ખંડ ૧૩
બક પર્લથી બોગોટા
બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બકરાં
બકરાં આર્થિક ર્દષ્ટિએ એક અગત્યનું સસ્તન પ્રાણી. પાલતુ બકરાંનો સમાવેશ પશુધન(live stock)માં કરવામાં આવે છે. માનવી માટે તેનું દૂધ પૌષ્ટિક ખોરાકની ગરજ સારે છે, માંસાહારીઓ માટે તેનું માંસ સ્વાદિષ્ટ ગણાય છે, જ્યારે તેના વાળમાંથી પહેરવા માટેનાં ગરમ કપડાં, ઓઢવા માટેનાં કામળી, ધાબળા અને શાલ તેમજ ગાલીચાઓ જેવી ચીજો બનાવાય છે.…
વધુ વાંચો >બકસર
બકસર : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં વાયવ્ય છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 35´ ઉ. અ. અને 83° 59´ પૂ. રે.ની આજુબાજુનો 1,633.60 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને વાયવ્ય તરફ ઉત્તરપ્રદેશનો બલિયા જિલ્લો, પૂર્વ તરફ રાજ્યનો ભોજપુર જિલ્લો,…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બકાન લીમડો
બકાન લીમડો : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Melia azedarach Linn. (સં. पर्वत – निंब, महानिंब, रम्यक; હિં. बकाईन, द्रेक; બં. મહાનીમ, ઘોરા નીમ; મ. પેજી્ર; ગુ. બકાન લીમડો; અં. Persian Lilac, Bead tree) છે. તે 9.0થી 12.0 મી.ની ઊંચાઈ ધરાવતું મધ્યમ કદનું પર્ણપાતી…
વધુ વાંચો >બકુલ
બકુલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mimusops elengi Linn. (સં. બં. बकुल; મ. બકુલી; હિં. मोलसरी; ગુ. બકુલ, બોરસલ્લી, વરશોલી; અં. Bullet wood) છે. તે ભારતીય દ્વીપકલ્પ અને આંદામાનના ટાપુઓમાં થતું નાનાથી માંડી મોટું 3 મી.થી 10 મી.ની ઊંચાઈ ધરાવતું સદાહરિત વૃક્ષ છે અને…
વધુ વાંચો >બકુલબનેર કવિતા
બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા…
વધુ વાંચો >બકુલાદેવી
બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં…
વધુ વાંચો >બકુલેશ
બકુલેશ (જ. 11 ઑગસ્ટ 1910, કોઠારા, તા. અબડાસા, કચ્છ; અ. 5 નવેમ્બર 1957, મુંબઈ) : ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ. અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બરસીમના રોગો
બરસીમના રોગો : પ્રતિકૂળ જમીન અને વાતાવરણને અધીન બરસીમ વનસ્પતિને થતા જાતજાતના રોગો. બરસીમ કઠોળવર્ગનો ઘાસચારાનો મુખ્ય પાક છે. બરસીમને અનેક વ્યાધિજનથી 70 પ્રકારના રોગ થાય છે. તેમાં જીવાણુ, ફૂગ, વિષાણુ, કૃમિ, માઇકોપ્લાઝમા અને સપુષ્પ પરોપજીવી વનસ્પતિના આક્રમણથી થતા રોગોનો સમાવેશ થાય છે. તે પૈકીના નીચે જણાવેલા રોગ દર વર્ષે…
વધુ વાંચો >બરહમન, ચંદ્રભાણ
બરહમન, ચંદ્રભાણ (જ. આશરે 1574–75, લાહોર) : ભારતના ફારસી સાહિત્યના લેખકોમાંના સૌપ્રથમ હિંદુ લેખક. તેમની કામગીરી મુખ્યત્વે શાહજહાંના સમયમાં જોવા મળે છે. તેમનું પૂરું નામ રાયચંદ્રભાણ લાહોરી હતું. લાહોર તેમનું વતન હતું. તેમના પિતા ધરમદાસ, મુલ્લા અબ્દુલ હકીમ સિયાલકોટીના શિષ્ય હતા. બ્રાહ્મણ કુટુંબની પરંપરા મુજબ સંસ્કૃત અને હિન્દીનો તેમણે અભ્યાસ…
વધુ વાંચો >બરહાનપુર
બરહાનપુર : મધ્ય પ્રદેશના પૂર્વ નિમાડ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન 21° 15´ ઉ. અ. અને 76° 19´ પૂ. રે. તે તાપી નદીને ઉત્તરકાંઠે વસેલું છે. ખાનદેશના મલેક રાજા નાસિરખાન ફારૂકી(1380–1437)એ આ નગર વસાવી ત્યાંના સૂફી સંત બુરહાનુદ્દીનના નામ પરથી તેને નામ અપાયું. સુલતાન મલેક નાસિરખાન ફારૂકી પછીના બરહાનપુરના શાસકો ખાસ…
વધુ વાંચો >બરાક, એહુદ
બરાક, એહુદ (જ. 1942, મિશમાર હાશરોન કૃષિ વસાહત) : ઇઝરાયલના બાહોશ લશ્કરી અધિકારી, પૂર્વ સેનાધ્યક્ષ તથા રાજકીય મુત્સદ્દી. ફરજિયાત લશ્કરી કાયદા (conscription) હેઠળ 1959માં દેશના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયા ત્યારથી 1994 સુધીની કારકિર્દી દરમિયાન અનેક મહત્વનાં પદો પર કામ કર્યું, દા.ત., ટૅન્ક બ્રિગેડ કમાન્ડર, બખ્તરબંધ પાંખના ડિવિઝન કમાન્ડર, દેશની ખુફિયા…
વધુ વાંચો >બરાબર ગુફાઓ
બરાબર ગુફાઓ (ઈ. પૂ. ત્રીજી સદી) : મૌર્ય સમ્રાટ અશોકે આજીવિક સંપ્રદાયના સાધુઓ માટે બિહારના ગયા જિલ્લાના બરાબર પહાડમાં કંડારાવેલ ગુહાશ્રયો. ગયાથી 25 કિમી. ઉત્તરે આવેલી બરાબર ટેકરીમાંથી ચાર અને તેની સમીપની નાગાર્જુની ટેકરીમાંથી સમ્રાટ અશોકના પૌત્ર દશરથે કંડારાવેલી ત્રણ ગુફાઓ મળીને એમને ‘સાતઘર’ને નામે ઓળખવામાં આવે છે. આજે આ…
વધુ વાંચો >બરામિકા
બરામિકા : એક ઈરાની ખાનદાન (વંશ). ‘બરમક’ શબ્દનું અરબી બહુવચન. જોકે બરમક મૂળ ફારસી શબ્દ છે. તેનું મૂળ સ્વરૂપ ‘બરમુગ’ યા ‘પીરમુગ’ છે. તેનો અર્થ ‘અગિયારીનો મોટો પૂજારી’ એવો થાય છે. ‘નવબહાર’ના પૂજારીઓને ‘બરમક’ કહેવામાં આવતા. આમ ‘બરમક’ કોઈ એક વ્યક્તિનું નામ નહોતું, પરંતુ તે ‘નૌ બહાર’ના વંશ-પરંપરાગત મુખ્ય પૂજારીનો…
વધુ વાંચો >બરાસ-કસ્તૂરી
બરાસ-કસ્તૂરી : મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાકાર શામળે (વાર્તાસર્જનકાળ : ઈ. સ. 1718થી ઈ. સ. 1765 નિશ્ચિત) લખેલી પદ્યવાર્તા. તેની કથા આવી છે : કોસાંબી નગરીના રાજા ચિત્રસેનને તિલોત્તમા અપ્સરાએ 14 વર્ષના કુટુંબવિયોગનો શાપ આપ્યો. ચિત્રસેનની રાણી સગર્ભા બની. એને લોહીના સરોવરમાં સ્નાન કરવાની ઇચ્છા થતાં રાજાએ સરોવરમાં ગુલાલ અને બરાસ-કસ્તૂરી જેવાં…
વધુ વાંચો >બરી, જે. બી.
બરી, જે. બી. (જ. 16 ઑક્ટોબર 1861, મોનાઘન, આયર્લૅન્ડ; અ. 1 જૂન 1927, રોમ) : પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસકાર. આઇરિશ પાદરીના પરિવારમાં તેમનો જન્મ. માતાપિતા પાસે પ્રારંભિક શિક્ષણ મેળવીને તેઓ લંડનની ફૉઇલ કૉલેજ અને ત્યારબાદ ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને 1882માં સ્નાતક થયા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1885માં ફેલો તરીકે નિમાયા. ત્યારબાદ…
વધુ વાંચો >બરુવા, અજિત
બરુવા, અજિત (જ. 1928) : અસમિયા કવિ. કૉટન કૉલેજ ગુવાહાટીમાંથી અંગ્રેજી ઑનર્સ સાથે બી.એ. થઈ કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. પરીક્ષા 1947માં પસાર કરી. એ પછી થોડો સમય કૉટન કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કરી આસામ સરકારની સિવિલ સર્વિસમાં 1952થી જોડાયા. પૅરિસમાં બે વર્ષ વહીવટ વિશેનું પ્રશિક્ષણ લીધા પછી સરકારમાં જુદા જુદા ઉચ્ચ…
વધુ વાંચો >બરુવા, આનંદચંદ્ર
બરુવા, આનંદચંદ્ર (જ. 1907, ખુમ્તાઈ ટી એસ્ટેટ, મોરાન, આસામ અ. 1983) : ખ્યાતનામ અસમિયા કવિ તથા નાટ્યલેખક. 1926માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ કાશી વિશ્વવિદ્યાલયમાં જોડાયા, પણ આઝાદીની ચળવળ શરૂ થવાની સાથે તેમાં તેમણે ઝંપલાવ્યું અને અભ્યાસને તિલાંજલિ આપી દીધી. તેમની કારકિર્દીનો પ્રારંભ તેમણે પત્રકારત્વથી કર્યો. પછી રૉયલ ઍર ફૉર્સના…
વધુ વાંચો >