ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અય્યર વી. વી. એસ.
અય્યર, વી. વી. એસ. (જ. 2 એપ્રિલ 1881, વારાનગરી, જિ. ત્રિચિનાપલ્લી; અ. 3 જૂન 1925, ચેન્નઈ) : ઇંગ્લૅન્ડમાં ભારતીય સ્વાતંત્ર્ય-આંદોલનના સમર્થક. તેમનું પૂરું નામ વરાહનરી વ્યંકટેશ સુબ્રહ્મણ્ય અય્યર. અગિયાર વર્ષની વયે મૅટ્રિક. એ જ વર્ષે લગ્ન. ત્રિપુરીની સેન્ટ જૉસૅફ કૉલેજમાંથી સોળ વર્ષની વયે બી.એ. થયા પછી પશુપતિ અય્યર સાથે રંગૂન…
વધુ વાંચો >અય્યર સી. પી. રામસ્વામી સર
અય્યર, સી. પી. રામસ્વામી, સર (જ. 13 નવેમ્બર 1879, ચેન્નઈ; અ. 26 સપ્ટેમ્બર 1966, લંડન) : પ્રથમ કક્ષાના પ્રશાસક તથા રાજનીતિજ્ઞ. પિતા સી. આર. પટ્ટાભિરામ અય્યર સરકારી નોકરીમાં હતા. શાળાકીય તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નઈ ખાતે લીધેલું. ચેન્નઈની લૉ કૉલેજમાંથી કાયદાની પદવી મેળવ્યા પછી વી. કૃષ્ણસ્વામી અય્યરના માર્ગદર્શન હેઠળ ચેન્નઈની વડી…
વધુ વાંચો >અરડૂસો
અરડૂસો (અરલવો, મોટો અરડૂસો) : દ્વિદળી વર્ગના સીમારાઉબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ailanthus excelsa Roxb (સં. महानिम्ब, आरलु, महावृक्ष; હિં. महानिम्ब; મ. મહારૂખ; અં. એઇલેન્ટો) છે. મહાકાય, ખૂબ ઝડપથી વધનારું, અત્યંત ઓછી કાળજી માગી લેતું, વિશાળ છાયાવાળું વૃક્ષ. 10થી 15 મી. ઊંચાઈ. થડ અને ડાળીઓનો રંગ ફિક્કો પીળો,…
વધુ વાંચો >અરણી
અરણી : દ્વિદળી વર્ગના વર્બીનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ lerodendron multiflorum (Burm. f.) O. Ktze. Syn. C. phlomidis L. (સં. अरणिक, अग्निमन्थ, वातघ्न, હિં. अरनी, अगेथु, गणियारी; મં. ટાકળી, નરવેલ; અં. ટ્યૂબ ફ્લાવર) છે. ઇન્દ્રધનુ, સાગ, સેવન, નગોડ વગેરે તેનાં સહસભ્યો છે. વાડમાં ઊગતો નાનો ક્ષુપ. ત્રિકોણાભ (deltoid),…
વધુ વાંચો >અરણ્ય ફસલ
અરણ્ય ફસલ (1970) : મનોરંજન દાસ (જ. 25-7-1921) રચિત ઍબ્સર્ડ પ્રકારનું, આધુનિક ઊડિયા નાટક. આધુનિક માનવનું મનોદર્શન કરાવતું આ ઍબ્સર્ડ નાટક અનેક વાર સફળતાપૂર્વક ભજવાયું છે. નાટક પ્રતીકાત્મક છે. આદિ માનવ ભદ્રતાની ખોજમાં, અરણ્યથી દૂર ને દૂર ચાલ્યો ગયો અને આજે અણુયુગમાં માનવ આત્માભિવ્યક્તિ માટે પુન: અરણ્ય તરફ જઈ રહ્યો…
વધુ વાંચો >અરણ્યાની
અરણ્યાની : એક જ સૂક્ત(10-146)માં ઉદબોધન પામેલાં અરણ્યાની એટલે કોઈક નિર્જન અરણ્યનાં પાલયિત્રી અધિદેવતા. રાત્રિની નીરવતામાં અનેક પશુપંખીઓના ભયજનક અવાજોના વાતાવરણને પડછે વગર ખેતીએ સ્વાદુ ફળો અને અન્નભંડારો ધરાવતાં આ અહિંસક વનદેવતાની પ્રશસ્તિ મંત્રદ્રષ્ટા ઋષિ मृगाणां मातरम् તરીકે કરે છે. જયાનંદ દવે
વધુ વાંચો >અરણ્યેર અધિકાર
અરણ્યેર અધિકાર (1977) : બંગાળનાં પ્રસિદ્ધ નવલકથાકાર મહાશ્વેતાદેવીની 1979માં શ્રેષ્ઠ બંગાળી કૃતિ તરીકે સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત કરનાર નવલકથા. અરણ્યના જે સાચા અધિકારીઓ છે, જેઓ અરણ્યનું એક અવિચ્છેદ્ય અંગ બની ગયા છે, તેમને કેવી દયાહીનતાથી અરણ્યથી વંચિત કરવામાં આવે છે તેની કરુણકથા એમાં કલાત્મક રીતે ગૂંથાઈ છે. મહાશ્વેતાદેવી અરણ્યમાં જ…
વધુ વાંચો >અરનાથ
અરનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 18મા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા સુદર્શન અને તેની પત્ની દેવીના પુત્ર અરનાથનો જન્મ માગશર સુદ દસમના રોજ થયો હતો અને તેઓ માગશર સુદ દસમે જ નિર્વાણ પામ્યા હતા. તેમનું આયુષ્ય 84 હજાર વર્ષનું હોવાનું જૈન પરંપરા જણાવે છે. 21 હજાર વર્ષ રાજ કર્યા બાદ ત્રણ…
વધુ વાંચો >અરબ સંસ્કૃતિ
અરબ સંસ્કૃતિ : અરબ પ્રજાની સંસ્કૃતિ. સાતમી સદીના આરંભમાં ઇસ્લામનું આગમન થયું તે પહેલાં વિશાળ રણપ્રદેશવાળો અરબસ્તાન દેશ સંસ્કૃતિથી સાવ અપરિચિત ન હતો. સામાન્ય રીતે ઓળખાતા પણ વાસ્તવમાં તે અર્થમાં નહિ એવા ‘અંધકાર યુગ’માં અરબસ્તાનમાં વિશેષ કરીને તેના ઉત્તર તેમજ દક્ષિણના પ્રદેશોમાં શિક્ષિત અને સુસંસ્કૃત લોકોની વસાહતો હતી તેમ ત્યાંથી…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >