ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >પર્ટ (Programme Evaluation and Review Technique – PERT)
પર્ટ (Programme Evaluation and Review Technique – PERT) : નિર્માણયોજનાનાં વિક્ટ કાર્યો પૂરાં કરવા માટે, સમયનો અંદાજ કાઢી તદનુસાર સમયસારણી બનાવીને વિકસાવવામાં આવેલી સંકલન-પદ્ધતિ. નિર્માણયોજના સાંગોપાંગ સમયસર પૂરી થાય તે માટે વિવિધ પ્રકારની સંચાલકીય અંકુશપદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. તે પૈકી એક છે ‘કાર્યક્રમ મુલવણી અને પુનરવલોકન પદ્ધતિ’ (Programme Evaluation and…
વધુ વાંચો >પર્ણદત્ત
પર્ણદત્ત : ઈ. સ.ની પાંચમી સદીમાં સુરાષ્ટ્રનો રાજ્યપાલ. ગિરનાર અને જૂનાગઢની વચ્ચે આવેલા એક શૈલ ઉપર મગધના મહારાજધિરાજ સ્ક્ધદગુપ્તના સમયનો અભિલેખ કોતરેલો છે. તેમાં એ સમયના સુરાષ્ટ્રના રાજ્યપાલ પર્ણદત્ત વિશે માહિતી આપી છે. બીજા બધા પ્રદેશોના ગોપ્તા (રાજ્યપાલ) નીમીને સ્ક્ધદગુપ્તે સુરાષ્ટ્રમાં કોઈ યોગ્ય ગોપ્તા નીમવા માટે બહુ ચિંતન કર્યું (કેમ…
વધુ વાંચો >પર્ણવિન્યાસ (phyllotaxy)
પર્ણવિન્યાસ (phyllotaxy) : વનસ્પતિના પ્રકાંડ કે તેની શાખા પર ઉદ્ભવતાં પર્ણોનો ઉત્પત્તિક્રમ અને તેની ગોઠવણી. આ ગોઠવણી ખૂબ નિયમિત અને ગણિતીય હોય છે. જુદી જુદી વનસ્પતિની જાતિઓમાં પર્ણવિન્યાસ જુદો જુદો હોય છે; પ્રત્યેક જાતિમાં પર્ણવિન્યાસ નિશ્ચિત પ્રકારનો હોય છે. સામાન્યત: પ્રકાંડ નળાકાર અને લાંબું હોય છે અને જમીનની બહાર રહે…
વધુ વાંચો >પર્ણશબરી
પર્ણશબરી : ધ્યાની બુદ્ધ અમોધસિદ્ધિમાંથી આવિર્ભાવ પામેલ એક દેવી. હરિતવર્ણની આ દેવી મસ્તકે અમોધ સિદ્ધિને ધારણ કરે છે. પોતે જ્યારે પીતવર્ણની હોય ત્યારે મસ્તકે અક્ષોભ્યને ધારણ કરે છે. આ દેવી તંત્રમાર્ગમાં ખૂબ પ્રચલિત હતી. એને તંત્રમાર્ગમાં પિશાચી અને સર્વમારિપ્રશમની એટલે કે બધા રોગોને દૂર કરનારી તરીકે મનાતી. તે ત્રિમુખ, ત્રિનેત્ર…
વધુ વાંચો >પર્થ
પર્થ : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલા પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મહત્ત્વનું ઔદ્યોગિક મથક. ભૌગોલિક સ્થાન : 31° 56´ દ. અ. અને 115° પૂ. રે.. પશ્ચિમમાં હિન્દી મહાસાગર અને પૂર્વમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી ડાર્લિંગ હારમાળા વચ્ચેના મેદાનમાં તે સ્વાન નદીના કિનારે વસેલું છે. ઑસ્ટ્રેલિયાની પૂર્વમાં આવેલા સિડનીથી…
વધુ વાંચો >પર્થાઇટ (Perthite)
પર્થાઇટ (Perthite) : ફેલ્સપારનો પ્રકાર. બે ફેલ્સ્પારના આંતરવિકાસથી બનતું ખનિજ. ઑર્થોક્લેઝ અથવા માઇક્રોક્લિનનો આલ્બાઇટ સાથે આંતરવિકાસ રચાતાં તૈયાર થતું, મૂળ ખનિજોથી અલગ પડતું, ફેલ્સ્પાર ખનિજ. સૂક્ષ્મદર્શક હેઠળ જોવા મળતા આ પ્રકારના આંતરવિકાસને સૂક્ષ્મ-પર્થાઇટ (micro-perthite) કહેવો એ વધુ યોગ્ય ગણાય. આ પ્રકારના આંતરવિકાસમાં પોટાશ-ફેલ્સ્પારમાં સોડા-પ્લેજિયો- ક્લેઝની દોરીઓ, ટુકડાઓ કે વીક્ષાકારો જોવા…
વધુ વાંચો >પર્મિયન રચના
પર્મિયન રચના પ્રથમ જીવયુગના છ કાળગાળાઓ પૈકી છઠ્ઠા ક્રમે આવતા સૌથી ઉપરના વિભાગ પર્મિયન કાળ દરમિયાન તૈયાર થયેલી ખડકરચના. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં આ રચનાના સ્તરોની જમાવટ આજથી ગણતાં 28 ણ્ કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 22.5 કરોડ વર્ષ અગાઉ પૂરી થયેલી હોઈને તેનો કાળગાળો 5.5 કરોડ વર્ષનો ગણાય. તેની…
વધુ વાંચો >પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો
પર્મેનન્ટ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરો : 1910ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારની વિજેતા સંસ્થા. સ્થાપના 1892. શાંતિ માટે સઘન પ્રયાસ કરી શકે તેવી સંસ્થા ઊભી કરવાનો વિચાર ફ્રેડરિક બેજર નામના વિશ્વશાંતિના પુરસ્કર્તાએ રજૂ કર્યો. 1880માં લંડન ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય-રાજકીય પરિષદમાં તે માટે એક સમિતિની રચના કરવામાં આવી અને તેના અનુસંધાનમાં 1891માં સ્વિટ્ઝર્લૅન્ડના…
વધુ વાંચો >પર્યાયકોશ
પર્યાયકોશ : શબ્દકોશનો એક પ્રકાર. તેમાં શબ્દોના પર્યાય આપવામાં આવે છે. સામાન્ય શબ્દકોશમાં કોશની યોજના પ્રમાણે અકારાદિ ક્રમથી પદોના અર્થ નોંધવામાં આવે છે. પર્યાયકોશ એવી શબ્દસૂચિ છે, જેમાં અકારાદિ ક્રમને નહિ પણ અર્થ કે વિભાવનાને અનુસરીને સમાન ક્ષેત્રના શબ્દો એકત્ર કરવામાં આવે છે. જરૂર પ્રમાણે તેમાં ઉપજૂથો પણ રચવામાં આવે…
વધુ વાંચો >પર્યાવરણ
પર્યાવરણ સજીવોના જીવન અને વિકાસને અસર કરતાં બાહ્ય ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોનો સમગ્ર વિસ્તાર. તેમાં જમીન, પાણી, હવામાન, ઊર્જા અને ખાદ્ય પુરવઠા ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો પણ સમાવેશ થાય છે. તેનું સ્વરૂપ અત્યંત જટિલ અને પરિવર્તનશીલ છે તથા તેમાં અન્યોન્ય અસર કરે તેવા ઘણા પરિવર્તકો (variables) સમાયેલા છે.…
વધુ વાંચો >