હિંદી તથા ઉર્દૂને બદલે પંજાબી ભાષા અપનાવવાનું આવશ્યક ગણવામાં…
વધુ વાંચો >