ખંડ ૧૭

યકૃતથી રાંદેરિયા મધુકર રંગીલદાસ

રાષ્ટ્રીય કળા કેન્દ્ર, સૂરત

રાષ્ટ્રીય કળા કેન્દ્ર, સૂરત (સ્થા. 1955) : સૂરતની એક સાંસ્કૃતિક સંસ્થા. લગભગ છેલ્લા સાડા ચાર દાયકાથી સતત પ્રવૃત્ત રહેલી આ સંસ્થાનો આરંભ સ્વ. વજુભાઈ ટાંક, સ્વ. નાથુભાઈ પહાડે, સ્વ. મહાદેવ શાસ્ત્રી, સ્વ. વાસુદેવ સ્માર્ત, સ્વ. ગનીભાઈ દહીંવાળા, સ્વ. પુષ્પાબહેન દવે અને ચંદ્રકાંત પુરોહિતના સહયોગથી થયો હતો. પ્રતિવર્ષ પોતાનાં નાટકો રજૂ…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation)

રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation) : હૈદરાબાદ ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે. આ નિગમની અન્વેષણ-પાંખ નવાં સંકુલો ઊભાં કરવા ઇચ્છતી પેઢીઓને ખનિજ-જથ્થાઓ માટે ભૂસ્તરીય સર્વેક્ષણ,…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત

રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત : ભારતનું સૌથી મોટું અને વિશાળ રાષ્ટ્રીય ગ્રંથાલય. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું સંચાલન થાય છે. કોલકાતાના બેલવેડેર એસ્ટેટની 30 એકર ભૂમિમાં આવેલું આ રાષ્ટ્રીય ગ્રંથાલય મુદ્રણ અને પુસ્તક-નોંધણી અધિનિયમના કાયદા હેઠળ દેશમાં પ્રકાશિત થતી તમામ મુદ્રિત સામગ્રી પ્રાપ્ત કરવાને હકદાર…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.)

રાષ્ટ્રીય ચલચિત્ર-વિકાસ નિગમ (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન – એન.એફ.ડી.સી.) : દેશમાં સારાં ચલચિત્રોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા 1975માં રચવામાં આવેલી સંસ્થા. તેનું કાર્યક્ષેત્ર ઘણું વિશાળ છે. ચલચિત્રોનાં નિર્માણ, વિતરણ અને તેની આયાત-નિકાસથી માંડીને છબિઘરોના નિર્માણ માટે નાણાં ઉપલબ્ધ કરવા સુધીનું તે કામ કરે છે. દેશમાં દૂરદર્શનનો વ્યાપ વધતાં…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા)

રાષ્ટ્રીય ચલચિત્ર સંગ્રહાલય (નૅશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા) : દેશમાં બનતી ફિલ્મોનો અને તે સંબંધિત સાહિત્યનો સંગ્રહ કરતી સંસ્થા. સ્થાપના 14 ફેબ્રુઆરી, 1964ના દિવસે કરવામાં આવી. ભારતીય ફિલ્મકળા અને સંસ્કૃતિના વિકાસની કથાનું સંરક્ષણ કરવાનો તેનો ઉદ્દેશ રહ્યો છે. ભારત સરકારે 1954માં ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો શરૂ કર્યા ત્યારે ફિલ્મો માટે…

વધુ વાંચો >

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા

રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા : જુઓ નૅશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન

વધુ વાંચો >

રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) :

રાષ્ટ્રીય ધાતુકર્મીય પ્રયોગશાળા (National Metallurgical Laboratory) : જમશેદપુરમાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની ધાતુશોધન પ્રયોગશાળા. સ્થાપના : 1950. આ પ્રયોગશાળાનાં કર્તવ્યોમાં ખનિજો અને ધાતુખનિજોનાં ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોનાં લક્ષણોનું નિર્ધારણ કરવું; તેની પેદાશો-આડપેદાશોના નિર્માણ માટેની પ્રક્રિયાઓનો વિકાસ કરવો; ખનિજખનન માટે કાર્યરત ખાણસંકુલોનું પદ્ધતિસરનું આલેખન કરવું; ખનિજીય પ્રક્રિયાઓ માટે વેપારી અને તક્નીકી સંભાવનાઓની…

વધુ વાંચો >

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો

રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો રાષ્ટ્રવ્યાપી વ્યવહાર માટે યાતાયાતના માધ્યમરૂપ મોટા રસ્તાઓ. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક, ઔદ્યોગિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ માટે તથા રાજકીય સ્થિરતા માટે યોગ્ય યાતાયાત-વ્યવસ્થા હોવી જરૂરી છે. યોગ્ય યાતાયાત-વ્યવસ્થાના માધ્યમથી દેશના તથા દુનિયાના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં ઔદ્યોગિક કાચો માલ તથા ઉત્પાદન, જીવનજરૂરિયાતની ચીજો તથા લોકોની…

વધુ વાંચો >

રાષ્ટ્રીય પરિષદ

રાષ્ટ્રીય પરિષદ : જુઓ રાજકીય પક્ષ

વધુ વાંચો >

રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.)

રાષ્ટ્રીય બચતપત્રો (N.S.C.) : નાના બચતકારો પાસેથી ઋણ મેળવવા માટે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતાં બચતપત્રો. આ યોજના નાના બચતકારો માટે છે. તેનાં પ્રમાણપત્રો રૂ. 500, રૂ. 1,000, રૂ. 5,000, રૂ. 10,000ના ગુણાંકમાં મળે છે. આ બચતપત્રો સરકારનું ઋણ હોવાથી તેમનું વ્યાજ સરકાર આપે છે. સરકારની પ્રવૃત્તિઓ કલ્યાણરાજ્યના સિદ્ધાંત…

વધુ વાંચો >

યકૃત (liver)

Jan 1, 2003

યકૃત (liver) : પેટના જમણા ઉપલા ભાગમાં આવેલો અને શરીરની રાસાયણિક ક્રિયાઓના મહત્વના કેન્દ્ર જેવો અવયવ. તેને કલેજું પણ કહે છે. પુખ્ત વયે તેનું વજન 1.4 કિલોગ્રામ (3 શેર) જેટલું હોય છે. તે ઉરોદરપટલની નીચે પેટના જમણા ઉપલા ભાગમાં તથા વચ્ચેના ઉપલા ભાગમાં આવેલો છે. તે લગભગ બધેથી પરિતનકલા (peritoneum)…

વધુ વાંચો >

યકૃત (માનવેતર પ્રાણીઓ)

Jan 1, 2003

યકૃત (માનવેતર પ્રાણીઓ) : જુઓ પાચનતંત્ર (માનવેતર પ્રાણીઓ)

વધુ વાંચો >

યકૃત અર્બુદ

Jan 1, 2003

યકૃત અર્બુદ : જુઓ યકૃતમાં ગાંઠ

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય (liver cirrhosis)

Jan 1, 2003

યકૃતકાઠિન્ય (liver cirrhosis) : ચેપ કે અન્ય કોઈ કારણસર યકૃતકોષોને થયેલી ઈજાને કારણે યકૃતમાં તંતુઓ તથા યકૃતકોષોના ગંડિકા-સ્વરૂપ પુન:સંજનન(regeneration)થી ઉદભવતી સ્થિતિ. તેમાં પેશીવિકૃતિ-સ્વરૂપે મુખ્ય 2 વિકૃતિઓ ઉદભવે છે  તંતુતા (fibrosis) અને ગંડિકાઓ (nodules). આ એક ગંભીર પ્રકારનો રોગ છે અને અમેરિકામાં મૃત્યુનાં કારણોમાં 10મે સ્થાને આવે છે. અમેરિકામાં વય-સંબંધિત મૃત્યુદર…

વધુ વાંચો >

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું

Jan 1, 2003

યકૃતકાઠિન્ય, ભારતીય શિશુનું (Indian childhood cirrhosis) : ફક્ત ભારતીય ઉપખંડમાં જોવા મળતો બાળકોનો યકૃતકાઠિન્યનો વિકાર. તેને ભારતીય લાળ-યકૃતકાઠિન્ય પણ કહે છે. તે 1 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. તેમાં પેટ સતત મોટું થતું રહે છે, બાળક ઉશ્કેરાયેલું રહે છે, કારણ ન દર્શાવી શકાય તેવો અનિયમિત અને મંદતીવ્રતાવાળો તાવ આવે છે,…

વધુ વાંચો >

યકૃતક્ષમતા-કસોટીઓ

Jan 1, 2003

યકૃતક્ષમતા-કસોટીઓ (liver function tests) : યકૃતનાં કાર્યો અને તેમાં થતી ક્રિયાઓ દર્શાવતી જૈવરાસાયણિક કસોટીઓ. તેમની મદદથી યકૃતના રોગોનું નિદાન, તેમનો એકબીજાથી નિદાનભેદ, યકૃતને થયેલા નુકસાનની તીવ્રતા તથા સારવારની અસર જાણી શકાય છે. તેમની કેટલીક મર્યાદાઓ પણ છે અને તે ઘણી વખત તીવ્ર વિકારની હાજરીમાં લગભગ સામાન્ય પરિણામો પણ આપે છે.…

વધુ વાંચો >

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy)

Jan 1, 2003

યકૃતજન્ય બેભાનાવસ્થા (કમળી, hepatic encephalopathy) : યકૃતના રોગને કારણે થતી બેભાનાવસ્થા. તેને કમળી અથવા યકૃતવિકારજન્ય મસ્તિષ્કરુગ્ણતા કહે છે. તેના લક્ષણસમૂહમાં વિવિધ ચેતા-માનસિક લક્ષણો થઈ આવે છે; જેમ કે સભાનતામાં ઘટાડો, વર્તનવિકાર, વ્યક્તિત્વવિકાર, વધઘટ થતાં ચેતાતંત્રીય ચિહ્નો, પંખકંપન (asterixis અથવા flapping tremor) વગેરે. મગજનો વીજાલેખ (મસ્તિષ્કી વીજાલેખ, electroencephalogram) વિશિષ્ટ પ્રકારના ફેરફારો…

વધુ વાંચો >

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension)

Jan 1, 2003

યકૃતમાર્ગીય અતિરુધિરદાબ (portal hypertension) : આંતરડાં અને બરોળમાંથી આવતા લોહીને યકૃતમાં મોકલવામાં આવે તેવા રુધિરાભિસરણમાં વધેલું દબાણ. બરોળ અને આંતરડાંમાંનું લોહી લઈ જતી શિરાઓ એકબીજીને મળીને નિવાહિકા શિરા (portal vein) બનાવે છે. તે યકૃતમાં પ્રવેશે છે અને યકૃતના કોષોની વચ્ચે આવેલી વિવરિકાભો (sinusoids) નામની પોલી જગ્યાઓમાં લોહી ઠાલવે છે. વિવરિકાભોમાંનું…

વધુ વાંચો >

યકૃતમાં ગાંઠ

Jan 1, 2003

યકૃતમાં ગાંઠ : યકૃતમાં કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠ. તેના મુખ્ય 2 પ્રકારો છે : સૌમ્ય (benign) અને મારક (malignant). મારક ગાંઠને કૅન્સર કહે છે. યકૃતમાં થતા કૅન્સરને યકૃતકૅન્સર, યકૃતકોષીય કૅન્સર, યકૃતકોષીય કર્કાર્બુદ (hepato-cellular carcinoma), યકૃતાર્બુદ (hepatoma) – એમ વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. (જુઓ કૅન્સર, યકૃતનું). યકૃતમાં આંતરડાં, જઠર,…

વધુ વાંચો >

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય

Jan 1, 2003

યકૃતવિકાર, ઔષધજન્ય અને વિષજન્ય (drug and toxin induced liver disease) : દવાઓ તથા રસાયણોની યકૃત પર થતી ઝેરી અસર. રોજ નવી દવાઓ બને છે, નવાં નવાં રસાયણોના સંસર્ગમાં અવાય છે. કુદરતી (નૈસર્ગિક) કે દ્રુમજન્ય (herbal) ઔષધોનો ઉપયોગ કરાય છે. આ બધાંમાંથી ઘણાં યકૃતમાં વિષતા સર્જે છે. તેને ઘણી વખત વિષાણુજ…

વધુ વાંચો >