ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પોલરાઇઝિંગ સૂક્ષ્મદર્શક (polarising microscope/petrological microscope)

પોલરાઇઝિંગ સૂક્ષ્મદર્શક (polarising microscope/petrological microscope) : ખનિજો કે ખડકોની પ્રકાશીય પરખ માટે ઉપયોગમાં લેવાતું સાધન. ખનિજોની પરખ માટે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપરાંત પ્રકાશીય ગુણધર્મોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ હેતુ માટે એક વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે, જેમાં ખનિજછેદોના પ્રકાશીય ગુણધર્મોનું ધ્રુવીભૂત પ્રકાશની મદદથી અવલોકન…

વધુ વાંચો >

પોલરીમીટર

પોલરીમીટર : કોઈ એક માધ્યમ દ્વારા તેની ઉપર આપાત થતા તલધ્રુવીભૂત (plane polarized) પ્રકાશના ધ્રુવીભવન-તલનો પરિભ્રમણ કોણ માપવા માટેનું સાધન. ઈ. સ. 1815માં બાયોટ નામના વૈજ્ઞાનિકે પ્રાયોગિક રીતે દર્શાવ્યું કે ક્વાર્ટ્ઝ સ્ફટિક જેવા માધ્યમમાંથી તલધ્રુવીભૂત પ્રકાશનું કિરણ દૃક્-અક્ષની દિશામાં પસાર કરતાં માધ્યમમાં તેના કંપનતલ તેમજ ધ્રુવીભવન-તલનું પરિભ્રમણ થાય છે. આ…

વધુ વાંચો >

પોલરૉઇડ લૅન્ડ કૅમેરા

પોલરૉઇડ લૅન્ડ કૅમેરા : તસવીર ઝડપ્યા બાદ એક જ મિનિટમાં સંપૂર્ણ તસવીર તૈયાર કરી આપતો કૅમેરા. 1921ના લાયકા, 1927ના રૉલિફ્લૅક્સ અને 1937ના એક્ઝૅક્ટા જેવા કૅમેરાઓએ શરૂ કરેલી પ્રગતિ-દોડમાં કૂદકે ને ભૂસકે વૃદ્ધિ થતી ચાલી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી કૅમેરાએ ખરેખર ધડાકો તો ત્યારે કર્યો કે જ્યારે કોડૅક ઇન્સ્ટામેટિક્સ અને એ…

વધુ વાંચો >

પોલરૉગ્રાફી (polarography)

પોલરૉગ્રાફી (polarography) વિદ્યુતવિભાજનીય (electrolytic) કોષમાંના દર્શક વીજધ્રુવના વિભવના ફલન તરીકે વીજપ્રવાહના માપન દ્વારા દ્રાવણમાંના વિદ્યુતસક્રિય (electroactive) ઘટકની સાંદ્રતા શોધવાની વીજરાસાયણિક પદ્ધતિ. પોલરૉગ્રાફિક પદ્ધતિમાં એક ધ્રુવણીય સૂક્ષ્મ વીજધ્રુવ (polarizable micro-electrode) અને બીજા સંદર્ભ (અધ્રુવણીય) વીજધ્રુવ(દા. ત., સંતૃપ્ત કૅલોમલ વીજધ્રુવ, (SCE)નો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ વીજધ્રુવ તરીકે ટપકતા પારાના (પારદબિંદુપાતી) વીજધ્રુવ(dropping mercury…

વધુ વાંચો >

પૉલ વોલ્ફગૅન્ગ (Paul Wolfgang)

પૉલ, વોલ્ફગૅન્ગ (Paul, Wolfgang) (જ. 10 ઑગસ્ટ 1913, લૉરેન્ઝકિર્ક, સેક્સની, જર્મની; અ. 7 ડિસેમ્બર 1993, બૉન, જર્મની) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને હાન્સ જ્યૉર્જ ડેહમેલ્ટ વચ્ચે વિભાજિત થયો હતો અને બીજો અર્ધ ભાગ નૉર્મન ફૉસ્ટર રેમ્ઝીને મળ્યો હતો. વોલ્ફગૅન્ગ…

વધુ વાંચો >

પૉલ સંત

પૉલ, સંત (જ. આશરે ઈ. સ. 5, તાર્સસ, સિલિસિયા; અ. 29 જૂન 64, રોમ) : ખ્રિસ્તી ધર્મના મહાન પ્રચારક સંત. તેમનો જન્મ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં થોડાં વર્ષોમાં થયો હતો. તેમનાં મા-બાપ યહૂદી ધર્મનાં બિન્જામિન કુળનાં હતાં. તેઓ યહૂદી ધર્મની નિયમસંહિતાના મુખ્ય ભાગો શીખ્યા હતા. તેમનું જન્મસ્થળ રોમન હકૂમત હેઠળ…

વધુ વાંચો >

પૉલ સ્વરાજ

પૉલ, સ્વરાજ (જ. 18 ફેબ્રુઆરી 1931, જલંધર) : ભારતીય મૂળના ઇંગ્લૅન્ડના ઉદ્યોગપતિ, ત્યાંની ઉમરાવસભાના સભ્ય, અગ્રણી દાનવીર અને રાજકારણી. હાલના હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાના ખેડૂતકુટુંબમાં જન્મ. પિતાનું નામ પ્યારેલાલ અને માતાનું નામ માંગવતી. દેશના ભાગલા પૂર્વે લાહોરમાં વ્યાપાર કરતા આ પરિવારે 192૦ના અરસામાં તે વખતના પંજાબ પ્રાંતના જલંધર શહેરમાં સ્થળાંતર…

વધુ વાંચો >

પૉલાઇવૉલો ઍન્તોનિયો

પૉલાઇવૉલો, ઍન્તોનિયો (જ. 11 જાન્યુઆરી, 1433, ફ્લૉરેન્સ; અ. 5 ફેબ્રુઆરી, 1498, રોમ) : માનવદેહ-રચનાનો તજ્જ્ઞ ચિત્રકાર અને તૈલચિત્રની નવી તરકીબોનો પ્રણેતા. પિતા જેકોપો પૉલાઇવૉલોએ પુત્ર ઍન્તોનિયોને સોનીનો ધંધો શીખવા માટે બર્ટોલુચિયો દી મિકેલી પાસે મોકલ્યો. આ ઉપરાંત કાસ્તાન્યો પાસેથી ચિત્રકલા અને દોનતેલ્લો પાસેથી શિલ્પકલા શીખ્યો. થોડા જ વખતમાં ફ્લૉરેન્સના બધા…

વધુ વાંચો >

પોલાદ

પોલાદ : લોખંડ (Fe) અને ૦.૦2થી 1.7% સુધી કાર્બન (C) ધરાવતી મિશ્રધાતુ. પોલાદના ગુણધર્મો પર કાર્બન ભારે અસર કરતું તત્ત્વ હોઈ તેનું પ્રમાણ ૦.૦1%ની ચોકસાઈ સુધી દર્શાવવું આવશ્યક છે. ભરતર (cast) લોખંડમાં સામાન્ય રીતે 4.5% C હોય છે. જોકે લોખંડમાં કાર્બનની મિશ્ર થવાની સીમા 6.67% ગણાય છે. કાર્બન ઉમેરવાથી લોખંડ…

વધુ વાંચો >

પોલાની માઇકલ

પોલાની, માઇકલ (જ. 12 માર્ચ 1891, બુડાપેસ્ટ, હાલનું હંગેરી અને જૂનું ઑસ્ટ્રિયા–હંગેરી; અ. 22 ફેબ્રુઆરી 1976, લંડન) : હંગેરીના જાણીતા વિજ્ઞાની અને વિચારક. મૂળે વિજ્ઞાનના અઠંગ અભ્યાસી હોવાથી બુડાપેસ્ટ યુનિવર્સિટીમાં રસાયણવિજ્ઞાન, ઉષ્માયાંત્રિકી, ભૌતિક અધિશોષણ, એક્સ-કિરણો, સ્ફટિકવિજ્ઞાન અને તંતુકી વિજ્ઞાન – એમ ઘણાં ક્ષેત્રોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. 192૦માં બર્લિનની કૈઝર…

વધુ વાંચો >

પવયણસાર (પ્રવચનસાર)

Jan 1, 1999

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

Jan 1, 1999

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

Jan 1, 1999

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

Jan 1, 1999

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

Jan 1, 1999

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

Jan 1, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

Jan 1, 1999

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

Jan 1, 1999

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

Jan 1, 1999

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

Jan 2, 1999

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >