ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અહમદનગર (જિલ્લો)
અહમદનગર (જિલ્લો) : સ્થાન-સીમા-વિસ્તાર : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌ. સ્થાન : તે આશરે 180 2૦´થી 190 55´ ઉ. અ. અને 730 4૦´થી 750 4૦´ પૂ. રે. વચ્ચેનો 17,૦48 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં નાસિક, ઉત્તર અને ઈશાનમાં ઔરંગાબાદ, પૂર્વમાં જાલના…
વધુ વાંચો >અહમદનગર (શહેર)
અહમદનગર (શહેર) : મહારાષ્ટ્રમાં આવેલું ઐતિહાસિક મુસ્લિમ રાજ્ય અને શહેર. અહમદનગર 190 5´ ઉત્તર અક્ષાંશ અને 740 44´ પૂર્વ રેખાંશ પર આવેલું મધ્યકાલીન નગર છે. તે મુંબઈથી જમીનમાર્ગે 288 કિમી. પૂર્વમાં તથા પુણેથી 112 કિમી. દૂર ઈશાનમાં આવેલું છે. અહમદનગરનો કિલ્લો જોવાલાયક છે. નગરની વસ્તી 3,50,859 (2011). દખ્ખણમાં આવેલી બહમની…
વધુ વાંચો >અહમદપુર-માંડવી
અહમદપુર-માંડવી : ગુજરાતમાં સૌરાષ્ટ્રના સાગરતટે આવેલું વિહારધામ. ભારતના બીજા કોઈપણ રાજ્ય કરતાં ગુજરાતનો સાગરકાંઠો ઘણો લાંબો છે. (1,6૦૦ કિમી.) પરંતુ લાંબા સમય સુધી કાંઠે કેટલાંક બંદરો તથા મહત્વનાં તીર્થધામો સિવાય નોંધપાત્ર યાત્રાધામો કે વિહારધામો જેવાં સ્થળો હતાં નહિ. ગુજરાતનું અલગ રાજ્ય રચાયા પછી તેને એક સર્વાંગસંપૂર્ણ રાજ્ય બનાવવાના અભિગમ હેઠળ…
વધુ વાંચો >અહમદ, ફખરુદ્દીન અલી
અહમદ, ફખરુદ્દીન અલી (જ. 13 મે 1905, જુની દિલ્હી; અ. 11 ફેબ્રુઆરી 1977, નવી દિલ્હી) : ભારતના રાષ્ટ્રપતિ (1974-1977). દિલ્હીની સ્ટીફન કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનના બાર-ઍટ-લૉ થઈ આવ્યા હતા. શરૂઆતમાં વકીલાત કર્યા પછી 1931થી કૉંગ્રેસમાં જોડાયા. 1935માં આસામ વિધાનસભાના સભ્ય બન્યા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન તેઓ બે વાર જેલમાં જઈ…
વધુ વાંચો >અહમદ, મુઝફ્ફર
અહમદ, મુઝફ્ફર (જ. 5 ઑગસ્ટ 1889, સંદીપ ટાપુ, ચિત્તાગોંગ (હાલનું બાંગ્લાદેશ); અ. 18 ડિસેમ્બર 1973, કોલકાતા) : બંગાળના વરિષ્ઠ સામ્યવાદી નેતા. તીવ્ર ગરીબીને કારણે તેમનું કૉલેજનું શિક્ષણ અધૂરું રહેલું. 1916થી રાજકારણ તરફ આકર્ષાયા. તેઓ 1918માં બંગાળની મુસલમાન સાહિત્ય સમિતિના ઉપમંત્રી બન્યા. પછી કાઝી નઝરુલ ઇસ્લામ તરફથી પ્રસિદ્ધ થતા પત્ર ‘નવયુગ’માં…
વધુ વાંચો >અહમદશાહ–1
