ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બીલીમોરિયા બંધુ
બીલીમોરિયા બંધુ [દીનશા (જ. 1906; અ. 13 ફેબ્રુઆરી 1972) અને એડી (જ. 1900; અ. 16 ફેબ્રુઆરી 1981)] : મૂક ચિત્રોના જમાનામાં ખૂબ લોકપ્રિય થયેલા આ બંને ભાઈઓ બીલીમોરાના વતની હતા અને ભદ્ર પારસી પરિવારનાં સંતાન હતા. મૂક ચિત્રોના સમયમાં જ્યારે અભિનેતાનો આકર્ષક ચહેરો અને શરીરસૌષ્ઠવ જ મહત્વનાં ગણાતાં ત્યારે બંનેને…
વધુ વાંચો >બીલેશ્વરનું મંદિર
બીલેશ્વરનું મંદિર : ગુજરાત રાજ્યમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં બિલ્વગંગા નદીકિનારે બીલેશ્વર ગામમાં આવેલું મહાદેવનું મંદિર. તેનો સમય સાતમી સદીના પ્રારંભનો હોવાનું જણાય છે. તલમાનના તેના ભાગોમાં ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને ગૂઢમંડપનો સમાવેશ થાય છે. ગર્ભગૃહમાં મોટા કદના શિવલિંગની પ્રતિષ્ઠા કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પાછળના સમયની છે. ગૂઢમંડપ લંબચોરસ આકારનો છે.…
વધુ વાંચો >બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન
બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન (જ. 1879, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1964) : કૅનેડાના અગ્રણી રાજકારણી અને અખબાર જૂથના સાહસિક ઉદ્યોગપતિ. 1910માં તેઓ બ્રિટન જઈને વસ્યા. ત્યાં તેઓ બ્રિટનની પાર્લમેન્ટના સભ્ય બન્યા (1911થી 1916) અને બૉનાર લૉના પ્રેસ સેક્રેટરી બન્યા. 1918માં લૉઇડ જ્યૉર્જ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમને માહિતી ખાતાના પ્રધાન બનાવાયા.…
વધુ વાંચો >બીવા સરોવર
બીવા સરોવર : જાપાનમાં આવેલું મોટામાં મોટું સ્વચ્છ જળનું સરોવર. જાપાની ભાષામાં તે બીવા-કો નામથી ઓળખાય છે. તે બીવા નામના જાપાની વાજિંત્રના આકારનું હોવાથી તેને ‘બીવા’ નામ અપાયેલું છે. ભૌગોલિક સ્થાન : 35° 15´ ઉ. અ. અને 136° 05´ પૂ. રે. પર તે હોંશુ ટાપુના દક્ષિણ-મધ્ય ભાગમાં કિયોટોથી ઈશાનમાં 9…
વધુ વાંચો >બી.સી.જી.
બી.સી.જી. : ક્ષય રોગ સામે રક્ષણ આપતી એક પ્રકારની રસી. કાલમેટ અને ગુએરીન નામના ફ્રેંચ વૈજ્ઞાનિકોએ 1921માં આ રસી શોધી હતી. ક્ષય રોગ માટે જવાબદાર બૅક્ટેરિયા Mycobacterium tuberculosis દંડાણુ (Bacillus) પ્રકારનો હોવાથી આ રસીને બેસિલસ ઑવ્ કાલમેટ–ગુએરીન (બી.સી.જી.) કહે છે. ગોજાતીય (bovine) પ્રાણીઓમાં ક્ષય ઉપજાવનાર સૂક્ષ્મજીવમાંથી બનાવવામાં આવતી તે એક…
વધુ વાંચો >બીસ્કેનો ઉપસાગર
બીસ્કેનો ઉપસાગર : પશ્ચિમ યુરોપના ફ્રાન્સ અને સ્પેન દેશો વચ્ચેના કિનારાઓ વચ્ચેનું ઍટલાન્ટિક મહાસાગરનું વિસ્તરણ. આ ઉપસાગર ફ્રાન્સની પશ્ચિમે તથા સ્પેનની ઉત્તરે વિસ્તરેલો છે. આ ઉપસાગરની મહત્તમ પહોળાઈ આશરે 480 કિમી. જેટલી છે. તેનું આ નામ સ્પેનના ખડકાળ કિનારા પર રહેતા બાસ્ક લોકો (Basques) પરથી પડેલું છે. સ્પેનના કિનારા પર…
વધુ વાંચો >બુકનેર, એડુઆર્ડ
બુકનેર, એડુઆર્ડ (જ. 20 મે 1860, મ્યૂનિક; અ. 13 ઑગસ્ટ 1917, ફોકસાની, રુમાનિયા) : આથવણ માટે જીવંત કોષોની જરૂર નથી તેવું દર્શાવનાર જર્મન રસાયણવિદ્. બુકનેરે પ્રો. નેગેલીના હાથ નીચે વનસ્પતિશાસ્ત્રનો તથા બાયર અને કર્ટિયસના હાથ નીચે યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિકમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1888માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બાયરના મદદનીશ તરીકે…
વધુ વાંચો >બુકનેર, જ્યૉર્ગ
બુકનેર, જ્યૉર્ગ (જ. 1813; અ. 1837) : જર્મન નાટ્યકાર. ગટે અને શિલર જેવા તત્કાલીન નાટ્યકારોની રંગદર્શી કૃતિઓ સામેના પ્રત્યાઘાત રૂપે એમણે લખેલાં બે નાટકો ‘ડેન્ટૉન્સ ટોડ’ (1834) અને ‘વૉઇઝેક’(1836)થી નાટ્યસાહિત્યમાં પ્રકૃતિવાદનાં એમણે પૂર્વએંધાણ આપ્યાં, જે 1880ના દાયકામાં ફૂલ્યાંફાલ્યાં. કેટલાકને મતે આ નાટકોમાં આલેખાયેલી હિંસા અને દૂષિત માનસિકતાથી 1920ના દાયકાના અભિવ્યક્તિવાદનું…
વધુ વાંચો >બુખારા
બુખારા : મધ્ય એશિયામાં ઉઝબેકિસ્તાન ગણરાજ્યનું મહત્વનું શહેર અને મધ્યયુગની ઇસ્લામી સભ્યતા તથા સંસ્કૃતિનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 39° 50´ ઉ. અ. અને 64° 20´ પૂ. રે. તે અફઘાન સરહદથી 440 કિમી. અને સમરકંદથી પશ્ચિમે 225 કિમી. અંતરે આવેલું છે. ઉઝબેક જાતિના તુર્કમાન લોકોની ભૂમિમાં ઝરઅફશાન નામની નદીના કાંઠે વસેલા…
વધુ વાંચો >બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ
બુખારિન, નિકોલાઈ ઇવાનૉવિચ (જ. 9 ઑક્ટોબર 1888, મૉસ્કો; અ. 14 માર્ચ 1938, મૉસ્કો) : સોવિયત સંઘના બૉલ્શેવિક પક્ષના નેતા, અર્થશાસ્ત્રી અને કૉમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલના એક અગ્રણી. તેમણે સમગ્ર અભ્યાસ તેમના વતન મૉસ્કો નગરમાં કર્યો. કૉલેજકાળમાં અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસ દરમિયાન તેઓ માર્કસના વિચારોથી પ્રભાવિત થયા અને તેને અનુસરવાનો ર્દઢ નિર્ધાર કર્યો. 1906માં…
વધુ વાંચો >