ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભૂમિકા

Jan 24, 2001

ભૂમિકા : એક અભિનેત્રીના જીવનમાં ડોકિયું કરાવતું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1976; અવધિ : 142 મિનિટ. રંગીન ચિત્ર, હિંદી ભાષામાં; નિર્માણ-સંસ્થા : બ્લેઝ ફિલ્મ એન્ટરપ્રાઇઝિઝ; દિગ્દર્શક-સહપટકથાલેખક : શ્યામ બેનેગલ; નિર્માતા : લલિત એમ. બિજલાની, ફ્રેની એમ. વરિયાવા; કથા : હંસા વાડકરની ‘સાંગત્યે એકા’ ઉપર આધારિત; સહપટકથાલેખક : ગિરીશ કર્નાડ; સંવાદ…

વધુ વાંચો >

ભૂમિતિ (Geometry)

Jan 24, 2001

ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…

વધુ વાંચો >

ભૂમિપુત્ર

Jan 25, 2001

ભૂમિપુત્ર (સ્થા. 1953) : સર્વોદય વિચારધારાને વરેલું વિચારપત્ર. 1951માં વિનોબાજીના ભૂદાન-ગ્રામદાન આંદોલનનો આરંભ થયો. એ આંદોલનને  ગુજરાતમાં ઉપાડી લેનાર કાર્યકરો શરૂમાં કોઈ પ્રસ્થાપિત મંડળ વિના જ કામ કરતા હતા. દર મહિને સાતમી તારીખે મળતી કાર્યકરોની ‘સપ્તમી સભા’ દ્વારા ગુજરાતના સમગ્ર કામનું સંયોજન થતું હતું. આ કાર્યકરોના આંદોલનને વેગ આપવા તેમના…

વધુ વાંચો >

ભૂમિમિત્ર

Jan 25, 2001

ભૂમિમિત્ર : મગધનો કણ્વવંશનો રાજા. ઈ. પૂ. 75માં વસુદેવ નામના અમાત્યે તેના માલિક દેવભૂમિને મારી નંખાવીને મગધમાં નવો વંશ સ્થાપ્યો. તે વંશ તેના ગોત્ર પરથી કણ્વ કે કણ્વાયન તરીકે જાણીતો થયો. આ વંશમાં વસુદેવ, ભૂમિમિત્ર, નારાયણ અને સુશાર્મણ નામે રાજા થઈ ગયા. પુરાણોમાં જણાવ્યા મુજબ આ વંશને આંધ્રોએ ફગાવી દીધો…

વધુ વાંચો >

ભૂમીય પરિબળો

Jan 25, 2001

ભૂમીય પરિબળો : જુઓ ‘મૃદા’

વધુ વાંચો >

ભૂમીય સજીવો

Jan 25, 2001

ભૂમીય સજીવો : જુઓ ‘મૃદા’

વધુ વાંચો >

ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology)

Jan 25, 2001

ભૂરચનાશાસ્ત્ર (ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર-Geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો (landforms), તેમાં વખતોવખત થતા રહેતા ફેરફાર, ઘસારાચક્ર, તેમનાં વર્ણન તેમજ અર્થઘટન કરતી ભૂસ્તરશાસ્ત્રની શાખા. પૃથ્વી ગોળાકાર ગણાતી હોવા છતાં તેની સપાટી ખૂબ જ અસમતળ અને અનિયમિત છે. સપાટીની આ અનિયમિતતા ભૂપૃષ્ઠમાં ચાલતાં રહેતાં આંતરિક અને બાહ્ય બળોને કારણે ઉદભવતી હોય છે. પૃથ્વી પર…

વધુ વાંચો >

ભૂરસાયણશાસ્ત્ર

Jan 25, 2001

ભૂરસાયણશાસ્ત્ર (Geochemistry) : પૃથ્વીના બંધારણમાં રહેલાં રાસાયણિક તત્વો સાથે તથા આ તત્વોનું પરિવર્તન કરતી રહેતી રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી વિજ્ઞાનશાખા. ભૂરસાયણશાસ્ત્રનો મુખ્ય હેતુ પૃથ્વીના ત્રણ વિભાગો – ખંડીય પોપડાનું, સમુદ્રીય પોપડાનું અને ભૂમધ્યાવરણનું તેમજ ભૂગર્ભજળ, સપાટીજળ અને વાતાવરણનું રાસાયણિક બંધારણ નક્કી કરવાનો હોય છે. ખડકો, ખનિજો અને જળનાં બંધારણ નક્કી…

વધુ વાંચો >

ભૂરાજકારણ

Jan 25, 2001

ભૂરાજકારણ : વિશ્વના રાજકીય વિકાસને તથા ઘટનાઓને ભૌગોલિક અર્થમાં – ભૂમિના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ. ભૂરાજકારણના સિદ્ધાંતો અનુસાર વિશ્વ મર્યાદિત પ્રમાણમાં ભૂમિ ધરાવે છે અને તમામ દેશો ભૂમિ મેળવવા સ્પર્ધા અને સંઘર્ષ કરતા હોય છે. આથી ભૂરાજકારણની ર્દષ્ટિએ વિદેશનીતિ સૌથી મહત્વની બાબત છે. ભૂરાજકારણમાં ભૂગોળવિદો, ઇતિહાસકારો ને રાજ્યશાસ્ત્રીઓ વિદેશનીતિ પરના ભૂગોળના…

વધુ વાંચો >

ભૂરાસાયણિક નિરીક્ષણ

Jan 25, 2001

ભૂરાસાયણિક નિરીક્ષણ (Geochemical Prospecting) : પૃથ્વીના પોપડાના ખડકોમાં ભંડારાયેલાં આર્થિક મહત્વ ધરાવતાં ખનિજોની ખોજ માટે કરવામાં આવતાં રાસાયણિક પૃથક્કરણો દ્વારા ઉપલબ્ધ ખનનયોગ્ય માહિતી મેળવવા માટેની પદ્ધતિ. હાથ પર લેવામાં આવતાં ખોજસંશોધનોમાં ભૂસ્તરીય અને ભૂભૌતિક નિરીક્ષણોની સાથે સાથે ભૂરાસાયણિક પદ્ધતિઓ પણ અખત્યાર કરવામાં આવે છે. સોળમા સૈકામાં ખનિજીય ઝરાઓ અને ભૂગર્ભીય…

વધુ વાંચો >