ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ
પરમાર, જયમલ્લભાઈ પ્રાગજીભાઈ (જ. 6 નવેમ્બર 1910, વાંકાનેર; અ. 21 જૂન 1991, રાજકોટ) : ગુજરાતના એક સ્વાતંત્ર્યસેનાની અને લેખક. પત્રકાર, નવલકથાકાર, નાટ્યલેખક તેમજ લોકસાહિત્યના સંપાદક, સંશોધક અને વિવેચક. પિતા પ્રાગજીભાઈ ત્રણ ગામના તાલુકદાર. પિતાનું અવસાન થતાં મોસાળ(મોરબી)માં ઊછર્યા. અભ્યાસ છ ધોરણ સુધી. અગિયાર વર્ષ પછી એક દાયકો રઝળપાટમાં ગાળ્યો અને…
વધુ વાંચો >પરમાર, દેશળજી કહાનજી
પરમાર, દેશળજી કહાનજી (જ. 13 જાન્યુઆરી 1894, સરદારગઢ; અ. 12 ફેબ્રુઆરી 1966, ગોંડલ) : ગુજરાતી કવિ. ગણોદ(તા. ગોંડલ)ના વતની. 1912માં મૅટ્રિક. 1916માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ.. કાયદાના વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા, પણ 1918માં અભ્યાસ અધૂરો છોડી ગોંડલમાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. 1922માં અમદાવાદની વનિતાવિશ્રામ શાળામાં શિક્ષક તરીકે આવ્યા. એ દરમિયાન…
વધુ વાંચો >પરમાર રાજ્યો
પરમાર રાજ્યો : પરમાર વંશનાં રાજ્યો માળવા, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલાં હતાં. અવંતી, આબુ, વાગડ, ભિન્નમાલ અને કિરાડુ રાજસ્થાનમાં અને દાંતા, મૂળી ને સંતરામપુર રાજ્યો ગુજરાતમાં હતાં. માળવા : પરમાર વંશનું સૌથી મોટું અને પ્રસિદ્ધ રાજ્ય અવંતી માળવાનું હતું. તેની પ્રથમ રાજધાની ઉજ્જૈન હતી પણ મુંજના સમયમાં ધારા નગરી તેની…
વધુ વાંચો >પરમાર વંશ
પરમાર વંશ : રજપૂતોનાં કુલ 36 કુળો પૈકીનું એક કુળ. અનુશ્રુતિ પ્રમાણે રજપૂતો મુખ્યત્વે સૂર્ય અને ચંદ્ર વંશના છે. પરમાર વંશના મૂળ પુરુષની ઉત્પત્તિ આબુ પર્વત ઉપર વસિષ્ઠે કરેલા યજ્ઞકુંડમાંથી થઈ હતી. તેથી આ વંશના રાજાઓ અગ્નિકુળના કહેવાય છે. આ કુળની વિગત માળવાના રાજા સિંધુરાજના રાજકવિ પદ્મગુપ્ત પરિમલના મહાકાવ્ય ‘નવસાહસાંકચરિત’માંથી…
વધુ વાંચો >પરમાશ્વ
પરમાશ્વ : બૌદ્ધ દેવતા હયગ્રીવનું બીજું સ્વરૂપ : ધ્યાની બુદ્ધ અક્ષોભ્યમાંથી ઉદભવેલ દેવી-દેવતાઓમાં હયગ્રીવની જેમ પરમાશ્વ એટલે કે મહાન અશ્વ તરીકે ઓળખાતા આ દેવ ઉદભવેલા છે. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તે ચતુર્મુખ અને અષ્ટભુજ છે. તેને ચાર પગ છે. ત્રણ નેત્રવાળું પ્રથમ મુખ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. તેનાં આયુધાં વજ્ર…
વધુ વાંચો >પરમિયો (gonorrhoea)
પરમિયો (gonorrhoea) : નિસેરિયા ગોનોકોકાઈ નામના જીવાણુ(bacteria)થી થતો જાતીય સંસર્ગ વડે ફેલાતો ચેપી રોગ. પરમિયાના જીવાણુઓને યુગ્મગોળાણુ (diplococci) કહે છે. તે ગોળ છે અને બે-બેની જોડમાં જોવા મળે છે. તે ગ્રામ-પદ્ધતિથી અભિરંજિત થતા નથી માટે તેને ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુ પણ કહે છે. સામાન્ય રીતે તેનો ચેપ લાગ્યા પછી 2થી 10…
વધુ વાંચો >પરમેશ્વર એસ.
પરમેશ્વર એસ. (જ. 1877; અ. 15 જૂન 1949) : મલયાળમ લેખક. રૂઢિચુસ્ત તમિળ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. નાનપણથી જ સંસ્કૃત શીખવા માંડ્યું. બી.એ.માં ફિલૉસૉફી વિષય લઈને પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને પછી સ્નાતકોત્તર અધ્યયન એમણે મલયાળમ અને તમિળમાં કર્યું. એમણે એલએલ.બી.ની પરીક્ષામાં પણ પ્રથમ વર્ગ મેળવ્યો હતો. એ પછી એ ત્રાવણકોર…
વધુ વાંચો >પરરૂપતા (pseudomorphism)
પરરૂપતા (pseudomorphism) : અન્ય ખનિજનું સ્વરૂપ ધારણ કરતી પરિવર્તન-ઘટના. કોઈ પણ સ્ફટિક કે ખનિજ કે જેનું બાહ્ય-સ્વરૂપ અન્ય કોઈ સ્ફટિક કે ખનિજ જેવું દેખાતું હોય તેને પરરૂપ (pseudomorph) કહેવાય અને અન્યનું સ્વરૂપ લેતી ઘટના પરરૂપતા કહેવાય; દા. ત., વ્યાઘ્રચક્ષુ (tiger’s eye). આ ખનિજ ક્વાર્ટ્ઝનો અર્ધકીમતી રત્નપ્રકાર છે, જેમાં ક્વાર્ટ્ઝ ઍસ્બેસ્ટૉસ(ક્રોસિડોલાઇટ)નું…
વધુ વાંચો >પરરોહી વનસ્પતિ
પરરોહી વનસ્પતિ : જમીનમાં મૂળ ન ધરાવતી અને જમીનથી ઊંચે અન્ય વનસ્પતિ કે જીવાધાર (substratum) પર થતી વનસ્પતિ. તે યજમાન (host) વનસ્પતિની શાખાઓ ઉપર, શાખાઓની ખાંચોમાં કે વૃક્ષની છાલ પર માત્ર ભૌતિક આધાર લઈને રહે છે. કેટલીક પરરોહી વનસ્પતિઓ ખડકો અને ટેલિગ્રાફના વાયર પર પણ થાય છે. તે હવામાંથી કે…
વધુ વાંચો >પરવળના રોગો
પરવળના રોગો : પરવળને થતાં પાનનાં ટપકાં, ભૂકી છારો અને થડના કોહવારાના જેવા રોગો. પરવળ વેલાવાળી શાકભાજીના વર્ગનો ખૂબ જ કીમતી, આર્થિક રીતે ખૂબ સારી આવક આપતો પાક છે. સર્કોસ્પોરાનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ પરવળ ઉગાડતા બધા જ પ્રદેશમાં જોવા મળે છે. ફૂગનું…
વધુ વાંચો >