ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સંકલ્પસ્વાતંત્ર્ય

સંકલ્પસ્વાતંત્ર્ય : સંકલ્પસ્વાતંત્ર્ય વિરુદ્ધ નિયતિવાદની સમસ્યા તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ જ વિવાદાસ્પદ બની રહેલી છે. ન્યૂટનના ભૌતિક વિજ્ઞાનની અસર હેઠળ આધુનિક વિજ્ઞાન પ્રકૃતિની હેતુવાદી સમજૂતી આપવાને બદલે યંત્રવાદી સમજૂતી આપે છે. યંત્રવાદ, ભૌતિકવાદ, કાર્ય-કારણ પર આધારિત નિયતિવાદ અને પ્રકૃતિવાદ  – આ બધા મતો સામાન્ય રીતે મનુષ્યને પણ એક યંત્ર માનીને તેનો…

વધુ વાંચો >

સંકીર્ણ આયનો (complex ions)

સંકીર્ણ આયનો (complex ions) : ધનાયન કે કેટાયન (cation) તરીકે ઓળખાતા એકકેન્દ્રીય (central) ધાતુ-આયન અને હેલાઇડ કે સાયનાઇડ જેવા ઋણાયનો (anions) અથવા એમોનિયા કે પીરિડીન જેવા તટસ્થ અણુઓ (Ligand) વચ્ચે દાતા-સ્વીકારક (donor acceptor) પ્રકારની આંતરપ્રક્રિયાઓ(inter-actions)ને કારણે ઉદ્ભવતાં આયનો. આમ સંકીર્ણ આયન એ અલગ અસ્તિત્વ ધરાવી શકે તેવાં બે અથવા વધુ…

વધુ વાંચો >

સંકેતગ્રહ

સંકેતગ્રહ : સંસ્કૃત શબ્દશાસ્ત્રનો એક સિદ્ધાંત. શબ્દમાં રહેલી શક્તિ અથવા સંકેત વડે શબ્દમાંથી અર્થનું જે જ્ઞાન થાય તેનું નામ સંકેતગ્રહ. એ સંકેતગ્રહ આઠ રીતે થાય છે : (1) વ્યાકરણ વડે થતો સંકેતગ્રહ અથવા સંકેતજ્ઞાન; જેમ કે  ‘શરીર’ પરથી બનેલા ‘શારીરિક’ એ શબ્દનો અર્થ વ્યાકરણના તદ્ધિત પ્રત્યય વડે થયેલો જણાય છે.…

વધુ વાંચો >

સંકેન્દ્રણ (segregation)

સંકેન્દ્રણ (segregation) : અમુક ચોક્કસ ખનિજીય બંધારણ ધરાવતા ખડકમાં કોઈ એક ખનિજ-જૂથનું અમુક ભાગ પૂરતું સ્થાનિક સંકેન્દ્રણ. ઉદાહરણો : (1) જળકૃત ખડકો : રેતીખડક જેવા જળકૃત-કણજન્ય ખડકમાં મૅગ્નેટાઇટ જેવાં ભારે ખનિજોનાં વીક્ષ (lenses) કે દોરીઓ હોય, કોઈકમાં ચૂનેદાર ગઠ્ઠાઓ હોય. (2) અગ્નિકૃત ખડકો : અગ્નિકૃત ખડકદળના કોઈ એક ભાગમાં સ્ફટિકીકરણની…

વધુ વાંચો >

સંક્રમણ (સંક્રાંતિ)

સંક્રમણ (સંક્રાંતિ) : સૂર્યનો કોઈ નિશ્ચિત રાશિમાં પ્રવેશ. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય રીતે ‘સંક્રમણ’ શબ્દ સૂર્યના કોઈ નિશ્ચિત રાશિપ્રવેશના સંદર્ભમાં વપરાય છે; જેમ કે સૂર્ય જ્યારે મકરરાશિના વિસ્તારમાં પ્રવેશે ત્યારે મકરસંક્રાંતિ થઈ ગણાય અને જ્યાં સુધી સૂર્ય મકરરાશિના વિસ્તારમાં હોય ત્યાં સુધી તે મકરસંક્રમણ કરતો કહેવાય. આકાશમાં ‘ક્રાંતિવૃત્ત’ એટલે કે રવિમાર્ગ(ecliptic circle)ના…

