ખંડ ૧૭
યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ
યકૃત (liver)
યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…
વધુ વાંચો >યકૃત (માનવેતર પ્રાણીઓ)
યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)
વધુ વાંચો >યકૃત અર્બુદ
યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ
વધુ વાંચો >યકૃતકાઠિન્ય (liver cirrhosis)
યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…
વધુ વાંચો >યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું
યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…
વધુ વાંચો >યકૃતક્ષમતા-કસોટીઓ
યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…
વધુ વાંચો >યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)
યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…
વધુ વાંચો >યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)
યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…
વધુ વાંચો >યકૃતમાં ગાંઠ
યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…
વધુ વાંચો >યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય
યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…
વધુ વાંચો >રહસ્યવાદ (mysticism)
રહસ્યવાદ (mysticism) : રહસ્યાનુભૂતિને અનુલક્ષીને અધ્યાત્મ- ક્ષેત્રે પ્રવર્તતી એક વિચારધારા. રહસ્યવાદ માટે અંગ્રેજી ભાષામાં મિસ્ટિસિઝમ (mysticism) શબ્દ છે. ભારતીય ભાષાઓમાં ‘અગમ્યવાદ’, ‘ગૂઢવાદ’, ‘અપરોક્ષાનુભૂતિવાદ’, ‘અધ્યાત્મવાદ’, ‘પરાવિદ્યા’ વગેરે તેના પર્યાયો પ્રચલિત છે ‘અમરકોશ’ પ્રમાણે ‘रहस्’ શબ્દનો અર્થે ‘એકાન્ત, નિર્જન કે ગુપ્ત’ એવો થાય છે. ભગવદગીતામાં અધ્યાત્મજ્ઞાનના રહસ્યને ગુહ્યાત્ ગુહ્યતરમ્’, ‘સર્વગુહ્યાનામ્’ વગેરે શબ્દો…
વધુ વાંચો >રહાણે, અજિંક્ય મધુકર
રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન. પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી…
વધુ વાંચો >રહીમ
રહીમ : જુઓ અબ્દુર્રહીમ ખાનખાનાન
વધુ વાંચો >રહી, ડૉ. સીંગમૅન
રહી, ડૉ. સીંગમૅન [જ. 26 એપ્રિલ 1875, વ્હાનઘાઈ (Whanghae), કોરિયા; અ. 19 જુલાઈ 1965, હોનોલુલુ] : કોરિયાના રાજનીતિજ્ઞ અને રિપબ્લિક ઑવ્ કોરિયા(દક્ષિણ કોરિયા)ના પ્રથમ પ્રમુખ (1948-60). તેમણે પ્રારંભમાં પરંપરાગત અને પ્રશિષ્ટ શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ મેથડિસ્ટ સ્કૂલમાં દાખલ થયા જ્યાં અંગ્રેજી શીખ્યા. શિક્ષણના પ્રભાવે પ્રખર રાષ્ટ્રવાદી અને ખ્રિસ્તી બન્યા. 1896માં…
વધુ વાંચો >રહેમાન, ઇન્દ્રાણી
રહેમાન, ઇન્દ્રાણી (જ. 19 સપ્ટેમ્બર 1930; અ. 2 મે 1999, ન્યૂયૉર્ક) : ભારતીય નૃત્યાંગના. પિતાનું નામ રામલાલ અને માતાનું નામ એસ્થર શરમન (પાછળથી રાગિણીદેવી). વીસમી સદીના શરૂઆતના દાયકાઓમાં પશ્ચિમનાં ટોચનાં નર્તક-નર્તકીઓ નૃત્યકલાનો વ્યાપ વિસ્તારવા અને પૂર્વીય દેશોની પારંપરિક નૃત્યશૈલીઓમાંથી પ્રેરણા લેવા આવતાં હતાં. તેમાં એક અમેરિકી યુવતી હતી એસ્થર શરમન.…
વધુ વાંચો >રહેમાન, એ. આર.
રહેમાન, એ. આર. (જ. 5 જાન્યુઆરી 1968, ચેન્નઈ) : સંગીતકાર. મૂળ નામ એસ. દિલીપકુમાર. પિતા આર. કે. શેખર તમિળ અને મલયાળમ ચિત્રોના સંગીતકાર હતા. તેમણે નૌશાદ અને સલીલ ચૌધરી સાથે પણ કામ કર્યું હતું. માતા-પિતા બંને હિંદુ હતાં. રહેમાનની ઉંમર નવ વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું, પણ એ પહેલાં…
વધુ વાંચો >રહેમાન, વહીદા
રહેમાન, વહીદા (જ. 3 જાન્યુઆરી 1938, જેલપેરુ, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. નૃત્યમાં પ્રવીણ. વહીદા રહેમાનનો જન્મ સામાન્ય મુસ્લિમ પરિવારમાં થયો હતો. ચાર બહેનોમાં તેઓ સૌથી નાનાં હતાં. નાનપણમાં જ પિતાનું અવસાન થતાં વહીદાએ પરિવારના ગુજરાન માટે મદદરૂપ થવા ચલચિત્રોમાં કામ કરવાનું સ્વીકાર્યું. ભરતનાટ્યમની તાલીમ લીધી હોવાને કારણે એક તેલુગુ ચિત્ર…
વધુ વાંચો >રહેંટ
રહેંટ : ખેત-સિંચાઈ માટેનું અત્યંત ઉપયોગી એક સાધન. આદિકાળથી વપરાતી આ રહેંટ અગર ‘વૉટર વ્હીલ’નો સૌપ્રથમ ઉલ્લેખ ઈ. પૂ. 400 વર્ષ પહેલાં ઍન્ટિપેટર નામના ગ્રીક કવિની કાવ્યરચનામાં જોવા મળે છે. તેની કાવ્યરચનામાં કુસુમવત્ નાજુક નમણી કુમારિકા, જે ગામનાં દળણાં દળી આપે છે, ગામને પાણી પૂરું પાડવામાં તેમજ લુહારીકામમાં રાતદિવસ કાળી…
વધુ વાંચો >રંગ અને રંગમાપન
રંગ અને રંગમાપન (colour, measurement of colour and colorimetry) : દૃદૃશ્ય પ્રકાશ માટેનું આંખનું સંવેદનાતંત્ર. રંગની સંવેદના : નેત્રપટલની અંદર આવેલ બે પ્રકારના કોષોને કારણે સંવેદના થાય છે. એક પ્રકારના કોષો નળાકાર કોષો (rods) ઝાંખા પ્રકાશમાં સંવેદનશીલ હોવાથી, સંધ્યાસમયે અને ઝાંખા પ્રકાશમાં તેમની સંવેદના દ્વારા પદાર્થોને જોઈ શકાય છે; પરંતુ…
વધુ વાંચો >રંગ અને વાર્નિશ-ઉદ્યોગ
રંગ અને વાર્નિશ-ઉદ્યોગ : દીવાલો, ધાતુઓ તથા લાકડાની બનેલી વસ્તુઓ વગેરેના પૃષ્ઠ ભાગને સુશોભન સાથે આરક્ષણ બક્ષતાં વિવિધ પ્રકારનાં આચ્છાદનોને લગતો ઉદ્યોગ. તેમાં રંગ ઉપરાંત વાર્નિશ અને પ્રલાક્ષ(lacquer)નો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે રંગ અથવા પેઇન્ટ એ પાતળા પ્રવાહીથી માંડીને અર્ધઘન (semisolid), લાહી (લેપ) (paste) જેટલી શ્યાનતા (viscosity) ધરાવતું…
વધુ વાંચો >