History of India

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અગસ્ત્ય

અગસ્ત્ય : એક પ્રસિદ્ધ ઋષિ. ઉર્વશી નામની અપ્સરાના રૂપદર્શનથી કામપીડિત બનેલ મિત્ર અને વરુણ (મિત્રાવરુણ) દેવનું શુક્ર સ્ખલિત થતાં તેમાંથી જન્મેલ અગસ્ત્ય ઋષિનું એક નામ મૈત્રાવરુણિ પણ છે. તે ઉપરાંત ઔર્વશેય, કુંભમાંથી પેદા થયેલ હોવાથી કુંભયોનિ, ઘટોદ્ભવ વગેરે નામ પણ છે. ઋગ્વેદનાં ઘણાં સૂક્તોના દ્રષ્ટા આ અગસ્ત્યનાં પત્નીનું નામ લોપામુદ્રા…

વધુ વાંચો >

અગ્નિમિત્ર

અગ્નિમિત્ર : શુંગ વંશના રાજા પુષ્યમિત્રનો પુત્ર. એનું રાજ્ય વિદિશામાં હતું. એણે યજ્ઞસેનના પિતરાઈ માધવસેનને પોતાના પક્ષમાં લઈ વિદર્ભ પર આક્રમણ કર્યું અને યજ્ઞસેનને હરાવી માધવસેનને વિદર્ભનું અર્ધું રાજ્ય અપાવ્યું. માધવસેનની બહેન માલવિકા રાજા અગ્નિમિત્રને પરણી. તેને અનુલક્ષીને કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્રમ્’ નામે નાટક લખ્યું. એમાં જણાવ્યા અનુસાર અગ્નિમિત્રનું વર્ચસ્, દક્ષિણમાં વિદર્ભ…

વધુ વાંચો >

અજ

અજ : ભારતીય ઇતિહાસમાં અજ નામના અનેક રાજાઓ થઈ ગયા. ઋગ્વેદના સાતમા મંડળમાં વર્ણવેલા દાશરાજ્ઞ યુદ્ધમાં સુદાસના શત્રુનું નામ અજ હતું. અજ નામે એક પાંડવપક્ષીય રાજા પણ હતો. પ્રિયવ્રત વંશના ઋષભદેવના કુળમાં જન્મેલા પરિહર્તા અને સ્તુતિના મોટા પુત્રનું નામ અજ હતું. વિજયકુળમાં થયેલા બલાકાશ્વ રાજાના પુત્રનું નામ અજ હતું. અજ…

વધુ વાંચો >

અજમેર

અજમેર : ભારતના રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : આશરે 8,481 ચોકિમી. વસ્તી : જિલ્લો 25,08,000 (2011); શહેર 5,42,321 (2011). રાજપૂત શાસક અજયદેવે અગિયારમી સદીમાં અજમેરની સ્થાપના કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ પાસેથી સુલતાન મુઇજુદ્દીન મહમ્મદ ઘોરીએ એ જીતી લીધું. 1193માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય…

વધુ વાંચો >

અજંતાની ગુફાઓ

અજંતાની ગુફાઓ પ્રાચીન ભારતની જગવિખ્યાત બૌદ્ધ ગુફાઓ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી 103 કિમી. અને જલગાંવ રેલવે સ્ટેશનથી 55 કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતા નામનું ગામ સમીપમાં હોઈને ગુફાઓ એ નામે ઓળખાઈ છે. બાઘોરા નદીની ઉપલી ખીણની શૈલમાળાના એક પડખાને કોતરીને અર્ધચંદ્રાકારે 30 જેટલી ગુફાઓ તેના સ્થાપત્ય અને શિલ્પભંડાર…

વધુ વાંચો >

અજાતશત્રુ

અજાતશત્રુ :મગધના હર્યંક વંશનો પ્રસિદ્ધ રાજા. બિંબિસાર(શ્રેણિક)નો પુત્ર, જે જૈન પરંપરામાં કૂણિક તરીકે ઓળખાયો છે. એણે એના પિતાને કેદ કરેલા ને એ પુત્રના હાથે કે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો હતો. અજાતશત્રુએ કોસલના રાજા પ્રસેનજિતને હંફાવ્યો ને કાશીની જાગીર પાછી મેળવી. પછી અમાત્ય વસ્સકારને વૈશાલી મોકલી ભેદનીતિ વડે લિચ્છવીઓમાં ફાટફૂટ પડાવી.…

વધુ વાંચો >

અજિતસિંહ (2)

અજિતસિંહ (2) (જ. 23 ફેબ્રુઆરી, 1881, ખતકર કલાન, જિ. જલંદર, પંજાબ; અ. 15 ઑગસ્ટ 1947) : ભારતીય ક્રાંતિકાર. પિતા અરજણસિંહ અને માતા જયકૌર. પ્રખ્યાત ક્રાંતિકાર ભગતસિંહના કાકા. તેઓ જાટ શીખ હતા. તેમણે માધ્યમિક શિક્ષણ જલંદરમાં અને ઉચ્ચ શિક્ષણ ડી. એ. વી. કૉલેજ, લાહોરમાં લીધું. બી.એ. પાસ થયા બાદ બરેલીની લૉ…

વધુ વાંચો >

અઝીમુલ્લાહખાં

અઝીમુલ્લાહખાં : અઢારસો સત્તાવનના વિપ્લવના એક આગેવાન નેતા અને નાનાસાહેબ પેશ્ર્વાના મંત્રી. નાનાસાહેબે વિપ્લવમાં સ્વીકારેલ નેતૃત્વ તથા તેને લગતું કરેલું આયોજન અઝીમુલ્લાહખાંની સલાહને આભારી હતું. નાનાસાહેબ પેશ્વાના પિતા બાજીરાવ બીજાના અવસાન બાદ બ્રિટિશ સરકારે નાનાસાહેબનું બંધ કરેલું વર્ષાસન પાછું મેળવવા અઝીમુલ્લાહખાં ઇંગ્લૅન્ડ ગયેલા. ત્યાં બ્રિટિશ સરકાર અને સંસદસભ્યો સાથે આ…

વધુ વાંચો >

અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન

અઝુદ્દદ્દૌલા બિન રૂક્ન (શાસનકાળ : ઈ. સ. 949–983) : બુવયહ વંશનો ઇરાક દેશનો સર્વશક્તિશાળી અમીર. એણે એ યુગનાં નાનાં રાજ્યોનું સંગઠન કરી પોતાના વંશને મજબૂત બનાવ્યો હતો. એનું લગ્ન ખલીફા અલ-તાઈની શાહજાદી સાથે થયું હતું. એ મુસલમાનોનો સૌપ્રથમ રાજા હતો, જેણે શહેનશાહનું લકબ ધારણ કર્યું હતું. એના પુત્ર બહાઉદ્દૌલાએ પિતાના…

વધુ વાંચો >