ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સંઘાત-સિદ્ધાંત (પ્રક્રિયા-દરનો) (collision theory of reaction rates)

સંઘાત–સિદ્ધાંત (પ્રક્રિયા–દરનો) (collision theory of reaction rates) : રાસાયણિક પ્રક્રિયાના દરની, ખાસ કરીને પ્રાથમિક (elementary) વાયુ-પ્રાવસ્થાકીય (gas phase) પ્રક્રિયાના દરને અણુઓ વચ્ચેના અસરકારક (effective) સંઘાત (collisions) સાથે સાંકળી લઈ, આગાહી કરતો સિદ્ધાંત. આ સિદ્ધાંત આર્હેનિયસ સમીકરણના ઉદ્ગમ (origin) માટેનું સૈદ્ધાંતિક માળખું પૂરું પાડે છે. સિદ્ધાંત એ અનુમાન પર આધારિત છે…

વધુ વાંચો >

સંચય-ખડક (Reservoir rock)

સંચય–ખડક (Reservoir rock) : જળ કે ખનિજતેલ જેવાં પ્રવાહીઓ અથવા કુદરતી વાયુનો સંચય કરી શકે તેમજ જાળવી શકે એવા ખડકો. આવા સંચય-ખડકો સામાન્ય રીતે સ્તરોની સ્થાનિક વિરૂપતાને કારણે અથવા સછિદ્રતામાં ફેરફારો થવાને કારણે અથવા અંતર્ભેદકોના અવરોધને કારણે તૈયાર થતા હોય છે. લક્ષણો : પર્યાપ્ત સછિદ્રતાવાળા અને પારગમ્યતાવાળા ખડકો જ સંચય-ખડકો…

વધુ વાંચો >

સંચાર ફિલ્મ કો-ઑપરેટિવ સોસાયટી લિ.

સંચાર ફિલ્મ કો–ઑપરેટિવ સોસાયટી લિ. : સહિયારો પ્રયાસ કરીને ચલચિત્રનિર્માણ કરવા રચાયેલી ગુજરાતની એકમાત્ર સંસ્થા. આ સંસ્થાની રચના ચલચિત્રનિર્માણમાં રસ ધરાવતા કેટલાક યુવાનોએ કરી હતી, જેમાં દિગ્દર્શક કેતન મહેતાનો પણ સમાવેશ થતો હતો; પણ, એ દિવસોમાં કેતન મહેતાએ હજી કારકિર્દીનો પ્રારંભ જ કર્યો હતો. અમદાવાદ ખાતેના ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને’…

વધુ વાંચો >

સંચાલકીય સંચારવ્યવસ્થા (management coummuni-cation)

સંચાલકીય સંચારવ્યવસ્થા (management coummuni-cation) : પેઢી અથવા જૂથે પોતાના અંદરોઅંદરના સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે વિકસાવેલી તંત્રરચના. પ્રત્યેક પેઢી તેના જુદા જુદા એકમો વચ્ચે માહિતીના સુગ્રથિત સંચાર માટે એવી વ્યવસ્થા (system) વિકસાવે છે કે જેથી સંચાલકોને નિર્ણયો લેવા, અમલ કરવા અને અંકુશ મૂકવામાં જરૂરી સહાય મળે. આ પ્રકારની સંચાલકીય સંચારવ્યવસ્થા હેઠળ વિવિધ…

વધુ વાંચો >

સંચાલન (management)

સંચાલન (management) : પેઢી અથવા સંસ્થાના અધિકારી દ્વારા નિયુક્ત કાર્ય જાતે કરવાને બદલે પોતાના હાથ નીચેની વ્યક્તિઓ પાસે કરાવીને પેઢીનું અથવા સંસ્થાનું પૂર્વનિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવાની કુશળતા. વિશાળ કદની પેઢી અથવા સંસ્થામાં અનેક કર્મચારીઓ અને શ્રમજીવીઓ કામ કરતા હોય છે. તેમની પાસે વ્યવસ્થિત અને અસરકારક રીતે કામ કરાવીને સંચાલક ઉત્પાદનનાં…

