ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર, અજિત અનંતરાવ

પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પુરાણીજી પારિતોષિક

Jan 13, 1999

પુરાણીજી પારિતોષિક : ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ અને યોગની ગંગા વહાવનાર આનંદપુરુષ શ્રી અંબુભાઈ પુરાણીની સ્મૃતિમાં પૂ. શ્રી મોટા-પ્રેરિત સાહસ પારિતોષિક યોજના. ગુજરાતની પ્રજા જીવસટોસટનાં સાહસ-સેવાનાં કાર્યો પ્રત્યે અભિમુખ બને તથા યુવાવર્ગ અને જનતા આવાં સાહસ સાથે સંકળાયેલાં સેવાકાર્યો કરવા પ્રેરાય ને નીડર બને તે હેતુથી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, રાજપીપળાને ગુજરાતના…

વધુ વાંચો >

પુરાતત્ત્વ (ત્રૈમાસિક)

Jan 13, 1999

પુરાતત્ત્વ (ત્રૈમાસિક) : પુરાતત્ત્વના વિષયની માહિતી સરળ લેખો રૂપે ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરતું સામયિક. આ ત્રૈમાસિકના પ્રકાશન પાછળનો હેતુ હિન્દુસ્તાનની પ્રાચીન સંસ્કૃતિનાં રહસ્યોને ગુજરાતી વાચકો સમક્ષ સ્ફુટ કરવાનો હતો. રાષ્ટ્રીય કેળવણીના પ્રયોગને મૂર્ત રૂપ આપવા મહાત્મા ગાંધી દ્વારા 28 ઑક્ટોબર, 1920ના રોજ સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના ગૂજરાત મહાવિદ્યાલય(સ્થાપના 5-11-1920)ના એક વિભાગ…

વધુ વાંચો >

પુરાતત્વવિદ્યા

Jan 14, 1999

પુરાતત્વવિદ્યા I પુરાતત્વવિદ્યા : પરિભાષા, ધ્યેય અને કાર્યક્ષેત્ર : ‘પુરા’ અર્થાત્ પ્રાચીન. જેમાં પ્રાચીનત્વ છે – જેમાં પુરાપણાનું તત્વ છે તે ‘પુરાતત્વ’. એ સંબંધી વિદ્યાનું નામ પુરાતત્વવિદ્યા ‘આર્કિયૉલૉજી’. ગ્રીક પદ ‘આર્કિઑસ્’ અર્થાત્ ‘પુરા’ અને ‘લૉગસ્’ અર્થાત્ ‘શબ્દ/વ્યાખ્યાન/નિરૂપણ’ આદિ વિદ્યા હોય તો શબ્દનો ઉપયોગ કરી વ્યાખ્યાનાદિ થાય. આથી ‘લૉગસ્’નો લક્ષ્યાર્થ થયો…

વધુ વાંચો >

પુરાતન પ્રબન્ધ સંગ્રહ

Jan 14, 1999

પુરાતન પ્રબન્ધ સંગ્રહ : મુનિ જિનવિજયજીએ સંકલિત કરેલ પ્રબન્ધોનો સંગ્રહ. તે કોઈ એક સળંગ ગ્રંથ નથી, પરંતુ વિભિન્ન 6 પ્રબંધસંગ્રહોને ‘પ્રબન્ધચિન્તામણિ’માંના પ્રબંધોના ક્રમે સંકલિત કરી મુનિ જિનવિજયજીએ તૈયાર કરેલ એક સંગ્રહગ્રંથ છે. આ ગ્રંથને એમણે ‘(પ્રબન્ધચિન્તામણિગ્રંથસમ્બદ્ધ) ‘પુરાતન પ્રબન્ધ સંગ્રહ’ એવું નામ આપ્યું છે. આ ગ્રંથ કૉલકાતાના સિંઘી જૈન જ્ઞાનપીઠ તરફથી…

વધુ વાંચો >

પુરાવો

Jan 14, 1999

પુરાવો જેના પરથી અન્ય હકીકતના અસ્તિત્વ વિશે હકારાત્મક કે નકારાત્મક અનુમાન તારવી શકાય એ હકીકત સાબિત કરવા માટેની સામગ્રી. જે હકીકતનું અનુમાન તારવી શકાય એ મુખ્ય હકીકત ગણાય છે, અને જે હકીકતમાંથી એવું અનુમાન તારવી શકાય એ પુરાવો કહેવાય છે. દા. ત., ‘અ’ના મૃત શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા છે.…

વધુ વાંચો >

પુરી

Jan 14, 1999

પુરી : ઓડિસા રાજ્યના પૂર્વભાગમાં બંગાળના ઉપસાગરને કિનારે આવેલો જિલ્લો, જિલ્લામથક અને યાત્રાધામ. આ જિલ્લાની ઉત્તરે કટક, વાયવ્યમાં ધેનકાનલ, પશ્ચિમે ફૂલબાની, પશ્ચિમ તથા નૈર્ઋત્ય તરફ છત્રપુર જિલ્લાઓ તેમજ દક્ષિણ અને પૂર્વ તરફ બંગાળનો ઉપસાગર આવેલાં છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,055 ચોકિમી. તથા 2011 મુજબ વસ્તી 16,97,983 જેટલી છે. ભૂપૃષ્ઠ :…

વધુ વાંચો >

પુરી અમરીષ

Jan 14, 1999

પુરી, અમરીષ (જ. 22 જૂન 1932, નવાનશહર, જલંધર, પંજાબ; અ. 12 જાન્યુઆરી 2005, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના કલાકાર. ધારદાર અને ઘેરો અવાજ, લોખંડી દેહયષ્ટિ અને વિચક્ષણ અદાકારીને કારણે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભારતના રૂપેરી પડદા પર લોકચાહના મેળવનાર આ કલાકારને 40 વર્ષની ઉંમર સુધી નિર્ણયાત્મક ક્ષણ માટે રાહ જોવી પડી…

વધુ વાંચો >

પુરી ઓમ

Jan 14, 1999

પુરી, ઓમ (જ. 18 ઓક્ટોબર 1950, અંબાલા, પંજાબ; અ. 6 જાન્યુઆરી 2017, મુંબઈ) : હિંદી ચલચિત્રોની વિશિષ્ટ મુદ્રા ઉપસાવનાર અભિનેતા. ઓમ પુરીના પિતા રેલવેમાં કામ કરતા હતા અને ભારતીય સૈન્યમાં પણ હતા. ઓમ પુરીએ ગ્રૅજ્યુએશન ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા, પુણેમાંથી કર્યું. રુક્ષ, કઠોર, શીળીના ડાઘ ધરાવતો ચહેરો ભાગ્યે…

વધુ વાંચો >

પુરી, પ્રેમલતા

Jan 14, 1999

પુરી, પ્રેમલતા (જ. 30 મે 1937) : જાણીતાં શિક્ષિકા અને કલાકાર. સાંસ્કૃતિક શિક્ષણના ક્ષેત્રમાં એમનું કાર્ય અગત્યનું રહ્યું છે. એમણે સંગીત શિક્ષણ પદ્ધતિઓનો ઊંડો અભ્યાસ કર્યો તેમજ કેટલીક વ્યાખ્યાનમાળાઓનો અને સંગીત સમારંભોનું આયોજન કર્યું. તેઓએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે ભારતી કલા સંબંધી અનેક લેખ લખ્યા છે. તેમજ યુવા પેઢીમાં કલા…

વધુ વાંચો >

પુરુ (પોરસ)

Jan 14, 1999

પુરુ (પોરસ) (ઈ. પૂ. ચોથી સદી) : પંજાબનો શૂરવીર રાજા. તેની સત્તા હેઠળ જેલમ અને રાવિ નદી વચ્ચેના પ્રદેશો હતા. તેણે વિજયો મેળવીને પૂર્વમાં રાવિ નદીની આગળ તથા પશ્ચિમે તક્ષશિલાની સરહદ સુધી પોતાના પ્રદેશો વિસ્તાર્યા હતા; તેથી તક્ષશિલાનો રાજા આંભી પોરસની ઈર્ષા કરતો હતો અને દુશ્મનાવટ રાખીને વિદેશી આક્રમકને હુમલો…

વધુ વાંચો >