ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સસલું
સસલું : લાંબા કર્ણ, ટૂંકી પૂંછડી, કૂદકા મારી ચાલતું, રુવાંટીવાળું સસ્તન વર્ગનું નાજુક પ્રાણી. સસ્તન વર્ગની લૅગોમોર્ફા (Lagomorpha) શ્રેણીનું આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં વસાહતી અંગ્રેજોએ ઓગણીસમી સદીમાં પ્રથમ દાખલ કર્યું. હવે ત્યાં સસલાંની વસ્તી ખૂબ વધી ગઈ છે. ભૂખરા રંગની મૂળ જંગલી જાતિમાંની…
વધુ વાંચો >સસારામ
સસારામ : બિહાર રાજ્યના રોહતાસ જિલ્લાનું મુખ્ય મથક, જિલ્લાનો ઉપવિભાગ તથા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : 24° 57´ ઉ. અ. અને 84° 02´ પૂ. રે.. પૂર્વ રેલવિભાગનો ગ્રાન્ડ રેલમાર્ગ તેમજ ગ્રાન્ડ ટ્રન્ક માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે. તે કૃષિ-વ્યાપાર, કાલીન (carpet) તથા માટીનાં પાત્રો માટે તેમજ સોળમી…
વધુ વાંચો >સસ્કેચવાન
સસ્કેચવાન : પશ્ચિમ કૅનેડાના પ્રેરીઝના પ્રાંતો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 49°થી 60° ઉ. અ. અને 104°થી 110° પ. રે. વચ્ચેનો 6,52,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નૉર્થ વેસ્ટ ટેરિટરિઝ, પૂર્વમાં મૅનિટોબા, દક્ષિણે યુ.એસ.નાં ઉત્તર ડાકોટા અને મૉન્ટાના તથા પશ્ચિમે આલ્બર્ટા આવેલાં છે. સસ્કેચવાનની ઉત્તરે…
વધુ વાંચો >સસ્તન (Mammal)
સસ્તન (Mammal) : પૃષ્ઠવંશી પ્રાણીઓનો સ્તન કે આંચળ ધરાવતાં અને મોટેભાગે બચ્ચાંને જન્મ આપતાં જળચર કે ભૂચર પ્રાણીઓનો એક વર્ગ. લક્ષણો : સસ્તન પ્રાણીઓ સમતાપી તાપમાન ધરાવતાં અને ચામડી પર વાળનું આવરણ ધરાવતાં એમ્નીઓટ જૂથનાં પ્રાણીઓ છે. તેઓ બાહ્યકર્ણ એટલે કે કર્ણપલ્લવ (pinna) ધરાવે છે. મધ્ય-કર્ણ ઇન્કસ, મેલિયસ અને સ્ટેપીસ…
વધુ વાંચો >સસ્સી પુન્નુ
સસ્સી પુન્નુ : હાશિમ શાહ (1753-1823) રચિત કિસ્સા પ્રકારની પ્રણયકથા. તેમની આ કાવ્યમય કલ્પિત પ્રેમ-કિસ્સાની રચનાથી તેમને સારી એવી ખ્યાતિ મળી. આ પ્રેમકથાનું મૂળ સિંધમાં છે. ‘કિસ્સા’ પ્રકાર પશ્ચિમ પંજાબની કાવ્યશૈલીની વધુ નિકટ છે. આ સસ્સી પુન્નુના કિસ્સાની રચના પંજાબી સાહિત્યના પ્રારંભિક ગાળા દરમિયાન થઈ હોવી જોઈએ. તેમાં ચંદ્રને લગતી…
વધુ વાંચો >સહઅસ્તિત્વ (શાંતિમય)
સહઅસ્તિત્વ (શાંતિમય) : વિશ્વના દેશો પરસ્પર શાંતિપૂર્વક જીવી શકે એવી આચારસંહિતાની વિભાવના. આજે વિશ્વમાં ‘શાંતિમય સહઅસ્તિત્વ’ શબ્દપ્રયોગ સ્વીકૃત બન્યો છે; કારણ કે આ વિશ્વના બધા દેશો અને લોકો વચ્ચે સંવાદપૂર્ણ અસ્તિત્વ હોય તે બિનઅણુપ્રસરણ સંધિના યુગની તાતી જરૂરિયાત છે. ‘શાંતિમય સહઅસ્તિત્વ’ના વિચારોનો આરંભ 1950ના દાયકામાં થયો. 29 એપ્રિલ 1954ના રોજ…
વધુ વાંચો >સહઉત્સેચકો
સહઉત્સેચકો : જુઓ ઉત્સેચકો.
વધુ વાંચો >સહકાર (આર્થિક ક્ષેત્રે)
સહકાર (આર્થિક ક્ષેત્રે) : સ્વહિત માટે લોકો દ્વારા રચવામાં આવતા વેપારી સંગઠનનું એક સ્વરૂપ. સહકારી સંગઠન, વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, સંયુક્ત મૂડી, કંપની કે રાજ્યસંચાલિત વેપારી-ઔદ્યોગિક સાહસો જેવું જ એક ધંધાદારી સાહસ છે. જોકે તેનાં ઉદ્દેશો અને કાર્યપદ્ધતિની બાબતમાં તે અન્ય ધંધાદારી સંગઠનોથી જુદું પડે છે. ઇંગ્લૅન્ડમાં 1844માં સ્થપાયેલા અને…
વધુ વાંચો >સહકાર (સમાજશાસ્ત્ર)
સહકાર (સમાજશાસ્ત્ર) : સામાજિક આંતરક્રિયાનો સાર્વત્રિક જોવા મળતો એક પ્રકાર. આંતરક્રિયા કરતા પક્ષો (વ્યક્તિઓ/સમૂહો) જ્યારે પોતાના કોઈ સર્વસામાન્ય (common), સમાન કે પરસ્પરપૂરક ધ્યેયો સિદ્ધ કરવા માટે પરસ્પરને કોઈ પણ સ્વરૂપે સહાયક બને છે ત્યારે તે સહકારની સામાજિક આંતરક્રિયા કહેવાય છે. તેમાં સંબંધિત પક્ષો વચ્ચે પરસ્પર વિધાયક/રચનાત્મક દૃષ્ટિ અને વલણ એક…
વધુ વાંચો >સહકારાત્મક આંતરક્રિયાઓ
સહકારાત્મક આંતરક્રિયાઓ : સજીવો વચ્ચે પરસ્પર જોવા મળતી સહકારાત્મક (લાભદાયી) આંતરક્રિયાઓ. એક જ પર્યાવરણમાં વસતા એક જ કે વિવિધ જાતિના સજીવો પરસ્પર સંકળાયેલા હોય છે. આવો સંબંધ પ્રજનનના હેતુ, ખોરાક અને રહેઠાણની જગ્યા માટેની સ્પર્ધાના નિમિત્તે હોય છે. આ પ્રકારના પારસ્પરિક સંબંધમાં એક અથવા બંને જાતિના સજીવોને લાભ થાય છે;…
વધુ વાંચો >સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >