ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સંવાદી અંતર્ભેદકો (concordant intrusions)

સંવાદી અંતર્ભેદકો (concordant intrusions) : પ્રાદેશિક સ્તરઅનુવર્તી વલણ મુજબનો અંતર્ભેદકોનો સામૂહિક પ્રકાર. મૅગ્માજન્ય અંતર્ભેદનો જ્યારે પ્રાદેશિક ખડકસ્તરોના સ્તર-નિર્દેશન(strike)ના વલણને અથવા પત્રબંધી સંરચનાને સમાંતર ગોઠવાય ત્યારે તેમને સંવાદી અંતર્ભેદકો કહે છે. આકાર, કદ અને વલણ મુજબ તેમનાં વિશિષ્ટ નામ અપાય છે. આ સામૂહિક પ્રકારમાં સિલ, લૅકોલિથ, લોપોલિથ, ફૅકોલિથ જેવાં અંતર્ભેદકોનો સમાવેશ…

વધુ વાંચો >

સંવૃદ્ધિકરણ સજ્જીકરણ

સંવૃદ્ધિકરણ સજ્જીકરણ : જુઓ અભિવૃદ્ધિ.

વધુ વાંચો >

સંવેગ (momentum)

સંવેગ (momentum) : પદાર્થના દળ અને તેના વેગનો ગુણાકાર. તેને ગતિના જથ્થા (quantity) તરીકે પણ, ગણી શકાય છે. વેગની જેમ સંવેગ પણ સદિશ રાશિ છે. સંવેગ વેગની દિશા ધરાવે છે. સંવેગ જેનો એકમ કિલોગ્રામ – અને પારિમાણિક સૂત્ર MLT–1 છે. વધુ સ્પષ્ટતા ખાતર આ પ્રકારના સંવેગને રેખીય સંવેગ (linear momentum) કહે…

વધુ વાંચો >

સંવેગરંગસાલા

સંવેગરંગસાલા : જિનચંદ્રસૂરિએ 1068માં રચેલો કથાત્મક ગ્રંથ. ‘નવાંગવૃત્તિ’કાર અભયદેવસૂરિના શિષ્ય જિનવલ્લભસૂરિએ તેનું સંશોધન કર્યું છે. આ કૃતિમાં સંવેગભાવનું મુખ્ય પ્રતિપાદન છે અને તે શાંત રસથી ભરપૂર છે. અહીંયાં કહ્યું છે કે દીર્ઘકાળ સુધી તપશ્ર્ચર્યા કરી હોય કે ચારિત્ર્ય પાળ્યું હોય કે ઊંડો શાસ્ત્રાભ્યાસ કર્યો હોય; પરંતુ જો જીવમાં સંવેગરસ-વૈરાગ્ય ન…

વધુ વાંચો >

સંવેગ-સંરક્ષણ (Conservation of Momentum)

સંવેગ–સંરક્ષણ (Conservation of Momentum) : સંવેગ-(વેગમાન)ના અચળત્વનો સિદ્ધાંત (ખ્યાલ). ગતિશાસ્ત્ર-(dynamics)ના મૂળભૂત નિયમને કારણે એકમ સમયદીઠ તંત્રના કુલ વેગમાનનો ફેરફાર તેના ઉપર લાગતાં બળોના સરવાળા બરાબર થાય છે. પદાર્થ કે કણોના તંત્ર બાબતે, પ્રતિક્રિયાના સિદ્ધાંત મુજબ, આંતરિક બળો અંદરોદર એકબીજાંને નાબૂદ કરે છે. આથી વેગમાનના ફેરફારમાં આવાં બળો કોઈ જ ભાગ…

વધુ વાંચો >

સંવેદનવંચિતતા (sensory deprivation)

