ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અમૃતસરની સંધિ

Jan 16, 1989

અમૃતસરની સંધિ (25 એપ્રિલ 1809) : પંજાબના મહારાજા રણજિતસિંહ તથા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થયેલી સંધિ. તે અનુસાર અંગ્રેજોએ સતલજ નદીના ઉત્તરના પ્રદેશો પર મહારાજાનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું, જ્યારે રણજિતસિંહે પંજાબના અંગ્રેજ-આશ્રિત શીખ સરદારોને સ્વાયત્ત રહેવા દેવાનું કબૂલ્યું તથા સતલજની પૂર્વ બાજુ રાજ્ય-વિસ્તાર નહિ કરવાનું સ્વીકાર્યું. અલબત્ત, આથી રણજિતસિંહની રાજ્યવિસ્તાર…

વધુ વાંચો >

અમૃતસેન

Jan 16, 1989

અમૃતસેન (જ. 1814; અ. 1894) : જયપુર ઘરાનાના જાણીતા સિતારવાદક. તેઓ તાનસેનના વંશજ હતા. પિતા રહીમસેને તેમને ફક્ત સિતારવાદન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સમજાવ્યા અને તે વિશે પૂરેપૂરું જ્ઞાન આપ્યું. તેમણે જયપુરનરેશ રામસિંહ આગળ આઠ દિવસ કેવળ કલ્યાણ રાગ જ સંભળાવ્યો. અમૃતસેન વિલાસી જીવનથી દૂર, કલાસાધનામાં મગ્ન અને પરોપકારી હતા.…

વધુ વાંચો >

અમૃતસ્ય પુત્રી

Jan 16, 1989

અમૃતસ્ય પુત્રી : કમલદાસ-કૃત બંગાળી નવલકથા, જેને 1980નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. અવૈધ સંતાનની સમસ્યા આ કથામાં નિરૂપાઈ છે. મદ્રાસના રામકૃષ્ણ મિશનના સ્વામી સવારમાં ફરવા ગયા, ત્યારે રસ્તામાં કોઈ માએ ત્યજી દીધેલું બાળક જુએ છે અને બાળકને સંસારમાં આદરણીય સ્થાન મળે, તેથી પોતાની એક સંતાનવિહોણી શિષ્યાને બાળક ઉછેરવાનો…

વધુ વાંચો >

અમૃતા ગુગ્ગુલુ

Jan 16, 1989

અમૃતા ગુગ્ગુલુ : આયુર્વેદિક ઔષધ. ગળો 3 ભાગ તથા ગૂગળ, હરડે, બહેડાં, આંબળાં અને સાટોડી; દરેક એક એક ભાગ લઈ તેનો ક્વાથ તૈયાર કરી, ગાળીને તેને ફરી પકવતાં ઘટ્ટ થવા આવે ત્યારે તેમાં દંતીમૂળ, ચિત્રકમૂળ, પીપર, સૂંઠ, હરડે, બહેડાં, આંબળાં, ગળો, તજ, વાવડિંગ અને નસોતરનું ચૂર્ણ મેળવી એક એક ગ્રામની…

વધુ વાંચો >

અમૃતાદિ ક્વાથ

Jan 16, 1989

અમૃતાદિ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. ગળો, સૂંઠ, આંબળાં, અશ્વગંધા અને ગોખરુ સરખે ભાગે લઈ અધકચરાં ખાંડી તૈયાર થયેલા મિશ્રણમાંથી બેથી ચાર તોલા જેટલો ભૂકો સોળગણા પાણીમાં પકાવી આઠમો ભાગ પાણી બાકી રહે ત્યારે ઉતારી ગાળીને ક્વાથ તૈયાર કરવામાં આવે છે. તેને બેથી ચાર તોલાની માત્રામાં પાણી સાથે શૂળ અને મૂત્રકૃચ્છ્ર…

વધુ વાંચો >

અમૃતા પ્રીતમ

Jan 16, 1989

અમૃતા પ્રીતમ (જ. 31 ઑગસ્ટ 1919, ગુજરાનવાલા, પાકિસ્તાન ; અ. 31 ઑક્ટોબર 2005, દિલ્હી) : 1981ના જ્ઞાનપીઠ પુરસ્કારનાં વિજેતા પંજાબી કવયિત્રી, ગદ્યકાર અને કથાલેખિકા. લગ્ન પૂર્વેનું નામ અમૃત કૌર. 1936માં પ્રીતમસિંઘ સાથેના લગ્ન બાદ વર્તમાન નામ ધારણ કર્યું. પત્રકાર અને સંસ્કૃત તથા હિંદીના વિદ્વાન પિતા કરતારસિંઘ હિતકારી પાસેથી તેમને સાહિત્યસર્જનના…

વધુ વાંચો >

અમૃતાર સંતાન

Jan 16, 1989

અમૃતાર સંતાન (1949) : ગોપીનાથ મહાંતિ(1915 –)ની આદિવાસી જીવન વર્ણવતી ઊડિયા નવલકથા. લેખકે આમાં દર્શાવ્યું છે કે આદિવાસી પૃથ્વીનાં પ્રથમ શિશુ છે, એ અમૃતનાં સંતાન છે; કારણ કે તેઓ અમૃતસમ ગુણોથી વિભૂષિત જીવન જીવે છે. પ્રગતિને નામે આજે માનવ તેનાથી અલગ પડી ગયો છે અને વધુ ને વધુ દૂર જતો…

વધુ વાંચો >

અમૃતારિષ્ટ

Jan 16, 1989

અમૃતારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. લીમડાની ગળો એક ભાગ તથા દશમૂળ એક ભાગ, તેનો દસગણા પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ગોળ ત્રણ ભાગ તથા જીરું, પિતપાપડો, સપ્તપર્ણની છાલ, સૂંઠ, મરી, લીંડીપીપર, નાગરમોથ, નાગકેસર, કડુ, અતિવિષની કળી અને ઇન્દ્રજવનું ચૂર્ણ મેળવી માટીના વાસણમાં એક મહિના સુધી બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે…

વધુ વાંચો >

અમેન્સાલિઝમ

Jan 16, 1989

અમેન્સાલિઝમ (amensalism) : એક જ સ્થાને વસતી એક કે ભિન્ન જાતિઓના સજીવો વચ્ચે જોવા મળતો જૈવિક સંબંધનો એક પ્રકાર, જેમાં એક જીવના સ્રાવથી બીજા જીવનો નાશ થાય છે. આ પ્રકારના સંબંધમાં સજીવો વચ્ચે પારસ્પરિક બે જીવનપદ્ધતિઓ જોવા મળે છે : (i) સ્પર્ધાત્મક (competitive) અને (ii) પ્રતિજીવિતા (antibiosis). પ્રથમ પદ્ધતિમાં સબળ…

વધુ વાંચો >

અમે બધાં

Jan 16, 1989

અમે બધાં (1936) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. તેના લેખક ધનસુખલાલ કૃ. મહેતા અને જ્યોતીન્દ્ર દવે છે. આ વિનોદપ્રધાન નવલકથાના સર્જન પાછળ સૂરતનાં અદૃશ્ય થતાં જતાં જીવન અને વાતાવરણને શબ્દમાં ઝીલી લેવાં એવો આશય છે. એ રીતે અહીં સૂરત અને એના સમાજજીવનનું એ કાળનું તાશ ચિત્ર ઊપસ્યું છે. સત્તાવીસ જેટલાં પ્રકરણોમાં…

વધુ વાંચો >