રસેશ જમીનદાર

અડાસનો ગોળીબાર

અડાસનો ગોળીબાર : અડાસ ગામે થયેલો ગોળીબાર (1942). ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું અડાસ ગામ. અઢારમી ઑગસ્ટ 1942નો દિવસ. ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવનો અગિયારમો દિવસ. ‘કરેંગે યા મરેંગે’નો સંદેશો દેશના ખૂણે ખૂણે વ્યાપી ગયો હતો. રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ સાથે વડોદરાના ચોત્રીસ યુવાનો ગ્રામજાગૃતિ માટે નીકળ્યા. બાજવા પહોંચ્યા. ત્યાંથી ગાડીમાં નાવલી ગયા.…

વધુ વાંચો >

અનંતનાગ (2)

અનંતનાગ (2) : આદિનાગ અથવા આદિશેષ અથવા અનંતનાગ શિલ્પ. વિષ્ણુધર્મોત્તર પુરાણના વર્ણન પ્રમાણે અનંતનાગને ચાર હાથ, સંખ્યાબંધ ફણા, મધ્ય ફણા ઉપર પૃથ્વીદેવીની મૂર્તિ, જમણા હાથમાં કમળ/મુસળ અને ડાબા હાથમાં શંખ હોય છે. અનંતનાગ વિષ્ણુનું આસન છે. રસેશ જમીનદાર

વધુ વાંચો >

અનંતશયન

અનંતશયન : વિષ્ણુનું એક પ્રતિમાસ્વરૂપ. આ સ્વરૂપમાં વિષ્ણુ શેષનાગ (અનંત) ઉપર સૂતેલા છે. નાગફેણથી શિરચ્છત્ર રચાયું છે. લક્ષ્મીજી ભગવાનના પગને ખોળામાં લઈ પાદસેવન કરે છે. વિષ્ણુની નાભિમાં પ્રગટેલા કમળમાં બ્રહ્મા વિરાજમાન છે. મધુ-કૈટભ દૈત્યો કમળદંડને વળગેલા છે. ચક્ર, ગદા, શંખ વિષ્ણુ પાસે પડેલાં છે. વિષ્ણુનો એક હાથ માથા હેઠળ અને…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અમોઘવર્ષ—1-2-3

અમોઘવર્ષ—1-2-3 : કર્ણાટકના રાષ્ટ્રકૂટ વંશમાં થઈ ગયેલા ત્રણ અમોઘવર્ષ. અમોઘવર્ષ પહેલો (ઈ. સ. 814-880), અમોઘવર્ષ બીજો (ઈ. સ. 922-23), અમોઘવર્ષ ત્રીજો (ઈ. સ. 936-939). ગોવિંદરાજ ત્રીજાના પુત્ર-અનુગામી શર્વ અમોઘવર્ષ પ્રથમ સગીરવયે ગાદી પર આવતાં લાટેશ્વર કર્કરાજે વાલી તરીકે તેનો વહીવટ સંભાળેલો. સ્વભાવે શાંતિપ્રિય, ધર્મપ્રેમી અને સાહિત્યરસિક અમોઘવર્ષના દીર્ઘ શાસનકાલ દરમિયાન…

વધુ વાંચો >

અવન્તિ

અવન્તિ : સોળ મહાજનપદોમાંનું એક. ‘અવન્તિ’ એ માલવ પ્રદેશની જૂની સંજ્ઞા હોવાનું પાણિનિ તેમ મહાભારત – રામાયણ – પુરાણો – ઉત્કીર્ણ લેખો વગેરેથી જાણવામાં આવ્યું છે, જેની રાજધાની ‘અવંતિ’ કિંવા ઉજ્જયિની હતી. ત્યાંના લોકો ‘આવંત્ય’ કહે છે. ‘મહાવસ્તુ’ અને ‘લલિતવિસ્તાર’(બૌદ્ધ ગ્રંથો)માં જંબૂદ્વીપનાં સોળ જનપદોમાંના એક તરીકે એનો ઉલ્લેખ થયેલો છે.…

વધુ વાંચો >

અશ્વાવબોધતીર્થ

અશ્વાવબોધતીર્થ : અશ્વને જ્યાં પૂર્વભવનો અવબોધ થયેલો તે ભરૂચનું જૈન તીર્થ. ભૃગુપુર(ભરૂચ)ના રાજા જિતશત્રુના અશ્વમેધ ઘોડાને રેવા (નર્મદા) નદીના દર્શનથી જાતિસ્મરણ થયું. પૂર્વભવના મિત્રસમા અશ્વને પ્રતિબોધ આપવા સુવ્રતસ્વામી ખાસ ભરૂચ આવ્યા. મુનિને વંદન કરી જિતશત્રુએ અશ્વનો પૂર્વભવ પૂછ્યો. સુવ્રતસ્વામીના કહેવા પ્રમાણે ચંપાનગરીના રાજા  સુરસિદ્ધનો મિત્ર મતિસાર બીજા ભવમાં સાગરદત્ત નામે…

વધુ વાંચો >

અસુર, અસુરો

અસુર, અસુરો : અસુરનો અર્થ છે પ્રાણવાન, વીર્યવાન, પરાક્રમી, મેધાવી. દિતિના વારસો દૈત્ય અને દનુના વારસો દાનવ. નગર, દેવ, જાતિ, સંસ્કૃતિના સંદર્ભમાં વિવિધ દૃષ્ટિએ પ્રયોજાતો આ શબ્દ છે. પૂર્વકાલીન ઈરાનની સંસ્કૃતિનું નગર; આ નામના દેવો; પૂર્વકાલીન ઈરાનના અહુરમઝ્દના અનુયાયી; પૂર્વકાલીન સુમેર અને એસિરિયાના લોકો; બિહારના રાંચી જિલ્લાનાં જંગલોમાં રહેતી આદિવાસી…

વધુ વાંચો >

અંતિયોક 3જો

અંતિયોક 3જો (ઈ. પૂ. ત્રીજી સદી) : સેલુકવંશનો ગ્રીક રાજા. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એશિયાઈ મુલકો ઉપર યવનવિજેતા સેલુકસની સત્તા જામી. આ સેલુકવંશમાં અંતિયોક 3જો થયો, જેણે પહલવ અને બાહલિક રાજ્યો ઉપર સત્તા જમાવવા નિષ્ફળ કોશિશ કરેલી. આથી દિમિત્રને પોતાની કુંવરી પરણાવીને તેણે તે રાજ્ય સાથે મૈત્રીસંબંધો બાંધ્યા. આરંભમાં એણે…

વધુ વાંચો >

અંધૌ

અંધૌ : કચ્છ જિલ્લાનું એક ઐતિહાસિક ગામ. આ ગામેથી ક્ષત્રપ વંશના કાર્દમક કુળના છ શિલાલેખો મળ્યા છે : શક વર્ષ 11,52 અને 114 જે આવૃત, છે રુદ્રદામા 1લો અને રુદ્રસિંહ 1લાના છે. સો વર્ષના સમયગાળાના આ લેખોથી અંધૌનું રાજકીય મહત્વ સમજાય છે. સંભવ છે કે ક્ષત્રપ કાલમાં અંધૌ જિલ્લાનું (આહારનું)…

વધુ વાંચો >