ખંડ ૨૨
સઆદત યારખાન ‘રંગીન’થી સાગ
સવાઈ જયસિંહ
સવાઈ જયસિંહ : જુઓ જંતરમંતર.
વધુ વાંચો >સવાઈ માધવરાવ
સવાઈ માધવરાવ (જ. 19 એપ્રિલ 1774, પુરંદર; અ. 27 ઑક્ટોબર 1795) : નારાયણરાવ પછી થયેલો પેશ્વા. પેશ્વા નારાયણરાવના અવસાન પછી તેને ત્યાં જે પુત્રનો જન્મ થયો તે સવાઈ માધવરાવ. સવાઈ માધવરાવ 40 દિવસનો થતાં, છત્રપતિ રામરાજાએ પેશ્વાપદનાં વસ્ત્રો અને રાજ્યચિહ્નો પુરંદરમાં એક ખાસ દરબાર ભરી સવાઈ માધવરાવને પહેરાવી 28 મે,…
વધુ વાંચો >સવાઈ માધોપુર
સવાઈ માધોપુર : રાજસ્થાનના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 45´થી 27° 14´ ઉ. અ. અને 75° 59´થી 77° 23´ પૂ. રે. વચ્ચેનો 10,527 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અલ્વર, ઈશાનમાં ભરતપુર, પૂર્વમાં ધોલપુર, અગ્નિકોણમાં ચંબલ નદીથી અલગ…
વધુ વાંચો >સવાતવક્ષ (pneumothorax)
સવાતવક્ષ (pneumothorax) : ફેફસાંની આસપાસના આવરણનાં 2 પડની વચ્ચે હવા ભરાવી તે. ફેફસાંની આસપાસના આવરણને પરિફેફસીકલા (pleura) કહે છે અને તેનાં 2 પડ વચ્ચેના સંભવશીલ પોલાણ(potential space)ને પરિફેફસી ગુહા (pleural cavity) કહે છે. તેમાં હવા ભરાય ત્યારે તેને સવાતવક્ષ કહે છે. તેમાં છાતીની દીવાલમાંથી, મધ્યવક્ષ(mediastinum)માંથી, ઉરોદરપટલ-(diaphragm)માંથી કે ફેફસાંમાંથી જે તે…
વધુ વાંચો >સવાના (પરિસ્થિતિવિદ્યા)
સવાના (પરિસ્થિતિવિદ્યા) : વધતેઓછે અંશે વીખરાયેલાં વૃક્ષો કે ક્ષુપ ધરાવતી તૃણભૂમિ. આ વનસ્પતિસમૂહનો પ્રકાર આબોહવાકીય પરિબળોને કારણે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આધુનિક વ્યાખ્યા મુજબ સવાના રૂપાકૃતિવિજ્ઞાન (physiognomy) અથવા પર્યાવરણની દૃષ્ટિએ ઉષ્ણકટિબંધીય કે બાહ્યોષ્ણકટિબંધીય (extratropical) પ્રદેશોમાં સમાન વનસ્પતિસમૂહના પ્રકારોની વિવિધતાઓ ધરાવે છે. વ્યાપક સંદર્ભમાં ઉષ્ણકટિબંધીય સવાનામાં…
વધુ વાંચો >સવાના (ભૌગોલિક)
સવાના (ભૌગોલિક) : છૂટાંછવાયાં વૃક્ષો કે છોડવા-ઝાડવાં ધરાવતો અયનવૃત્તીય/ઉપઅયનવૃત્તીય ઘાસનો પ્રદેશ. મોટાભાગના સવાના પ્રદેશો અયનવૃત્તોમાં અને તે પણ રણો અને વર્ષાજંગલો વચ્ચે આવેલા હોય છે. સમશીતોષ્ણ વિસ્તારોમાં આવેલી કેટલીક ઘાસભૂમિને પણ ક્યારેક સવાના તરીકે ઓળખાવાય છે. સવાનામાં વર્ષનો મોટો ભાગ સૂકી ઋતુ પ્રવર્તે છે અને તે દરમિયાન વારંવાર દવ લાગ્યા…
વધુ વાંચો >સવિતા
સવિતા : વેદમાં રજૂ થયેલા દેવ. કદૃશ્યપ અને અદિતિના બાર પુત્રો, જે આદિત્યો કહેવાય છે તે પૈકીનો એક આદિત્ય. સૂર્ય, વિવસ્વાન્, પૂષા, અર્યમા, વરુણ, મિત્ર, ભગ વગેરે દેવોને ઋગ્વેદમાં સ્વતંત્ર ને અલગ જ દેવ માન્યા છે છતાં તે બધા એક જ સૂર્ય કે સવિતૃદેવનાં વિભિન્ન રૂપો જણાય છે. ‘સવિતા’ શબ્દ …
વધુ વાંચો >સવિતાદેવી
સવિતાદેવી (જ. 7 એપ્રિલ 1942, બનારસ) : ઉત્તર હિંદુસ્તાનની ઉપશાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા સિતારવાદક. તેઓ સુપ્રસિદ્ધ ઠૂમરી ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનાં પુત્રી થાય છે. બાળપણથી જ તેમને સંગીતમાં રુચિ હતી. માતાને રિયાઝ કરતાં સાંભળીને તે પણ ગાયાં કરતાં, પરંતુ સંગીતશિક્ષણની શરૂઆત તેમણે સિતારથી કરી. શાળામાં માસ્ટર વિમલાનંદન ચેટર્જી પાસે સિતારની શરૂઆતની તાલીમ…
વધુ વાંચો >સવિનય કાનૂનભંગની લડત (૧૯૩૦’૩૨)
સવિનય કાનૂનભંગની લડત (1930-32) : પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે કૉંગ્રેસે ગાંધીજીની આગેવાની હેઠળ માર્ચ, 1930માં શરૂ કરેલી અહિંસક ચળવળ. 1908માં મહાત્મા ગાંધીએ પોતાના પ્રથમ જેલવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં અમેરિકાના હેનરી ડેવિડ થૉરોનો નિબંધ ‘સિવિલ ડિસઓબીડિયન્સ’ વાંચ્યો. તે સત્યાગ્રહનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાંનો એક ગણાયો. તેનું નામ રખાયું ‘સવિનય કાનૂનભંગ’. તેનો અમલ…
વધુ વાંચો >સશસ્ત્ર દળ
સશસ્ત્ર દળ : બાહ્ય આક્રમણ વખતે દેશનું સ્વાતંત્ર્ય અને અખંડિતતાનું જતન કરવા માટે તથા દેશની આંતરિક શાંતિ અને સુવ્યવસ્થા સદંતર ભાંગી પડે તેવા અસાધારણ સંજોગોમાં બળપૂર્વક કાયદાનું શાસન પુન: સ્થાપિત કરવા માટે ઊભું કરવામાં આવતું સુસજ્જ સશસ્ત્ર સૈનિકોનું સંગઠન. આ સંદર્ભમાં ભારતનો જ દાખલો લઈએ તો આઝાદી પછી ભારત પર…
વધુ વાંચો >સઆદત યારખાન ‘રંગીન’
સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…
વધુ વાંચો >સઆલિબી
સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…
વધુ વાંચો >સઈદ, એડ્વર્ડ
સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…
વધુ વાંચો >સઈદ નફીસી
સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…
વધુ વાંચો >સઈદ મિર્ઝા
સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…
વધુ વાંચો >સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ
સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…
વધુ વાંચો >સકમારિયન કક્ષા
સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…
વધુ વાંચો >સકરટેટી (ખડબૂચું)
સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…
વધુ વાંચો >સકાળ
સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…
વધુ વાંચો >સક્કારી બાલાચાર્ય
સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…
વધુ વાંચો >