ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

માતૃદેવી

Jan 22, 2002

માતૃદેવી : પ્રાચીન ભારતમાં પ્રચલિત માતૃશક્તિનું મૂર્તિસ્વરૂપ. ભારત ધર્મપરાયણ દેશ હોવાથી એમાં અનેક ધર્મસંપ્રદાયો તેમજ અનેકવિધ દેવી-દેવતાઓની ઉપાસના થતી જોવા મળે છે. પ્રાચીન કાલમાં પ્રકૃતિના દરેક તત્ત્વમાં જોવા મળતી વિશિષ્ટ શક્તિને કોઈ દેવતા-સ્વરૂપે ગણવામાં આવતી. આમાં માતૃ-દેવતાની કલ્પના જગતમાં વધુ પ્રાચીન હોવાનું જણાય છે. ભારતમાં પણ શક્તિને માતૃસિદ્ધાંત સાથે સાંકળવામાં…

વધુ વાંચો >

માતૃસત્તાક સમાજવ્યવસ્થા

Jan 22, 2002

માતૃસત્તાક સમાજવ્યવસ્થા : માનવઇતિહાસ જોતાં વિશ્વમાં આજે સાર્વત્રિક રીતે પુરુષપ્રધાન સમાજ-વ્યવસ્થાનું પ્રભુત્વ દેખાય છે. આમ છતાં કેટલાક આદિમ અને અન્ય સમુદાયોમાં માતૃપ્રધાન સમાજ-વ્યવસ્થા પણ અસ્તિત્વમાં છે. જે. જે બેશોફેન, જે. એમ. મેક્લેનન, એલ. એચ. મૉર્ગન અને ફ્રેડરિક એન્જલ જેવા કેટલાક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ સમાજની ઉત્ક્રાંતિના ક્રમને તપાસતાં પ્રથમ માતૃપ્રધાન સમાજવ્યવસ્થા…

વધુ વાંચો >

માથાઈ, વાંગારી (મુટા)

Jan 22, 2002

માથાઈ, વાંગારી (મુટા) (જ. એપ્રિલ, 1940, ન્યેરી, કેન્યા) : 2004ના શાંતિ નોબેલ પારિતોષિક-વિજેતા સૌપ્રથમ આફ્રિકન મહિલા, કેન્યા સરકારનાં મંત્રી અને પર્યાવરણની સુધારણાની ગ્રીનબેલ્ટ મુવમેન્ટનાં જનેતા અને તેનાં પ્રખર સમર્થક. વાંગારી મુટા કેન્યામાંના દૂરના વિસ્તારનાં રહીશ હતાં અને માતાપિતા લગભગ નિરક્ષર હોવાથી તેમની ચોક્કસ જન્મતારીખ મળતી નથી. જોકે નિરક્ષર માતાપિતા બાળકોના…

વધુ વાંચો >

માથુર, કૃપાશંકર

Jan 22, 2002

માથુર, કૃપાશંકર (જ. 1929; અ. 21 સપ્ટેમ્બર 1977, લખનૌ) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. 1951માં તેમની નિમણૂક લખનૌ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રના અધ્યાપક તરીકે કરવામાં આવી. ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી પીએચ. ડી.ની પદવી (1960) પ્રાપ્ત કરી. તેમણે કરેલા સંશોધનકાર્યનું પુસ્તક…

વધુ વાંચો >

માથુર, કૃષ્ણકુમાર

Jan 23, 2002

માથુર, કૃષ્ણકુમાર (જ. 30 જુલાઈ 1893, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 17 જુલાઈ 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ) : વીસમી સદીના જાણીતા ભૂસ્તરશાસ્ત્રીઓ પૈકીના એક. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક. રૉયલ સોસાયટીના માનાર્હ સભ્ય. શાંતિસ્વરૂપ ભટનાગર, બીરબલ સહાની અને મેઘનાદ સહાના સમકાલીન ભૂવિજ્ઞાની. પિતા સ્થાનિક સરકારી નોકરીમાં, તિજોરી-કચેરીમાં હતા. નિવૃત્તિ પછી તેઓ વૃંદાવનમાં વસેલા. પોતે…

વધુ વાંચો >

માથુર, ગિરિજાકુમાર

Jan 23, 2002

માથુર, ગિરિજાકુમાર (જ. 1919, અશોકનગર, જિ. ગુના, મધ્યપ્રદેશ) : હિંદી ભાષાના પ્રયોગશીલ કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મૈં વક્ત કે હૂં સામને’ માટે 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ. એ. અને કાયદાશાસ્ત્રની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી થોડો વખત વકીલાતનો વ્યવસાય કર્યા બાદ 1943માં આકાશવાણીમાં…

વધુ વાંચો >

માથુર, જગદીશચંદ્ર

Jan 23, 2002

માથુર, જગદીશચંદ્ર (જ. 16 જુલાઈ 1917, શાહજહાનપુર, ઉ.પ્ર.; અ. 14 મે 1978, દિલ્હી) : હિંદીના લબ્ધપ્રતિષ્ઠ નાટકકાર. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ આઈ.સી.એસ.ની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. પછી વિવિધ ઊંચા સરકારી હોદ્દાઓ પર કામગીરી કરી. 1955–62 દરમિયાન આકાશવાણી, દિલ્હીમાં નિયામકપદે રહ્યા અને એકાંકી નાટકોની સાથોસાથ રેડિયો-નાટકોના વિકાસમાં અદ્વિતીય પ્રદાન…

વધુ વાંચો >

માથેર, જ્હૉન ક્રોમવેલ

Jan 23, 2002

માથેર, જ્હૉન ક્રોમવેલ (જ. 7 ઑગસ્ટ 1946, રૉનોક, વર્જિનિયા) : અમેરિકન ખગોળ-ભૌતિકવિજ્ઞાની અને બ્રહ્માંડવિદ. તેમના COBE (Cosmic Background Explorer) ઉપરના સંશોધનકાર્ય માટે જ્યૉર્જ સ્મૂટની ભાગીદારીમાં 2006નો નોબેલ પુરસ્કાર તેમને મળેલો. 1964માં ન્યૂટન હાઈસ્કૂલ ન્યૂટન(ન્યૂ જર્સી)માં માધ્યમિક શિક્ષણ લીધું. 1968માં સ્વાર્થમોર કૉલેજમાંથી બી.એસસી. (ભૌતિકવિજ્ઞાન સાથે) થયા. 1974માં કૅલિફૉર્નિયા યુનિવર્સિટી(બર્કલે)માંથી પીએચ.ડી.ની ઉપાધિ…

વધુ વાંચો >

માથેરાન

Jan 23, 2002

માથેરાન : મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ મેટ્રોપૉલિટન પ્રદેશમાં આવેલું ગિરિમથક. ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 18 98´ ઉ. અ. અને 73 27´ પૂ. રે. પર સ્થિત છે. સમુદ્રસપાટીથી તેની ઊંચાઈ આશરે 800 મીટર છે. ભારતનું સૌથી નાનું આ ગિરિમથક છે જે પશ્ચિમઘાટમાં આવેલું છે. આ ગિરિમથકના વિસ્તારમાંથી ધાવરી નદી ઉદગમ પામે છે.…

વધુ વાંચો >

માદન, જમશેદજી ફરામજી

Jan 23, 2002

માદન, જમશેદજી ફરામજી (જ. 1856; અ. 1923) : ભારતમાં ચલચિત્રોને છબિઘર સુધી પહોંચાડનાર પારસી ગૃહસ્થ. તેમણે બંગાળમાં રંગમંચ અને ચલચિત્રના ક્ષેત્રે પાયાનું કામ કર્યું. કોલકાતાના ચિત્રઉદ્યોગ પર તેઓ છવાઈ ગયા હતા. વીસમી સદીના પ્રારંભે નાટક કંપનીથી પ્રારંભ કરીને પારસી અને ઉર્દૂ નાટકોનું મંચન કરીને ખૂબ લોકપ્રિયતા મેળવનાર માદન કંપની ભારતમાં…

વધુ વાંચો >