સંવેદનવંચિતતા (sensory deprivation) : એક કે વધુ સંવેદના-ઇન્દ્રિયો(જ્ઞાનેન્દ્રિય)ને મળતી ઉત્તેજનાઓને નિર્ણયપૂર્વક (deliberately) ઘટાડવી કે દૂર કરવી તે. આંખે પાટો બાંધવો કે કાનમાં પૂમડાં નાખવાં એ જોવાની અને સાંભળવાની ઇન્દ્રિયોને તેમને માટેની ઉત્તેજનાઓથી અલગ પાડવાની સાદી રીતો છે. વધુ સંકુલ સંયોજનાઓ(devices)માં ગંધ, સ્પર્શ, સ્વાદ, ઉષ્મા-સંવેદના (thermoception) તથા ગુરુત્વાકર્ષણ અંગેની સંવેદનાને પણ…

વધુ વાંચો >

સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training)

સંવેદનશીલતા અને સંવેદનશીલતાની તાલીમ (Sensitivity and Sensitivity Training) : સંવેદનશીલતાના બે અર્થ થાય છે : (1) મનુષ્ય સહિત સર્વ પ્રાણી-જાતિઓને લાગુ પડતો જૈવ અર્થ, અને (2) માત્ર માનવોને લાગુ પડતો આંતર-વૈયક્તિક અર્થ. પહેલા અર્થ પ્રમાણે સંવેદનશીલતા એટલે મનુષ્યોનાં અને પ્રાણીઓનાં ઉદ્દીપકો ઝીલીને તેમાંથી યથાર્થ સંવેદનો પ્રાપ્ત કરવાની અને તેમાં રહેલા…

વધુ વાંચો >

સંવેદના અને સંવેદનાગ્રાહી અંગો

સંવેદના અને સંવેદનાગ્રાહી અંગો આંતરિક અને બાહ્ય પર્યાવરણમાં થતા ફેરફારોની અસરથી ઉત્તેજના પામી મનુષ્ય અને અન્ય પ્રાણીઓની શરીર દ્વારા દર્શાવાતી પ્રતિક્ષિપ્ત લાગણીની પ્રક્રિયા કે અનુભૂતિ. આ અનુભૂતિ શરીરની બહાર શ્રવણ, દૃષ્ટિ, ઘ્રાણ, સ્વાદ કે સ્પર્શથી થાય છે; જ્યારે શરીરની અંદર હલનચલન, શરીરની સમતુલા, ભૂખ, રુચિ, વેદના, તૃષા વગેરેથી થાય છે.…

વધુ વાંચો >

સંવેદનો (sensations)

સંવેદનો (sensations) : ઉદ્દીપકો (stimuli) દ્વારા જ્ઞાનેન્દ્રિયોમાં તાત્કાલિક ઊપજતા મૂળભૂત અનુભવો. પ્રકાશનાં કિરણોરૂપી ઉદ્દીપકો આંખોમાં દૃશ્યના અનુભવો ઉપજાવે છે. અવાજનાં મોજાંરૂપી ઉદ્દીપકો કાનોમાં અવાજના અનુભવો ઉપજાવે છે. જીભની લાળમાં ભળેલા આહારના અને બીજા રાસાયણિક કણો જીભને વિવિધ સ્વાદ-સંવેદનો આપે છે. હવામાં ભળીને નાકના પોલાણમાં પ્રવેશેલા રસાયણના સૂક્ષ્મ કણો સુગંધ કે…

વધુ વાંચો >

સંશોધન (Research)

સંશોધન (Research) જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રે તથ્યો ને સત્યોની ખોજ માટેની સ્વાધ્યાયમૂલક પ્રક્રિયા પર અવલંબતી પ્રવૃત્તિ; જેમાં અજ્ઞાતને જ્ઞાત કરવાની, અશુદ્ધને શુદ્ધ કરવાની, અસ્પષ્ટને સ્પષ્ટ કરવાની, ક્રમહીનને ક્રમબદ્ધ કરવાની, પ્રાચીનનું નવીન સાથે અનુસંધાન કરવાની, જે તે સંશોધનવિષયનું દેશકાળ કે પરિસ્થિતિના બદલાતા સંદર્ભમાં અર્થઘટન, અર્થવિસ્તાર, પુનર્મૂલ્યાંકન વગેરે કરી તેને છેવટનો ઓપ આપવાની, તેની…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >