ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અદ્વૈતવાદ

અદ્વૈતવાદ : દર્શનમાં સત્(સત્તા)ની તપાસ તરવામાં આવે છે. અને સતને જ ‘તત્વ’ કે ‘પદાર્થ’ કહે છે. ક્યારેક એને અંતિમ સત્તા કે સત્ય અને પરમ તત્વ કહે છે. આ સતનું અસ્તિત્વ છે કે નથી ? તે એક છે કે અનેક છે ? તે સ્થૂળ છે કે સૂક્ષ્મ છે ? વગેરે પ્રશ્નો…

વધુ વાંચો >

અદ્વૈતસિદ્ધાન્ત

અદ્વૈતસિદ્ધાન્ત : ભારતીય ઉપનિષદસાહિત્ય અને બ્રહ્મસૂત્રમાં રજૂ થયેલો તત્વવિષયક સિદ્ધાન્ત. જગત, આત્મા અને પરમાત્મા એ ત્રણે જુદાં તત્વો નથી; પરંતુ પરમાત્મા અથવા પરબ્રહ્મનું તત્વ એક જ છે. બ્રહ્મ એ એકમાત્ર ચેતન અને કાયમી તત્વ છે. આત્મા પણ બ્રહ્મનો એક અંશ છે. તેથી ચેતન બ્રહ્મમાં ચેતન એવો આત્મા એકરૂપ બની જાય…

વધુ વાંચો >

અધાતુઓ

અધાતુઓ (nonmetals) : રાસાયણિક તત્વોના ધાતુ અને અધાતુ એ બે વિભાગોમાંનો એક. અધાતુ તત્વો ઘન હોય તો બરડ, ઓછી ઘનતાવાળા અને ઉષ્મા તથા વિદ્યુતનાં અવાહક (non-conductors) હોય છે. અધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં ઘણી ભિન્નતા માલૂમ પડે છે. ઑક્સિજન વાયુરૂપ છે, બ્રોમીન પ્રવાહીરૂપ છે જ્યારે આયોડીન ઘનરૂપ છે. પ્રવાહી કે ઘન અધાતુઓને…

વધુ વાંચો >

અધિઅહમ્

અધિઅહમ્ : જુઓ, મનોવિશ્લેષણ.

વધુ વાંચો >

અધિક નફાવેરો

અધિક નફાવેરો (excess profit-tax) : યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભાવવૃદ્ધિને લીધે પેઢીઓને પ્રાપ્ત થતા અધિક નફા પર ખૂબ ઊંચા દરે લાગુ પાડવામાં આવતો વેરો. યુદ્ધ અગાઉના પ્રમાણભૂત સમયગાળામાં સાધારણ નફો અને યુદ્ધકાલીન પરિસ્થિતિમાં મળતો નફો એ બંનેનો તફાવત અધિક નફો ગણાય છે. અધિક નફાવેરાની તરફેણમાં મુખ્ય દલીલો ત્રણ છે…

વધુ વાંચો >

અધિકનિવેશન

અધિકનિવેશન (intercalation) : સૌરવર્ષની સાથે સામાન્ય તિથિપત્રનો સુમેળ સાધવા સારુ કરવામાં આવેલું દિવસોનું ઉમેરણ. દિવસ, માસ અને વર્ષ રૂપે કાળગણના કરતી વખતે સૌરવર્ષની સાથે સુમેળ બેસાડવા માટે નાના એકમ તરીકે એક કે વધુ દિવસો ઉમેરવા પડે છે. સામાન્ય વ્યવહારોપયોગી એવા સમયના એકમો અને તેમની સાથે સંકળાયેલી ખગોલીય ઘટનાઓ નીચે મુજબ…

વધુ વાંચો >

અધિકમાસ ­— ક્ષયમાસ

અધિકમાસ ­— ક્ષયમાસ : ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવે તે માટે ભારતીય પંચાંગમાં કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઈ. ભારતીય પંચાંગોમાં તથા ધર્મશાસ્ત્રોમાં પ્રાચીન કાળથી સૌર, ચાંદ્ર, સાયન અને નાક્ષત્ર એમ ચાર પ્રકારનું કાલમાન મિશ્ર રૂપે સ્વીકારેલું છે. તેમાં સૌર અને ચાંદ્રમાસનો સમન્વય કરી ઋતુઓ અને તહેવારો નિયત રીતે આવ્યા કરે…

વધુ વાંચો >

અધિકાર (વ્યાકરણશાસ્ત્ર)

અધિકાર (વ્યાકરણશાસ્ત્ર) : સામાન્ય અર્થ ‘શાસન, કાર્યપ્રદેશ’. પાણિનિના-વ્યાકરણમાં ‘અધિકરણ-વિષયવિભાગ’ એ વિશિષ્ટ અર્થ. તેમાં અધિકારસૂત્રોને સ્વરિત સ્વરની નિશાની કરવામાં આવે છે. પ્રત્યેક અધિકારસૂત્રનો તે તે સ્થળે સ્વતંત્ર અર્થ હોતો નથી, પણ તેની અનુવૃત્તિનું ક્ષેત્ર તે તે વિષયની સમાપ્તિ સુધી વિસ્તૃત હોય છે. બીજું અધિકારસૂત્ર આવે ત્યારે આગલા અધિકારની નિવૃત્તિ થાય છે…

વધુ વાંચો >

અધિકારિત વિધાન

અધિકારિત વિધાન (delegated legislation) : સંસદ અથવા ધારાસભાએ અધિકારિત કરેલી સત્તાની રૂએ વહીવટી ખાતા દ્વારા થતું ગૌણ ધારાકીય કાર્ય. અધિકારિત વિધાનનો ખ્યાલ સંસદે અપનાવેલ કાર્યપ્રથાના સંદર્ભમાં અમલમાં આવે છે. આ પ્રથા દ્વારા સંસદ અથવા ધારાસભા તેની કાયદાઘડતરની સત્તા વહીવટી ખાતાને સુપરત કરે છે. ભારતમાં રાજ્ય ‘કલ્યાણ રાજ્ય’ બનતાં તેનું કાર્યક્ષેત્ર…

વધુ વાંચો >

અધિકારી હેમુ

અધિકારી, હેમુ (જ. 31 જુલાઈ 1919, પુણે, મહારાષ્ટ્ર; અ. 25 ઑક્ટોબર 2003, મુંબઈ, મહારાષ્ટ્ર) : વિખ્યાત ભારતીય ક્રિકેટ ખેલાડી. અભ્યાસ બી.એ. સુધીનો – બરોડા હાઈસ્કૂલ તથા બરોડા કૉલેજમાં. રણજી ટ્રોફી ખેલાડી – ગુજરાત (1936–37), વડોદરા (1937–38થી 1949–50), સર્વિસિઝ (1950–51થી 1956–60, પ્રથમ ત્રણ વર્ષ કપ્તાન); ટેસ્ટ ખેલાડી (1947–48થી 1958–59, 1 વર્ષ…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >