૧૧.૧૩

પુકારથી પુરાતત્વ (ત્રૈમાસિક)

પુરખુ

પુરખુ (જ.  અને અ. ઓગણીસમી સદી, કાંગડા ખીણનું સામ્લોટી ગામ) : પહાડી ચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. કૌટુંબિક અટક ‘ગુલેરિયા’ તજી દઈને પ્રથમ નામે (પુરખુ) જ ચિત્રો આલેખીને પ્રસિદ્ધિ મેળવી. પિતા ધુમ્મન કાંગડાના રાજા ઘમંડચંદના રાજ્યાશ્રિત ચિત્રકાર હતા. પુરખુએ પિતા પાસે તાલીમ મેળવી – ઘમંડચંદના અવસાન પછી તેમના પુત્ર રાજા સંસારચંદનો રાજ્યાશ્રય…

વધુ વાંચો >

પુરમ્

પુરમ્ : પ્રાચીન તમિળ સાહિત્યનો પ્રકાર. પ્રાચીન તમિળ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયેલું છે : એક અલમ્ ને બીજું પુરમ્. પુરમ્ સાહિત્યમાં સામૂહિક જનજીવનનું વૈવિધ્યપૂર્ણ નિરૂપણ હોય છે. એમાં મુખ્યત: નાયકની વીરતા, દાનવીરતા વગેરે ગુણોનું તેમજ યુદ્ધનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે. એના સાત પ્રકારો છે : વૈઙ્ચિ, વંજી, ઉલિલૈ,…

વધુ વાંચો >

પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર

પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર : રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર નક્કી કરતાં પરિબળોમાં પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોની ભૂમિકા નિર્ણાયક હોય છે એવું સૂચવતી વિચારસરણી. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રને જો લાંબા ગાળાના સંદર્ભમાં વિચારવામાં આવે તો પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોમાં ઉત્પાદકોને પ્રાપ્ય પ્રોત્સાહનો, શ્રમબજારની કાર્યક્ષમતા, અર્થતંત્રમાં બચતોનું પ્રમાણ, અર્થતંત્ર પરનાં સરકારનાં નિયંત્રણો વગેરેનો સમાવેશ થાય…

વધુ વાંચો >

પુરવઠો

પુરવઠો : ચોક્કસ સમયગાળા દરમિયાન જુદી જુદી કિંમતોએ કોઈ એક વસ્તુ તેના વેચનારાઓ જે જથ્થામાં વેચવા  તૈયાર હોય તે જથ્થો. પુરવઠાનો ખ્યાલ સૈદ્ધાંતિક છે. બજારની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં ‘પુરવઠો’ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે, વ્યવહારમાં ‘પુરવઠો’ શબ્દનો જે અર્થ છે તેનાથી…

વધુ વાંચો >

પુરવીદાણા (મોટી ઇલાયચી)

પુરવીદાણા (મોટી ઇલાયચી)  : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજિબરેસી (કર્પૂરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amomum subulatum Roxb. (હિં. બડી-ઇલાચી, બડી-ઇલાયચી; બં. બરા-ઇલાચી, બરો-એલાચ; મ. મોટે વેલ્ડોડે;, ગુ. મોટી ઇલાયચી, એલચો, પુરવીદાણા, કન્ન. ડોડ્ડા – યાલાક્કી; મલ. ચંદ્રબાલા, ઓરિયા – બડા – એલાઇચા; સં. બૃહદેલા, સ્થૂલૈલા, ભદ્રેલાબહુલા; તા. પેરિયા –…

વધુ વાંચો >

પુરંજન

પુરંજન : શ્રીમદભાગવત્ અનુસાર પાંચાલ દેશનો પ્રતાપી રાજા. આ રાજાએ એક વાર પશુ બલિ યજ્ઞમાં અનેક પશુઓનો બલિ આપ્યો હતો. પાછળથી આ ઘોર કર્મ માટે એને અત્યંત ગ્લાનિ થઈ. એ એના પ્રાયશ્ચિત માટે ચિંતિત હતો. નારદજીએ એને ખબર કહ્યા કે જે જે પશુઓનો તેં હોમ કર્યો છે એ બધાં તારા…

વધુ વાંચો >

પુરંદરદાસ

પુરંદરદાસ (જ. આશરે 1484 શિમોગા જિલ્લો, કર્ણાટક; અ. આશરે 2 જાન્યુઆરી, 1564 હમ્પી, કર્ણાટક) : કન્નડના વૈષ્ણવ કવિ. એ કવિ તથા સંગીતકાર હતા. એમને કર્ણાટક સંગીતના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમ કહેવાય છે કે એ પૂર્વે ખૂબ ધનાઢ્ય, પણ લોભી અને કંજૂસ હતા; પણ પછી જીવનમાં કંઈક એવું બન્યું…

