ર. લ. રાવળ

અમદાવાદ ઍસોસિયેશન

અમદાવાદ ઍસોસિયેશન : બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા સ્થપાયેલું મંડળ. સ્થાપના અમદાવાદમાં 1872માં. તે ‘બૉમ્બે ઍસોસિયેશન’ની શાખા તરીકે કામ કરતું હતું. તે બ્રિટિશ આર્થિક નીતિ સામે ગુજરાતની વેપારી પ્રજાના અસંતોષને વાચા આપવા માગતું હતું. તેના તરફથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શિક્ષિત વર્ગનું પ્રતિનિધિત્વ જળવાય તે પ્રકારની…

વધુ વાંચો >

અલીગઢ આંદોલન

અલીગઢ આંદોલન : સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા માટે  સર સૈયદ અહમદે (1817-1898) ચલાવેલી ઝુંબેશ. તેમની દૃષ્ટિએ હિંદના મુસ્લિમો રૂઢિચુસ્તતા અને બ્રિટિશ શાસન તરફની શંકાને લીધે પાશ્ચાત્ય શિક્ષણથી વિમુખ રહ્યા હતા, તેથી હિંદુઓની તુલનામાં તેમણે રાજકીય, વહીવટી અને આર્થિક વગ ગુમાવીને પોતાનું ભવિષ્ય ધૂંધળું બનાવ્યું હતું. સૌ પહેલાં…

વધુ વાંચો >

અલ્ અલામીન (ઇજિપ્ત)

અલ્ અલામીન (ઇજિપ્ત) : દ્વિતીય વિશ્વવિગ્રહ (1939-1945) દરમિયાન બ્રિટિશ લશ્કરે જર્મન લશ્કરને સૌપ્રથમ હાર આપી તે સ્થળ. જર્મનીએ ઇજિપ્ત અને સુએઝ પર કબજો મેળવવા આક્રમણ કર્યું ત્યારે અલ્ અલામીન પાસે પ્રથમ લડાઈ વખતે (જુલાઈ, 1942) બ્રિટિશ લશ્કરોએ જર્મન લશ્કરોને અટકાવ્યાં અને તે જ સ્થળે બીજી લડાઈમાં (23 ઑક્ટોબર – 4…

વધુ વાંચો >

આઇઝેન્સ્ટાટ, સૅમ્યુઅલ એન.

આઇઝેન્સ્ટાટ, સૅમ્યુઅલ એન. (જ. 10 સપ્ટેમ્બર 1923, વોરસો, પૉલેન્ડ, અ. 2 સપ્ટેમ્બર 2010, જેરુસલેમ) : વિખ્યાત સમાજશાસ્ત્રી. જેરૂસલેમની હીબ્રૂ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપક અને તે વિભાગના વડા. તે સ્થાને અગાઉ આ સદીના પ્રખર ચિંતક અને સમાજશાસ્ત્રી માર્ટિન બ્યૂબર હતા. સમાજશાસ્ત્ર વિષયમાં પીએચ.ડી. પ્રાપ્ત કર્યા પછી આઇઝેન્સ્ટાટે વિશેષ સંશોધન માટે લંડન…

વધુ વાંચો >

આટલાંટિક ખતપત્ર

આટલાંટિક ખતપત્ર : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. અને બ્રિટન વચ્ચે થયેલ સમજૂતી અનુસાર કરવામાં આવેલ ‘સિદ્ધાંતોની જાહેરાત’. દ્વિતીય વિશ્વવિગ્રહના બીજા તબક્કા દરમિયાન યુ.એસ.ના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ વચ્ચે ન્યૂફાઉન્ડલૅન્ડના કિનારાથી દૂર યોજવામાં આવેલી પ્રથમ પરિષદને અંતે બંનેએ કરેલી લાંબા ગાળાની નીતિ મુજબની ‘સિદ્ધાંતોની જાહેરાત’ને આટલાંટિક ખતપત્ર (14…

વધુ વાંચો >

આંબેડકર, બી.આર. (ડૉ.)

આંબેડકર, બી. આર. (ડૉ.) (જ. 14 એપ્રિલ 1891, મઉ, મધ્યપ્રદેશ; અ. 6 ડિસેમ્બર 1956, નાગપુર) : બહુમુખી પ્રતિભા ધરાવતા ભારતીય રાજપુરુષ, દલિત આગેવાન, પ્રખર ધારાશાસ્ત્રી, સમાજસુધારક અને બંધારણીય કાયદાના નિષ્ણાત. આખું નામ ભીમરાવ રામજી આંબેડકર. પિતા રામજી સકપાલ ભારતના લશ્કરમાં સૂબેદાર હતા. 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા…

વધુ વાંચો >

ઇલ્બર્ટ બિલ

ઇલ્બર્ટ બિલ : ભારતના વાઇસરૉય લૉર્ડ રિપને (1880-1884) શિક્ષિત હિંદીઓ તરફ અખત્યાર કરવામાં આવતી ભેદભાવની નીતિને દૂર કરવા માટે તેની કારોબારીમાં કાનૂન-સભ્ય ઇલ્બર્ટ દ્વારા 1882માં રજૂ કરાવેલું બિલ. હિંદી સેશન્સ જજ કે મૅજિસ્ટ્રેટ, પ્રેસિડેન્સી શહેરો સિવાયના વિસ્તારોમાં પણ યુરોપિયન પર ફોજદારી મુકદ્દમો ચલાવી શકે એવી જોગવાઈ આ બિલમાં રાખેલી હતી.…

વધુ વાંચો >

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન

ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ, પંજાબ; અ. 1 સપ્ટેમ્બર 1985, લાહોર, પાકિસ્તાન) : અખંડ હિંદની તરફેણ કરનારા મુસ્લિમ રાજકારણી. તેમના પિતા નસરુલ્લાખાન આગળ પડતા ધારાશાસ્ત્રી હતા. ઝફરુલ્લાખાન લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને લિંક્ધા ઇન, લંડનમાંથી એલએલ.બી. તથા બાર-ઍટ-લૉ થયા હતા. બે વર્ષ (1914-16) સિયાલકોટમાં વકીલાત કર્યા…

વધુ વાંચો >

ખાનસાહેબ

ખાનસાહેબ (ડૉ.) (જ. 1883, ઉતમાનઝાઈ, પેશાવર; અ. 9 મે 1958, લાહોર) : ભારતના વાયવ્ય સરહદ પ્રદેશના પઠાણ નેતા અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનના મોટા ભાઈ. તેમના પિતા ખાન બહેરામખાન ગામના મુખી અને મોટા જમીનદાર હતા. 1857ના વિપ્લવ વખતે મદદ કરવા બદલ બ્રિટિશ સરકારે તેમને જાગીરો બક્ષી હતી; પરંતુ પાછલી…

વધુ વાંચો >

ગુજરાત સભા

ગુજરાત સભા : ગુજરાતની તમામ રાજદ્વારી પ્રવૃત્તિ ચલાવવા માટે 1884માં અમદાવાદમાં સ્થાપવામાં આવેલી સંસ્થા. અમદાવાદના જાણીતા વકીલો ગોવિંદરાવ આપાજી પાટીલ, શિવાભાઈ મોતીભાઈ પટેલ અને ડૉ. જોસેફ બેન્જામિન વરસો સુધી તેના મંત્રીઓ હતા. આ સભા લોકોની મુશ્કેલીઓ વિશે સરકારને અરજીઓ કરી ફરિયાદ કરવાનું કામ કરતી. આ સંસ્થાની સ્થાપનામાં અમદાવાદના ઉદ્યોગપતિઓ, વેપારીઓ,…

વધુ વાંચો >