ખંડ ૧૩

બક પર્લથી બોગોટા

બક, પર્લ

બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…

વધુ વાંચો >

બકરાં

બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…

વધુ વાંચો >

બકસર

બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન :  તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…

વધુ વાંચો >

બકા

બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…

વધુ વાંચો >

બકાન લીમડો

બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…

વધુ વાંચો >

બકુલ

બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…

વધુ વાંચો >

બકુલબનેર કવિતા

બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…

વધુ વાંચો >

બકુલાદેવી

બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…

વધુ વાંચો >

બકુલેશ

બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…

વધુ વાંચો >

બકોર પટેલ

બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…

વધુ વાંચો >

બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ)

Jan 13, 2000

બાલગંધર્વ (મૂળ નામ નારાયણ શ્રીપાદ રાજહંસ) (જ. 26 જૂન 1888, ચિંચણી, જિ. સાંગલી, મહારાષ્ટ્ર; અ. 15 જુલાઈ 1967, પુણે) : મરાઠી રંગભૂમિના સુપ્રસિદ્ધ અભિનેતા. પિતા શ્રીપાદ કૃષ્ણાજી રાજહંસ, માતા અન્નપૂર્ણા. શિક્ષણ અંગ્રેજી બીજા ધોરણ સુધીનું જ લીધેલું. તેમણે 1906થી 1955 સુધી મરાઠી રંગભૂમિ પર સ્ત્રી અને પુરુષપાત્રોના એમના અભિનય તથા…

વધુ વાંચો >

બાલચંદ્ર

Jan 13, 2000

બાલચંદ્ર (ઈ. 13મી સદીનો પૂર્વાર્ધ) : સોલંકી યુગના સંસ્કૃત ભાષાના વિદ્વાન ગુજરાતી કવિ. તેમના પિતાનું નામ ધરદેવ અને માતાનું નામ વિદ્યુત્ હતું. તેમનાં માતાપિતા મોઢેરામાં રહેતાં હતાં. પિતા બ્રાહ્મણ હોવા છતાં જૈન ધર્મ તરફ આસ્થાવાળા હતા અને ગરીબો તથા સાધુઓને ઉદાર હાથે દાન આપનારા હતા. તેમનો પુત્ર મુંજાલ એ જ…

વધુ વાંચો >

બાલજીવન

Jan 13, 2000

બાલજીવન : જુઓ બાલસામયિકો

વધુ વાંચો >

બાલનચિન, જ્યૉર્જ

Jan 13, 2000

બાલનચિન, જ્યૉર્જ (જ. 1904, પિટ્સબર્ગ, રશિયા; અ. 1983) : રશિયાના નામી બૅલે-નર્તક અને નૃત્યનિયોજક (choreographer). તેમણે ‘ઇમ્પીરિયલ થિયેટર્સ’ની બૅલે સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે પોતાની નાની નૃત્યમંડળી સ્થાપી. 1924માં યુરોપના નૃત્યપ્રવાસ દરમિયાન, નર્તકોના નાના જૂથ સાથે તેમણે પોતાના દેશનો ત્યાગ કર્યો અને લંડનમાં સૉવિયેટ સ્ટેટના નર્તકો તરીકે કાર્યક્રમ આપ્યો. પછી…

વધુ વાંચો >

બાલનપ્રભુ વ્યંકટેશ્વર

Jan 13, 2000

બાલનપ્રભુ વ્યંકટેશ્વર (જ. 1880; અ. 1971) – વેલોટી વ્યંકટેશ્વરન્ (જ. 1882; અ. 1951) : તેલુગુ લેખકો. આ બંને લેખકોનો જન્મ કાકીનાડા(આંધ્રપ્રદેશ)માં થયો અને શાળામાં સાથે ભણતા હતા ત્યારની મૈત્રી હતી અને તે અંત સુધી ટકી રહી. એટલું જ નહિ, પણ બંનેએ સહિયારું સાહિત્યસર્જન કર્યું. કાકીનાડા દેશી રાજ્ય હતું અને રાજાએ…

વધુ વાંચો >

બાલબ્રહ્મેશ્વર

Jan 13, 2000

બાલબ્રહ્મેશ્વર : ભારતના કર્ણાટક રાજ્યના રાયચુર જિલ્લામાં તુંગભદ્રા નદીને કાંઠે આવેલું પ્રાચીન તીર્થ. એને ‘દક્ષિણ કાશી’ પણ કહે છે. અહીં અનેક પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં સાતવાહનો, ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલચુરિ, કાકતીય અને વિજયનગરના રાજાઓ પછી બહમનીના સુલતાનો અને મુઘલ બાદશાહોનું શાસન પ્રવર્ત્યું હતું. આ બધા સમયના અવશેષો તેમજ કેટલાંક સ્મારકો…

વધુ વાંચો >

બાલભારત

Jan 13, 2000

બાલભારત (નવમી સદી) : નાટ્યકાર રાજશેખરે રચેલું નાટક. મહાભારત પર આધારિત આ નાટકનું બીજું નામ ‘પ્રચંડપાંડવ’ એવું નાટ્યકારે આપ્યું છે, જે મહાભારતના યુદ્ધમાં પ્રચંડ બનેલા પાંડવોના સંદર્ભમાં યોગ્ય છે. જોકે તેનું ‘બાલભારત’ શીર્ષક વધુ જાણીતું છે. ‘બાલ’ નામથી ઓળખાતા કવિએ ભારત એટલે મહાભારત પર કરેલી નાટ્યરચના એવો અર્થ તારવી શકાય.…

વધુ વાંચો >

બાલમજૂરી

Jan 13, 2000

બાલમજૂરી : સગીર વયની વ્યક્તિ પાસેથી વેતનના બદલામાં કરાવવામાં આવતો શ્રમ. અર્થ : બાળકની વ્યાખ્યા અલગ અલગ કાયદાઓના હેતુ માટે અલગ અલગ રીતે કરવામાં આવી છે. (મિનિમમ વેજિઝ ઍક્ટ, ક. 2બી – બી મુજબ) ચૌદ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને બાળક ગણવામાં આવે છે. બાળકો એમનાં માબાપનું કાર્ય કરે તેને ‘સેવા’…

વધુ વાંચો >

બાલમનશ્ચિકિત્સાવિદ્યા

Jan 13, 2000

બાલમનશ્ચિકિત્સાવિદ્યા (child psychiatry) બાળકોમાં થતા માનસિક વિકારો તથા રોગોની સારવાર. બાળકોમાં વર્તન અને માનસિકતા(psychology)ના વિકારો સમજવા માટે તેમના વિકાસની સામાન્ય પ્રક્રિયા સમજવી જરૂરી ગણાય છે. બાળકોનો સામાન્ય માનસિક વિકાર : કોઈ બે બાળકો એકબીજાંથી અલગ પડે છે, તેમ છતાં તેમનાં શારીરિક અને માનસિક વિકાસમાં કેટલાંક સામાન્ય તથ્યો અને પ્રક્રિયાઓ જોવા…

વધુ વાંચો >

બાલમનોવિજ્ઞાન

Jan 14, 2000

બાલમનોવિજ્ઞાન જન્મ પૂર્વેના તબક્કાથી માંડીને તરુણાવસ્થાના શરૂઆતના તબક્કા (13–14 વર્ષની ઉંમર) સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન. વીસમી સદીની શરૂઆતમાં તેનો આરંભ થયો. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનુષ્યના અસ્તિત્વને આવરી લેતું સમગ્ર વર્તન. હવે મનુષ્યના સમગ્ર વર્તનનો અભ્યાસ એટલે ગર્ભાધાનથી જન્મ અને જન્મથી મૃત્યુ સુધીના…

વધુ વાંચો >