વધુ વાંચો >

પુર:સરણ (precession)

પુર:સરણ (precession) : કોઈ પદાર્થ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કે ઘૂર્ણી ગતિ (spin) કરતો હોય ત્યારે બાહ્ય રીતે તેના ઉપર બળયુગ્મ (બળ-આઘૂર્ણ, torque) લગાડતાં તેના પરિભ્રમણ-અક્ષમાં પ્રાપ્ત થતો કોણીય વેગ. આ પ્રકારની પુર:સરણીય ગતિ ભમરડામાં, જાયરૉસ્કોપ(gyroscope)માં, અવકાશીય પદાર્થોમાં, ઇલેક્ટ્રૉન જેવા વિદ્યુતભારિત કણોમાં જોવા મળે છે. આકૃતિ 1 પોતાની ધરી ઉપર…

વધુ વાંચો >

પુરાકલ્પન

પુરાકલ્પન : મુખ્યત્વે અતિપ્રાચીન પ્રકારની દંતકથા પ્રકારની રચનાઓ માટે પ્રયોજાયેલી સાહિત્યિક સંજ્ઞા. અંગ્રેજી શબ્દ myth માટે ગુજરાતીમાં ‘પુરાકલ્પન’ પર્યાય યોજાય છે. પુરાકથાઓ ગુજરાતના લોકજીવનમાં ઓતપ્રોત છે. આ પુરાકથાનકોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : (1) સ્વભાવે ફાંટાબાજ હોવું, (2) સ્વપ્નસૃદૃષ્ટિનું નિર્માણ કરવું; (3) અલૌકિક સાથે વારંવાર હાથ મિલાવવો; (4) કોઈક મૂલ્યવાન…

વધુ વાંચો >

પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર

પુરાણ-સાહિત્ય અને શાસ્ત્ર 1. સાહિત્ય : હિંદુ ધર્મના વિશિષ્ટ ધાર્મિક ગ્રંથો. તેમાં પ્રાચીન કાળની વાર્તાઓ પણ રજૂ થઈ છે. વેદની વાતો સરળતાથી અને વિસ્તારથી સમજી શકાતી નથી એટલે વેદની વાતોનું વિવેચન (ઉપબૃંહણ) પુરાણોમાંથી મળે છે. પુરાણો પ્રાચીન કાળથી જાણીતાં છે, છતાં તેનો રચનાકાળ કહેવો મુશ્કેલ છે. એનું કારણ તેમાં પાછળથી…

વધુ વાંચો >

પુકાર

Jan 13, 1999

પુકાર : હિંદી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1939. અવધિ : 151 મિનિટ. શ્વેત અને શ્યામ. ભાષા : હિંદી. નિર્માણ-સંસ્થા : મિનર્વા મૂવિટોન. દિગ્દર્શક : સોહરાબ મોદી. કથા-ગીતો : કમાલ અમરોહી. છબીકલા : વાય. ડી. સરપોતદાર. સંગીત : મીર સાહિબ. કલાકારો : સોહરાબ મોદી, ચંદ્રમોહન, નસીમબાનુ, શીલા, સરદાર અખ્તર, સાદિક અલી. કમાલ…

વધુ વાંચો >

પુખ્તવય

Jan 13, 1999

પુખ્તવય : પુખ્તતા પ્રાપ્ત થઈ હોય તેવી ઉંમર. પુખ્તતાની સંકલ્પના માનસિક તેમજ શારીરિક વિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સાથે જોડાયેલી છે. ઉંમરના વધવા સાથે વ્યક્તિનાં જ્ઞાન અને અનુભવ વધે છે અને તેને આધારે તે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી બની શકે છે. જન્મ પછી પણ શરીરનાં વિવિધ અંગો, અવયવો અને અવયવી…

વધુ વાંચો >

પુટ્ટપ્પા કે. વી. (‘કુવેમ્પુ’)

Jan 13, 1999

પુટ્ટપ્પા, કે. વી. (‘કુવેમ્પુ’) (જ. 29 ડિસેમ્બર 1904, હિરેકાડિજ; અ. 11 નવેમ્બર 1994, મૈસૂર) : કન્નડના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક. તેમના પિતાએ તેમને કન્નડ ભાષાના ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તેમણે સૌપ્રથમ તીર્થહલ્લીની સ્થાનિક શાળામાં અને પછી મૈસૂર ખાતે અભ્યાસ કર્યો. તેમણે કન્નડમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી (1929). પાછળથી તે…

વધુ વાંચો >

પુટ્ટાસ્વામૈયા બી.

Jan 13, 1999

પુટ્ટાસ્વામૈયા, બી. (જ. 24 મે 1897; અ. 25 જાન્યુઆરી 1984) : કન્નડ સાહિત્યકાર. નવલકથા ને નાટ્યના લેખક ઉપરાંત પત્રકાર અને અનુવાદક તરીકે પણ તેમણે ખ્યાતિ મેળવેલી. નાનપણમાં પિતાજીના અવસાનને કારણે નવમા ધોરણથી આગળ શિક્ષણ લઈ શક્યા નહોતા. તેઓ આપબળે આગળ વધેલા સર્જક હતા. 1925માં તેઓ ‘ન્યૂ માઇસોર’ સાપ્તાહિકમાં જોડાયા. ‘વોક્કાલિંગારા…

વધુ વાંચો >

પુડુકોટ્ટાઈ

Jan 13, 1999

પુડુકોટ્ટાઈ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું મુખ્ય વહીવટી મથક. આ જિલ્લો રાજ્યની પૂર્વ દિશામાં બંગાળના ઉપસાગરના એક ભાગરૂપ પૉલ્કની સામુદ્રધુનીના ઉત્તર કિનારા પર આવેલો છે. ઉત્તર અને ઈશાનમાં તાંજાવુર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર અને તેની કિનારાપટ્ટી, દક્ષિણમાં મુથુરામલિંગમ્ અને રામનાથપુરમ્ જિલ્લા, પશ્ચિમ અને…

વધુ વાંચો >

પુડુવૈપ્પુ સંવત

Jan 13, 1999

પુડુવૈપ્પુ સંવત : જુઓ સંવત

વધુ વાંચો >

પુડોફકિન

Jan 13, 1999

પુડોફકિન (જ. 6 ફેબ્રુઆરી 1893, પેન્ઝા, રશિયા; અ. 30 જૂન 1953, જર્મેલા, લટેવિયા) : રશિયન ફિલ્મ-દિગ્દર્શક. મૂળ નામ : સ્યેવોલોદ પુડોફકિન. આ ખેડૂત-પુત્ર તેના કુટુંબ સાથે મૉસ્કોમાં વસતો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં તેણે ભૌતિક અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં અભ્યાસ અધૂરો રહ્યો. 1915ના ફેબ્રુઆરીમાં તે યુદ્ધમાં ઘાયલ થયો…

વધુ વાંચો >

પુણે (જિલ્લો)

Jan 13, 1999

પુણે (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : જિલ્લો 17o 54’થી 19o 24′ ઉ. અ. અને 73o 19’થી 75o 10′ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 15,642 ચોકિમી. જેટલું છે અને તેની કુલ વસ્તી 94,26,959…

વધુ વાંચો >

પુણેકર શંકર મોકાશી

Jan 13, 1999

પુણેકર, શંકર મોકાશી (જ. 1928, ધારવાડ, અ. 11 ઑગસ્ટ 2004, કર્ણાટક) : કન્નડ સાહિત્યકાર. તેમની કૃતિ ‘અવધેશ્વરી’ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના 1988ના વર્ષના પુરસ્કારને પાત્ર ઠરી હતી. ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ. એ.ની ડિગ્રી મેળવ્યા પછી 1965માં તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. બેન્દ્રેની કવિતા તથા યેટ્સના ચિંતનનો તેમના પર ઊંડો…

વધુ વાંચો >

પુણે કરાર

Jan 13, 1999

પુણે કરાર (1932) : ઈ. સ. 1919ના મૉન્ટફર્ડ સુધારા પછી અંગ્રેજ-સરકાર નવા બંધારણીય સુધારા જાહેર કરવા ઇચ્છતી હતી; પરંતુ કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભાઓમાં વિવિધ કોમો તથા વર્ગોને કેટલું પ્રતિનિધિત્વ આપવું એની ચર્ચાવિચારણા કરવા માટે બ્રિટિશ હિંદ, દેશી રાજ્યો તથા ઇંગ્લૅન્ડની બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચે ઇંગ્લૅન્ડમાં ગોળમેજી પરિષદો યોજાઈ. તેમાં સર્વસંમત…

વધુ વાંચો >