ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભૂખમરો

Jan 23, 2001

ભૂખમરો : જુઓ ‘ગરીબી’ અને ‘દુષ્કાળ’

વધુ વાંચો >

ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ

Jan 23, 2001

ભૂખરાં ખૂણિયાં ટપકાંનો ઝાળ રોગ : આંબાના પાન ઉપર લોફોડરમિયમ મેન્જિફેરી નામની ફૂગથી થતો રોગ. આ ફૂગનું આક્રમણ થતાં પાનની સપાટી ઉપર ખાસ કરીને પાનની ધાર તરફ, સફેદ અનિયમિત ખૂણા પાડતાં ટપકાં ઉત્પન્ન થાય છે. ટપકાં વૃદ્ધિ પામી મોટાં થતાં એકબીજાંની સાથે ભળી જવાથી ધારની સમાંતરે રાખોડી અથવા ઝાંખા ભૂખરા…

વધુ વાંચો >

ભૂ-ગણિત

Jan 23, 2001

ભૂ-ગણિત (geodesy) : પૃથ્વીની સપાટીનું સર્વેક્ષણ અને નકશા તૈયાર કરવા અંગેનું વિજ્ઞાન. ભૂ-ગણિત દ્વારા સ્થાન, અંતર, દિશાઓ, ઊંચાઈ વગેરે બાબતો મળી રહે છે; જે સિવિલ ઇજનેરી નૌકાવ્યવહાર (navigation), જમીનોની હદ નક્કી કરતી સંસ્થાઓ વગેરે માટે ઉપયોગી બની રહે છે. ભૂ-ગણિતમાં પૃથ્વીનાં આકાર અને કદ, બાહ્ય ગુરુત્વાકર્ષણ-ક્ષેત્ર, ક્ષૈતિજ અને લંબક-દિશામાં નિયંત્રણો…

વધુ વાંચો >

ભૂગતિવિજ્ઞાન

Jan 23, 2001

ભૂગતિવિજ્ઞાન (geodynamics, tectonophysics) : ભૂસંચલનની પ્રક્રિયાઓ સાથે સંબદ્ધ ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરીય ક્રિયાઓ અને તેનાં કારણોના મૂળમાં જતું વિજ્ઞાન. ભૂસ્તરીય રચનાઓ અને સંરચનાઓ સાથે સંકળાયેલું ભૌતિક પ્રવિધિઓનું વિજ્ઞાન. આ વિજ્ઞાનમાં ભૂસ્તરશાસ્ત્રીય સમસ્યાઓના ઉકેલ માટે ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતોનો આધાર લઈને અર્થઘટન કે મુલવણી કરવામાં આવે છે. પૃથ્વીના પેટાવિભાગો અને ભૂપૃષ્ઠરચનામાં થતા ફેરફારોની જાણકારી આ…

વધુ વાંચો >

ભૂગર્ભ

Jan 23, 2001

ભૂગર્ભ : જુઓ પૃથ્વી

વધુ વાંચો >

ભૂગર્ભ ઉષ્ણતા-આંક

Jan 23, 2001

ભૂગર્ભ ઉષ્ણતા-આંક : જુઓ પૃથ્વી

વધુ વાંચો >

ભૂગર્ભજળ

Jan 23, 2001

ભૂગર્ભજળ (Underground Water) અધોભૌમિક જળ. ભૂમિસપાટી નીચે ખડકસ્તરોમાં રહેલું જળ. વર્ષાજળ, ખડકછિદ્રજળ કે મૅગ્માજન્ય જળના એકઠા થવાથી ભૂપૃષ્ઠના ખડકસ્તરોમાં ભૂગર્ભજળરાશિ તૈયાર થાય છે. ભૂગર્ભજળ-સપાટી એ જળસંતૃપ્ત વિભાગની ઉપલી સપાટી છે. તે ભૂપૃષ્ઠની નીચે તરફ હવા-ઉપલબ્ધિ-વિભાગ(aerated zone)ની નિમ્નતમ સીમામર્યાદાનું તલ બાંધી આપે છે, અર્થાત્ એટલો વિભાગ તેની છિદ્રજગાઓમાં હવા અને જળથી…

વધુ વાંચો >

ભૂગર્ભજળશાસ્ત્ર

Jan 23, 2001

ભૂગર્ભજળશાસ્ત્ર (geohydrology):પૃથ્વીની સપાટી નીચે રહેલા જળનું વિજ્ઞાન. ભૂગર્ભજળશાસ્ત્ર અને જળભૂસ્તરશાસ્ત્ર(hydrogeology) બંને લગભગ સમાન વિષયો છે. આ શાખા કોઈ પણ વિસ્તારમાંના ભૂગર્ભજળના ગુણાત્મક અને જથ્થાત્મક પ્રકારો, જળસંચરણ અને પ્રાપ્તિ સાથે સંકળાયેલી છે. આ વિષયનું મહત્વ એટલા માટે છે કે ભૂગર્ભજળમાંથી મળતા લાભોનો સપાટીજળ સાથે સમન્વય કરી શકાય છે. આ શાખા ભૂસ્તરશાસ્ત્ર…

વધુ વાંચો >

ભૂગર્ભીય સરોવર

Jan 23, 2001

ભૂગર્ભીય સરોવર : હિમાવરણ હેઠળ ઢંકાયેલું સરોવર. દક્ષિણ ધ્રુવખંડ-ઍન્ટાર્ક્ટિકાના હિમાવરણ હેઠળ ઢંકાયેલું આ સરોવર અભિયાનકારી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. રશિયન અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ અહીંથી જે નમૂના મેળવ્યા છે તે 4,20,000 વર્ષ જૂના છે એવો વૈજ્ઞાનિકોનો દાવો છે. તેમના મત મુજબ, આ સરોવરનું જળ 5 લાખથી 10 લાખ વર્ષ પુરાણું હોવાની…

વધુ વાંચો >

ભૂગોળ

Jan 23, 2001

ભૂગોળ : પૃથ્વીની સપાટી પરનાં અનેકવિધ લક્ષણોની માહિતી આપતું શાસ્ત્ર. ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયેલો ‘ભૂગોળ’ શબ્દ પૃથ્વી ગોળ છે એવા શાબ્દિક અર્થ સિવાય કોઈ વૈજ્ઞાનિક અર્થ કે હેતુનો નિર્દેશ કરતો નથી, પરંતુ તેના અંગ્રેજી પર્યાય ‘geography’ દ્વારા વિષયની યથાર્થ સમજ મેળવી શકાય છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇરેટોસ્થિનિસે સર્વપ્રથમ…

વધુ વાંચો >