અહમદશાહ–1 (જ. 1391–92, દિલ્હી; અ. 12 ઑગસ્ટ 1442, અમદાવાદ) : ગુજરાતનો ત્રીજો સુલતાન. નામ અહમદખાન. ઈ. સ. 1411ના જાન્યુઆરી માસની 10મી તારીખે પોતાના પિતામહ મુઝફ્ફરશાહ પહેલાને ઝેર અપાવી વીસ વર્ષની વયે ગાદીએ બેસીને પોતે નાસિરુદ્દીન્યાવદ્દીન અબૂલ-ફતહ અહમદશાહ નામ ધારણ કર્યું હતું. રાજ્યારોહણના વર્ષમાં જ સાબરમતીને તીરે આસાવલના સાન્નિધ્યમાં નવું શહેર…
વધુ વાંચો >અહમદશાહ–2
અહમદશાહ–2 (જ. 1431; અ. 23 મે 1459) : ગુજરાતનો પાંચમો સુલતાન (શાસન 1451થી 1459). મૂળ નામ જલાલખાન. રાજ્યાભિષેક પછી કુત્બુદ્દુન્યાવદ્દીન અબૂલમુઝફ્ફર અહમદશાહ નામ ધારણ કર્યું હતું. ઈ. સ. 1451માં પિતા મુહમ્મદશાહ બીજાના અવસાન પછી વીસ વર્ષની વયે ગાદીએ આવ્યો. ગાદીએ બેસતાં જ માળવાના સુલતાન મહમૂદ ખલજીના આક્રમણનો સફળ સામનો કર્યો.…
વધુ વાંચો >અહમદશાહ અબ્દાલી (દુરાની)
અહમદશાહ અબ્દાલી (દુરાની) (જ. 1722, અફઘાનિસ્તાન; અ. 4 જૂન 1772, અફઘાનિસ્તાન) : અફઘાનિસ્તાનનો એક સમર્થ શાસક. 1747માં ઈરાનના રાજા નાદિરશાહનું ખૂન થતાં અફઘાનિસ્તાનમાં અફઘાનોની અબ્દાલી અથવા દુરાની ટોળીનો નેતા અહમદશાહ સ્વતંત્ર શાસક બન્યો. તેણે કંદહાર, કાબુલ અને પેશાવર જીત્યા બાદ, 1748માં પંજાબ પર ચડાઈ કરી. માનપુરની લડાઈમાં મુઘલ શાહજાદા અહમદશાહે…
વધુ વાંચો >અહમદશાહની મસ્જિદ
અહમદશાહની મસ્જિદ : સુલતાન અહમદશાહે બંધાવેલી અમદાવાદની મસ્જિદ. અમદાવાદની સર્વપ્રથમ સ્થાપત્યકીય ઇમારત મનાતી આ મસ્જિદ ભદ્રના કિલ્લાનો મૂળ દક્ષિણ દરવાજો હતી, જેની સામે ગુજરાત ક્લબ આવેલી છે. તે જૂની જામે મસ્જિદના નામે પણ ઓળખાય છે. શાહી કિલ્લાની અંદર હોઈ તેનું બાદશાહના ખાનગી પ્રાર્થનાગૃહ તરીકે નિર્માણ થયું હોય તે બનવાજોગ છે.…
વધુ વાંચો >અહમદશાહનો રોજો
અહમદશાહનો રોજો : અમદાવાદમાં માણેકચોકમાં જામે મસ્જિદની પૂર્વે બાદશાહના હજીરાના નામે ઓળખાતો રોજો. તે બહુ મોટા નહિ તેવા વંડામાં આશરે 26.8 મીટર ચોરસ પીઠ પર બંધાયેલો છે. મધ્યમાં મોટો ખંડ અને ચારે ખૂણે ફરતા નાના ચાર ચોરસ ખંડ અને તેમની વચ્ચે પરસાળ છે. વચલા ખંડ પર સ્થાનિક હિંદુજૈન શૈલીનો સપ્રમાણ…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અકાર્બનિક જીવરસાયણ
અકાર્બનિક જીવરસાયણ (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…
વધુ વાંચો >