ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન)

Jan 22, 1999

પેશીસંવર્ધન (tissue culture) (આયુર્વિજ્ઞાન) : કોઈ સજીવની પેશી કે તેના કોષોને તેના શરીરની બહાર ઉછેરવાં તે. તેમાં અગાર (agar) કે સૂપ (broth) જેવાં પ્રવાહી, અર્ધપ્રવાહી કે ઘન વૃદ્ધિકારક દ્રવ્ય માધ્યમ(growth media)નો ઉપયોગ કરાય છે. અમેરિકન પૅથોલૉજિસ્ટ મૉન્ટ્રોઝ થૉમસ બરોઝે સૌપ્રથમ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. હાલ તે મુખ્યત્વે પ્રાણીઓની પેશીના…

વધુ વાંચો >

પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર)

Jan 22, 1999

પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર) : શરીરની બહાર કરવામાં આવતું પેશીઓનું સંવર્ધન. પેશી ઉપરાંત શરીરની બહાર કરવામાં આવતા છૂટાછવાયા કોષોના સંવર્ધનને પણ પેશીસંવર્ધન કહે છે. સજીવોના શરીરમાંથી વિશિષ્ટ જનીનોને અલગ કરીને તેમનું અન્ય સજીવોની પેશીમાં કુશળતાપૂર્વક પ્રસ્થાપન, વિષાણુઓનું અલગીકરણ, આર્થિક રીતે વધુ ઉપયોગી વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન, કૅન્સર જેવા માનવીને હાનિકારક…

વધુ વાંચો >

પેશીસંવર્ધન-ઔષધો (tissue culture drugs)

Jan 22, 1999

પેશીસંવર્ધન–ઔષધો (tissue culture drugs) : ઉચ્ચ કોટિનાં પ્રાણીઓ(higher animals)ની કે વનસ્પતિની પેશી (tissue), તેના ટુકડા અથવા અલગ કરેલા કોષોના કૃત્રિમ સંવર્ધન  પેશીસંવર્ધન દ્વારા મેળવવામાં આવતાં ઔષધો. હાલ વનસ્પતિઓમાંથી મળતી ઔષધિઓનો પૂરતો જથ્થો મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે; કારણ કે માનવી આડેધડ વનસ્પતિનો નાશ કરે છે અને તેને પૂરતા પ્રમાણમાં ઉગાડતો…

વધુ વાંચો >

પૅશ્ચુરીકરણ

Jan 22, 1999

પૅશ્ચુરીકરણ : ચોક્કસ સમય સુધી નિશ્ર્ચિત તાપમાને  પદાર્થને ગરમ કરી તેને સાચવવાની એક પ્રક્રિયા. `પાશ્ચરીકરણ’ના નામે તે જાણીતી છે. વિશેષ કરીને દૂધ સાચવવા આ પ્રક્રિયા મોટા પાયે અપનાવવામાં આવે છે. ગરમી આપવાની આ પ્રક્રિયાથી વાઇન કે બિયર જેવાં પીણાંનો બગાડ થતો અટકાવી શકાય. તેની શોધ લુઈ પૅશ્ચરે 1850-1860ના અરસામાં કરી.…

વધુ વાંચો >

પેશ્વા

Jan 22, 1999

પેશ્વા : શિવાજીના પ્રધાનમંડળમાંનો મુખ્ય પ્રધાન. શિવાજીની શાસન-વ્યવસ્થામાં આઠ પ્રધાનોને જુદાં જુદાં ખાતાંઓ આપવાની વ્યવસ્થા હતી. તેમાં મુખ્ય પ્રધાનને પેશ્વા તરીકે ઓળખવામાં આવતો. આ પ્રધાનો રાજાને સીધા જવાબદાર રહેતા. દરેક પ્રધાન સ્વતંત્ર રીતે કામ કરતો. રાજાની ગેરહાજરીમાં પેશ્વા રાજ્યના વડા તરીકે કામ કરતો અને રાજાના જેટલી સત્તા ભોગવતો. શરૂઆતમાં રાજાની…

વધુ વાંચો >

પેસ, લિએન્ડર

Jan 22, 1999

પેસ, લિએન્ડર (જ. 17 જૂન 1973, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી. સર્વકાલીન મહાન ડબલ્સ ટેનિસ ખેલાડીઓમાંના એક અને ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ જીતનો રેકૉર્ડ ધરાવનાર. તેમના પિતા વેસ પેસ, ગોઆન કૅથલિક વંશના ફિલ્ડ હૉકી ખેલાડી હતા. માતા જેનિફર પેસ બાસ્કેટબૉલ ખેલાડી હતાં. પરિવાર ખ્રિસ્તી ધર્મ…

વધુ વાંચો >

પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire)

Jan 22, 1999

પૅસિફિક અગ્નિવલય (Pacific Ring of Fire) : પૅસિફિક મહાસાગરને ફરતો જ્વાળામુખીનો પટ્ટો. દુનિયાના ઘણા ભાગોમાં જ્વાળામુખીઓ આવેલા છે, પરંતુ સમગ્ર પૃથ્વીના સંદર્ભમાં જોતાં તેમનું વિતરણ એકસરખી રીતે થયેલું જોવા મળતું નથી. પૅસિફિક મહાસાગર અને તેની આજુબાજુના વિસ્તારમાં તેઓ વધુ સંખ્યામાં અને અન્યત્ર ઓછી સંખ્યામાં જોવા મળે છે. કેટલાક જ્વાળામુખીઓ અમુક…

વધુ વાંચો >

પૅસી ફ્રેડરિક

Jan 22, 1999

પૅસી, ફ્રેડરિક (જ. 20 મે 1822, પૅરિસ; અ. 12 જૂન 1912, પૅરિસ) : શાંતિ માટેના સર્વપ્રથમ નોબેલ પુરસ્કારના સહવિજેતા (1901), ફ્રેન્ચ અર્થશાસ્ત્રી તથા આંતરરાષ્ટ્રીય લવાદપ્રથાના હિમાયતી. બીજા વિજેતા સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યાં આંરીદ્યુના(રેડક્રૉસના સ્થાપક) હતા. 1846-49 દરમિયાન ફ્રેન્ચ કાઉન્સિલ ઑવ્ સ્ટેટના લેખાપરીક્ષક (auditor) તરીકે પૅસીએ સેવાઓ આપેલી. ત્યારબાદ તેમણે તેમનો મોટાભાગનો સમય…

વધુ વાંચો >

પૅસીફ્લોરેસી

Jan 22, 1999

પૅસીફ્લોરેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે આશરે 12 પ્રજાતિ અને 600 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. Passiflora (Tacsonia સહિત) પ્રજાતિ લગભગ 400 જાતિઓ ધરાવે છે. ક્ષુપ અથવા શાકીય, ઘણી વાર કક્ષીય સૂત્રો સાથે કાષ્ઠલતા (liana) સ્વરૂપે; પર્ણો સાદાં કે સંયુક્ત, એકાંતરિક, ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ…

વધુ વાંચો >

પૅસેજ ટુ ઇન્ડિયા એ (1924) :

Jan 22, 1999

પૅસેજ ટુ ઇન્ડિયા, એ (1924) : ઈ. એમ. ફૉર્સ્ટરની સર્વોત્તમ કૃતિ. તેના પ્રકાશનની સાથે જ ફૉર્સ્ટરની સાહિત્યિક પ્રતિભા અને તેમના ઉદારમતવાદી દૃષ્ટિબિંદુને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. જાતિગત વિરોધાભાસો અને તેના પ્રત્યાઘાતોની આમાં અસરકારક રજૂઆત થઈ છે. આ કૃતિમાં સામાજિક વાસ્તવવાદ પણ જોવા મળે છે. આ નવલકથાની શરૂઆત ચંદ્રાપુર નામના એક…

વધુ વાંચો >