ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સંદેશક રાસ (ચૌદમી સદી)

Jan 22, 2007

સંદેશક રાસ (ચૌદમી સદી) : અબ્દુર રહેમાન નામના મુસ્લિમ કવિ દ્વારા ઉત્તર ગૌર્જર અપભ્રંશકાળમાં, ચારણી ડિંગળની પૂર્વભૂમિકારૂપ ‘અવહ’ પ્રકારની અપભ્રંશ ભાષામાં રચાયેલી વિપ્રલંભ શૃંગારની એક વિશિષ્ટ કાવ્યકૃતિ. મૂળમાં તો તાળી કે દાંડિયાના તાલ સાથે રાસ રમાતા ને ખેલાતા. પછી આ રાસ રમતાં જેનું ગાન થાય તેવી રચના પણ ‘રાસ’ કહેવાવા…

વધુ વાંચો >

સંદેશાવ્યવહાર (communication)

Jan 22, 2007

સંદેશાવ્યવહાર (communication) : સંદેશાને કે સંકેતો(signals)ને એક સ્થળેથી અન્ય સ્થળે મોકલવાની અને તેને ઝીલવાની પ્રક્રિયા. સંદેશવહનમાં કોઈ વ્યક્તિ જૂથ કે સંસ્થા પ્રેષક (sender) હોય છે અને કોઈ અન્ય વ્યક્તિ જૂથ કે સંસ્થા તેને ગ્રહણ કરનાર (ઝીલનાર, receiver) હોય છે. મોટાભાગે સંદેશાનું ઉદ્ગમસ્થાન અવાજના તરંગો, પ્રકાશનાં કિરણો કે વીજાણુકીય (electronic) સંકેતો…

વધુ વાંચો >

સંદેશાવ્યવહાર

Jan 22, 2007

સંદેશાવ્યવહાર : બે વ્યક્તિ વચ્ચે સંજ્ઞા, મુદ્રા કે શ્રાવ્ય ભાષા દ્વારા થતી વિચારો કે સૂચનાની આપ-લે. આ વિષયમાં ભાષા, વાણી, લેખન, સંજ્ઞા વગેરે સંદેશાવ્યવહાર માટેનાં માધ્યમનો ઉપયોગ મહત્ત્વનો છે. દા.ત., ટપાલ-વ્યવસ્થા પણ સંદેશાવ્યવહારનું એક અગત્યનું સાધન છે. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસને કારણે સંદેશાવ્યવહાર ઉપર નોંધપાત્ર અસર થઈ છે; જેમાં શરૂઆતમાં…

વધુ વાંચો >

સંદેશાવ્યવહાર-વાહિની

Jan 22, 2007

સંદેશાવ્યવહાર–વાહિની વીજચુંબકીય તરંગો વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશા મોકલવા માટેનું ઉપકરણ (પદ્ધતિ). આજના યુગમાં કમ્પ્યૂટર, રેડિયો, ટી.વી., ફૅક્સ, ટેલિફોન, મોબાઇલ ફોન જેવા ટેલિકૉમ્યુનિકેશનનાં ઉપકરણોનો વ્યાપ વધ્યો છે. આ ઉપકરણો માહિતી મોકલવા માટે સંકેત(signal)નો ઉપયોગ કરે છે. આ સંકેતોને એક ઉપકરણથી બીજા ઉપકરણમાં મોકલવા માટે વીજચુંબકીય (electromagnetic) તરંગોનો ઉપયોગ થાય…

વધુ વાંચો >

સંદેહવાદ (સંશયવાદ)

Jan 22, 2007

સંદેહવાદ (સંશયવાદ) : જ્ઞાનની શક્યતા કે નિશ્ચિતતા કે બંને વિશે કાયમી કે અલ્પસ્થાયી સંદેહ વ્યક્ત કરતો તત્ત્વજ્ઞાનનો મત. બીજી સદીના ચિન્તક સેક્સટસ એમ્પિરિક્સ મુજબ, સંદેહવાદી ચિન્તક (sceptic) મૂળ તો સમીક્ષક છે, સત્યશોધક છે, જિજ્ઞાસુ છે. સમીક્ષા પછી, શોધતપાસ પછી પણ તેને જો સમજાય કે તત્ત્વજ્ઞાનમાં પ્રવર્તતા જુદા જુદા મતમાંથી કોઈ…

વધુ વાંચો >

સંધાન

Jan 22, 2007

સંધાન : જુઓ વેલ્ડિંગ.

વધુ વાંચો >

સંધાનપેશી (connective tissue)

Jan 22, 2007

સંધાનપેશી (connective tissue) : શરીરની આધારદાયી પેશી. તેને અંતરાલીય (interstitial) પેશી પણ કહે છે. તેમાં તંતુઓ, દલદાર દ્રવ્ય (ground substance) અને વિવિધ પ્રકારના કોષો હોય છે. તે જે તે અવયવના મુખ્યકોષોને બરાબર બાંધીને રાખે છે. તેમાં સામાન્ય રીતે ઘણી નસો હોય છે અને તેથી તેમાં પુષ્કળ લોહીનું વહન થાય છે.…

વધુ વાંચો >

સંધિ

Jan 22, 2007

સંધિ : સામાન્ય રીતે બે અથવા વધુ સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે સ્વીકૃત થયેલ અને ઔપચારિક રીતરસમ દ્વારા અધિકૃત સત્તામંડળે માન્ય (ratified) રાખવામાં આવેલ લેખિત સુલેહનામું. એને અનેક નામો અપાયાં છે; જેવાં કે કન્વેન્શન, પ્રોટોકૉલ, કૉવેનન્ટ, ચાર્ટર, પૅક્ટ, સ્ટેચ્યૂટ, ઍક્ટ, ડેક્લેરેશન, એક્સચેન્જ ઑવ્ નોટ્સ, ઍગ્રીડ મિનિટ્સ અને મેમોરૅન્ડમ ઑવ્ ઍગ્રીમેન્ટ. આવી સંધિઓમાંથી…

વધુ વાંચો >

સંધિ

Jan 22, 2007

સંધિ : વ્યાકરણશાસ્ત્રનો એક અગત્યનો ખ્યાલ. બે પદોને સાથે બોલવા જતાં આગલા પદને છેડે રહેલા સ્વર કે વ્યંજન સાથે પાછળના પદના આરંભમાં આવતા સ્વર કે વ્યંજનના જોડાણથી ધ્વનિમાં જે ફેરફાર થાય તેને સંધિ કહેવાય. પાણિનિ તેને ‘સંહિતા’ એવા નામથી પણ ઓળખે છે, કારણ કે તેમાં બે સ્વરો, બે વ્યંજનો અથવા…

વધુ વાંચો >

સંધિકાવ્ય

Jan 22, 2007

સંધિકાવ્ય : અપભ્રંશ ભાષાનો કાવ્યપ્રકાર. આચાર્ય હેમચંદ્રના સમયથી અપભ્રંશ યુગનું સમાપન અને નવ્ય ભારતીય ભાષાઓનો ઉદય દૃષ્ટિગોચર થાય છે. અપભ્રંશ ભાષા ઉપર તત્કાલીન લોકભાષાનો પ્રભાવ વધવાને કારણે ઉત્તરકાલીન અપભ્રંશ અથવા આદ્ય ગુર્જર ભાષામાં રાસ, ફાગુ, ચર્ચરી, ચૌપઈ, સંધિ આદિનું સર્જન થયેલું જોવા મળે છે. આમાંનું સંધિકાવ્ય બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ અપભ્રંશ…

વધુ વાંચો >