વધુ વાંચો >

સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases)

સંક્રામક રોગની વસ્તીરોગવિદ્યા (epidemiology of communicable diseases) : માનવવસ્તીમાં થતો રોગચાળો અને તેને અટકાવવા માટેનું વૈદ્યકીય શાખાનું પાયાનું વિજ્ઞાન. તેના દ્વારા રોગોનો ફેલાવો, તેનું નિયંત્રણ તેમજ માનવસ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય વિશેની જાણકારી મેળવવામાં આવે છે અને તેની મારફત સાવચેતીનાં પગલાં લેવામાં આવે છે. આ વિદ્યાશાખાને અંગ્રેજીમાં epidemiology કહે છે, જેનો…

વધુ વાંચો >

સંક્રામી મૂલ્ય (હસ્તાંતર કિંમત – transfer price)

સંક્રામી મૂલ્ય (હસ્તાંતર કિંમત – transfer price) : વિશાળ ઉત્પાદક પેઢીના જુદા જુદા અર્ધ-સ્વાયત્ત વિભાગોમાં એકબીજા સાથેના વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી બજારકિંમતથી ભિન્ન આંતરિક કિંમત. ઔદ્યોગિક ક્ષેત્રે એકબીજાને પૂરક એવો માલ કે સેવા તૈયાર કરતી કંપનીઓનાં જૂથો હોય છે. આ બધી કંપનીઓ પરસ્પર માટે સાથી કંપનીઓથી ઓળખાય છે. કોઈ એક કંપનીની…

વધુ વાંચો >

સંક્રાંતિ-તત્ત્વો (transition elements)

સંક્રાંતિ–તત્ત્વો (transition elements) : આવર્તક કોષ્ટક(periodic table)માં આલ્કલાઇન મૃદા (alkaline earth) ધાતુઓ પછી આવેલ અને 3d, 4d અને 5d જેવા અંતરતમ (inner) કવચો(shells)ના ભરાવાથી ઉદ્ભવતાં તત્ત્વોની ત્રણ શ્રેઢીઓ (series). સંક્રાંતિ-તત્ત્વો 10 તત્ત્વોની એક એવી ત્રણ હાર (rows) અને એક ચોથી અધૂરી ભરાયેલી હાર ધરાવે છે. આ તત્ત્વોને d-બ્લૉક(d-block)-તત્ત્વો તરીકે પણ…

વધુ વાંચો >

સંક્ષિપ્તસાર

સંક્ષિપ્તસાર : 12મા-13મા શતકમાં થઈ ગયેલા વૈયાકરણ ક્રમદીશ્વરે રચેલો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. આચાર્ય હેમચન્દ્રના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ની જેમ આમાં પણ આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે અને ઉચિત રીતે જ તે અધ્યાયને ‘પ્રાકૃતપાદ’ એવું નામ આપ્યું છે. પરંતુ બાકીની સામગ્રીની સજાવટ, પારિભાષિક શબ્દોનાં નામ આદિમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ સાથે કોઈ સામ્ય નથી. આ વ્યાકરણગ્રંથ…

વધુ વાંચો >

સંખેડા

સંખેડા : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. સંખેડા વડોદરાથી આશરે 47 કિમી. અને ડભોઈથી આશરે 20 કિમી. દૂર આવેલું છે. આ તાલુકાની ઉત્તર તરફ પંચમહાલ જિલ્લાની સીમા, પૂર્વ તરફ છોટાઉદેપુર અને નસવાડી,…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >