ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ભારતના ભૂસ્તરીય એકમો

Jan 15, 2001

ભારતના ભૂસ્તરીય એકમો : દ્વીપકલ્પ, બાહ્ય દ્વીપકલ્પ અને સિંધુગંગાનાં મેદાનો. ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર અને ભૌગોલિક સંદર્ભમાં જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર આ ત્રણ સ્પષ્ટ વિભાગોનો બનેલો છે. આ ત્રણ ભૂસ્તરીય એકમોનું પ્રાદેશિક વિતરણ નીચે મુજબ છે : (1) દ્વીપકલ્પીય વિસ્તાર : શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચસપાટ પ્રદેશ,…

વધુ વાંચો >

ભારતની જૈવ વિવિધતા

Jan 16, 2001

ભારતની જૈવ વિવિધતા ભારતની સજીવ સૃષ્ટિમાં દેખાતું વૈવિધ્ય. આમ તો ભારત દેશ પ્રકૃતિ, આબોહવા, સમાજ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા માટે પ્રખ્યાત છે. મુખ્યત્વે ઉષ્ણ કટિબંધ (tropical) પ્રદેશના ભારત વિસ્તારનાં વિભિન્ન પ્રાકૃતિક અને આબોહવાકીય અનુકૂળ પરિબળોને લીધે સજૈવ સૃષ્ટિ અત્યંત વૈવિધ્યપૂર્ણ રહેલી છે. બૃહદ્ વિવિધતા (megadiversity) ધરાવતા જૂજ પ્રદેશોમાં ભારતની ગણના…

વધુ વાંચો >

ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ

Jan 16, 2001

ભારતનો ભૂસ્તરીય ઇતિહાસ : ભારતીય ભૂસ્તરોને તેમના ઇતિહાસના સંદર્ભમાં મૂલવતાં, ભારતના સમગ્ર વિસ્તારમાં મળતા વિવિધ કાળના ખડકોને મુખ્ય ચાર સમૂહોમાં વહેંચી શકાય : (1) આર્કિયન સમૂહ, (2) પુરાણા સમૂહ, (3) દ્રવિડ સમૂહ અને (4) આર્ય સમૂહ. આ ચારેય સમૂહોને એપાર્કિયન (આર્કિયન-પશ્ચાત્) અસંગતિ, વિંધ્યપશ્ચાત્ અસંગતિ અને ઊર્ધ્વ કાર્બોનિફેરસ અસંગતિ જેવા નિક્ષેપ-વિરામ…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947

Jan 16, 2001

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947 : 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી જ ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિલીનીકરણની સમસ્યા સૌથી વધારે ઉગ્ર બનતી રહી છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધોમાં તે આડખીલીરૂપ બની રહેલી છે. ભારત સ્વાતંત્ર્ય ધારા, 1947ના અનુસંધાને ભારતના દેશી રાજવીઓને કાં ભારત સાથે અથવા પાકિસ્તાન સાથે સ્વેચ્છાથી જોડાવાનો…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965

Jan 16, 2001

ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965 : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલું બીજું ખુલ્લું યુદ્ધ. ભારત પર પાકિસ્તાનના લશ્કરી આક્રમણને કારણે બંને દેશો વચ્ચેની સરહદો સળગી ઊઠી. પ્રારંભે એપ્રિલ, 1965માં પાકિસ્તાને કચ્છના રણના વિસ્તારમાં આક્રમણ કર્યું અને પછી પાકિસ્તાનના લાહોર-સિયાલકોટ અને ભારતના છાંબ-જોરિયન વિસ્તાર સુધી ઑગસ્ટમાં આ સંઘર્ષ વિસ્તર્યો. ભારતીય સૈન્ય લાહોર…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971

Jan 16, 2001

ભારત–પાકિસ્તાન યુદ્ધ — 1971 : બાંગ્લાદેશના મુક્તિ આંદોલનના પરિપ્રેક્ષ્યમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધ. 1947માં ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રોના ઉદય પછી પશ્ચિમ પાકિસ્તાને સરકારી હોદ્દાઓ પરની નિમણૂકો, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, અંદાજપત્રીય ફાળવણી વગેરેમાં ભેદભાવભરી નીતિઓ અખત્યાર કરી. પૂર્વ પાકિસ્તાનના નાગરિકો જાણે કે બીજા દરજ્જાના નાગરિકો હોય અને…

વધુ વાંચો >

ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999

Jan 16, 2001

ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999 : આ યુદ્ધ મુખ્યત્વે કાશ્મીરના કારગિલ અને દ્રાસ વિસ્તારમાં લડાયું. કાતિલ ઠંડીને કારણે કારગિલ વિસ્તાર સાથેનો સંપર્ક શિયાળામાં તૂટી જતો. અતિશય ઠંડીને કારણે દર વર્ષની જેમ 1998ના શિયાળામાં આ વિસ્તારમાંથી ભારતીય લશ્કરી પહેરો ખસેડી લેવાયો હતો, જેને કારણે પાકિસ્તાનની ઘૂસણખોરી માટે આ વિસ્તાર સાવ ખુલ્લો…

વધુ વાંચો >

ભારત ભવન

Jan 16, 2001

ભારત ભવન : મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે આવેલું સાંસ્કૃતિક સંકુલ. 1980ના દશકામાં તેનો મૂળ વિચાર ઉદભવ્યો હતો અને તેની સ્થાપના થઈ હતી. સ્થાપના પછી આ ભવનમાંનાં સંગ્રહસ્થાન, ગ્રંથાલય, રંગભૂમિ તથા સંગીતકેન્દ્રે સાંપ્રત કલા પરત્વે દૂરગામી પ્રભાવ સર્જ્યો છે. સમસ્ત દેશ તેમ પરદેશમાંથી લલિત કલાઓ તથા રંગમંચીય કલાઓના કલાકારો માટે તે આકર્ષણ-કેન્દ્ર…

વધુ વાંચો >

ભારતભૂષણ

Jan 16, 2001

ભારતભૂષણ (જ. 14 જૂન 1923; અ. 27 જાન્યુઆરી, 1992) : હિન્દી ચલચિત્રોના, કવિ, શાયર અને સંતની ભૂમિકાઓ દ્વારા નામના પ્રાપ્ત કરનાર અભિનેતા. મેરઠના વકીલ મોતીલાલ અગ્રવાલને ઘેર તેઓ જન્મેલા. તેમનો સ્વભાવ જન્મથી જ વિદ્રોહી હતો. આ સ્વભાવના કારણે તેમને તેમના આર્યસમાજી પિતા સાથે બનતું નહોતું. તેઓ ઘર છોડીને અલીગઢમાં દાદી…

વધુ વાંચો >

ભારતમાં અંગ્રેજી રાજ

Jan 16, 2001

ભારતમાં અંગ્રેજી રાજ (1929) : ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મૂકેલ કુટિલ નીતિ, દગો, શોષણ વગેરેને આલેખતો ઇતિહાસનો ગ્રંથ. ઇતિહાસવિદ પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક હિંદી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું. એમાં ભારતીય ર્દષ્ટિબિંદુથી ભારતમાંના બ્રિટિશ શાસનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પંડિત સુંદરલાલે જણાવ્યું છે તેમ,…

વધુ વાંચો >