વધુ વાંચો >

સંચાલનીય અંકુશ

સંચાલનીય અંકુશ : કોઈ પણ ધંધાકીય કે બિનધંધાકીય સંગઠનમાં સત્તાની સોંપણીને આધારે સંચાલકો દ્વારા સતત ચકાસણીનું અને કાબૂ કેળવવાનું કાર્ય. તે વ્યક્તિના જૂથના કે વ્યવસ્થાતંત્રના વર્તન ઉપર અસર પાડવાની પ્રક્રિયા છે. તે લક્ષ્ય નક્કી કરવાની, સાધનો મેળવવાની, સંકલન કરવાની, સહકારવૃત્તિને ઉત્તેજન આપવાની, માહિતીસંચાર જાળવવાની, વિવિધ કાર્યો વચ્ચે સમતુલા જાળવવાની અને…

વધુ વાંચો >

સંચિત થાપણ (Reserve Deposit)

સંચિત થાપણ (Reserve Deposit) : વેપારી બૅન્કો દ્વારા મધ્યસ્થ બૅન્કમાં મૂકવામાં આવતી ચોક્કસ રકમની થાપણ. વેપારી બૅન્કોએ તરલતા અને નફાકારકતા વચ્ચે સતત સમતુલા સાધવાની હોય છે. બૅન્કો જો તરલતા વધારે રાખે તો થાપણદારો, શૅરહોલ્ડરો અને જાહેર જનતાને પોતાની સલામતીની ખાતરી આપે છે; પરંતુ નફો ઓછો થઈ જાય છે. બૅન્કો જો…

વધુ વાંચો >

સંચિત મૂડી (Reserve Capital)

સંચિત મૂડી (Reserve Capital) : કંપનીએ બહાર પાડેલી મૂડી(issued capital)માંથી શૅરહોલ્ડરોએ ભરવાપાત્ર મૂડી(subscribed capital)ના જે શૅરો હોય તેમની પૂરેપૂરી દર્શાવેલી રકમ (face value) ન મંગાવતાં સંચાલકો આંશિક રકમ જ મંગાવે તેવા સંજોગોમાં નહિ મંગાવેલી મૂડી (uncalled capital). મર્યાદિત જવાબદારીવાળી મંડળીઓ શૅરહોલ્ડરો પાસેથી મૂડી એકત્રિત કરે છે. તેની પ્રક્રિયાના જુદા જુદા…

વધુ વાંચો >

સંજય

સંજય : મહાભારત અનુસાર ધૃતરાષ્ટ્રનો સારથિ અને પરામર્શદાતા. તે સૂત જાતિમાં ઉત્પન્ન થયો હતો. તે વેદવ્યાસનો કૃપાપાત્ર અને શ્રીકૃષ્ણનો ભક્ત હતો. દુર્યોધનના અત્યાચારોનો એ વિરોધ કરતો રહ્યો. એણે યુધિષ્ઠિર અને ધૃતરાષ્ટ્રને યુદ્ધ રોકવાની સલાહ આપી હતી. પાંડવો ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળવાથી શાંતિને માટે સમ્મત હતા પરંતુ કૌરવો માન્યા નહિ. તેણે ધૃતરાષ્ટ્રને…

વધુ વાંચો >

સંજાણ સંજ્જાન

સંજાણ – સંજ્જાન : હાલના દક્ષિણ ગુજરાતમાં આવેલ એક પ્રાચીન વહીવટી વિભાગ. રાષ્ટ્રકૂટ વંશના અમોઘવર્ષ 1લાના સંજાણમાંથી મળેલાં પતરાંનાં ઈ. સ. 871ના દાનશાસનનો ‘સંજ્જાન પત્તન’ તરીકેનો તથા તે વહીવટી વિભાગ હોય એવો ‘સંજાણ’ પાસેની ચોવીસી વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રકૂટ વંશના રાજા ઇંદ્રરાજ 3જાના ઈ. સ. 926ના દાનશાસનમાં જણાવ્યા…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >