રમણ સોની

અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ

અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈ (જ. 5 મે 1950, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; અ. 21 મે 1982, ગણદેવી, જિ. વલસાડ) : ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. પિતા શિક્ષક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગણદેવીમાં અને કૉલેજશિક્ષણ બીલીમોરામાં. અમદાવાદમાંથી એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને…

વધુ વાંચો >

અશ્વત્થ

અશ્વત્થ (1975) : સાહિત્ય અકાદમી દ્વારા 1976ની શ્રેષ્ઠ ગુજરાતી કૃતિ તરીકે પુરસ્કૃત કવિ ઉશનસનો કાવ્યસંગ્રહ. તે એમની કવિતાનો એક નોંધપાત્ર વળાંક બતાવે છે. તત્સમ અને સમાસઘન પદાવલિ આ પૂર્વેની એમની કવિતાની ખાસિયત હતી. એમાંથી તરલપ્રવાહી ને અરૂઢ ઇબારતમાં સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ રહેવાના અનુભવને આલેખવાની દિશા આ સંગ્રહની કવિતામાં…

વધુ વાંચો >

અંજારિયા, હિંમતલાલ ગણેશજી

અંજારિયા, હિંમતલાલ ગણેશજી (જ. 2 ઑક્ટોબર 1877, રાજકોટ; અ. 26 જૂન 1972) : સાહિત્યશિક્ષણ માટેનાં કેટલાંક પુસ્તકોના સંપાદક. વડોદરાથી બી.એ. થઈ 1899માં ગોંડલ રાજ્યના કેળવણીખાતામાં જોડાયા. 1905માં એમ.એ. થયા પછી 1932 સુધી મુંબઈ નગરપાલિકાની શાળા સમિતિમાં મદદનીશ અને મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. નિવૃત્તિ પૂર્વેના એક દાયકા દરમિયાન પાછળથી કર્વે…

વધુ વાંચો >

આચાર્ય, ગુણવંતરાય પોપટભાઈ

આચાર્ય, ગુણવંતરાય પોપટભાઈ (જ. 9 સપ્ટેમ્બર 19૦૦, જેતલસર; અ. 25 નવેમ્બર 1965) : ગુજરાતીમાં સાગરસાહસની નવલકથાઓના લેખક ઉપરાંત નાટ્યકાર, પત્રકાર અને નિબંધકાર. વતન જામનગર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ કચ્છ-માંડવીમાં. લેખક તરીકેનાં ઘડતર-બળોમાં આટલાં મુખ્ય : સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કારવારસો, લોકસાહિત્યની લોકકથાઓ અને દંતકથાઓ, સિનેસૃષ્ટિનો અનુભવ અને પત્રકારત્વનો વ્યવસાય. 1917માં મૅટ્રિક થઈ મુંબઈ…

વધુ વાંચો >

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’ ( જ. 25 ઑગસ્ટ 1897; વિરમગામ; અ. 23 મે 1984, અમદાવાદ) : ગુજરાતના પક્ષીવિદ અને પ્રાણીવિદ લેખક. ઊંઝાના વતની. માધ્યમિક શિક્ષણ પાટણ-સિદ્ધપુરમાં. 1914માં મૅટ્રિક. ગુજરાત કૉલેજમાંથી 1919માં સંસ્કૃત સાથે બી. એ. થયા. અસહકારના આંદોલનમાં જોડાયા એ સાથે રાષ્ટ્રીય શાળાઓમાં ને તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું.…

વધુ વાંચો >

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ)

ઉશનસ્ (પંડ્યા નટવરલાલ કુબેરદાસ) (જ. 28 સપ્ટેમ્બર 1920, સાવલી, જિ. વડોદરા અ. 6 નવેમ્બર 2011, વલસાડ) : અનુગાંધીયુગીન ગુજરાતી કવિ. માતા લલિતાબહેન. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈમાં. વડોદરા કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ. (1942) અને ગુજરાતી સાથે એમ.એ. (1945) થયા. એ દરમિયાન રોઝરી હાઈસ્કૂલ, વડોદરામાં શિક્ષક અને થોડોક સમય ‘નભોવાણી’ના…

વધુ વાંચો >

કરુણપ્રશસ્તિ

કરુણપ્રશસ્તિ (elegy) : વ્યક્તિના મૃત્યુને વિષય કરતું એનાં સ્મરણ અને ગુણાનુરાગને આલેખતું ને અંતે મૃત્યુ કે જીવનવિષયક વ્યાપક ચિંતન-સંવેદનમાં પરિણમતું કાવ્ય. ચિંતનનું તત્વ એને, કેવળ શોક-સંવેદનને વ્યક્ત કરતા લઘુકાવ્ય ‘કબ્રકાવ્ય’(epitaph)થી જુદું પાડે છે. ઈ.પૂ. છઠ્ઠી-સાતમી સદીથી પ્રચલિત, લઘુગુરુ વર્ણોનાં છ અને પાંચ આવર્તનો ધરાવતા અનુક્રમે hexameter અને pentameterના પંક્તિયુગ્મવાળા ‘ઍલિજી’…

વધુ વાંચો >

ગાયકવાડ, બાપુસાહેબ

ગાયકવાડ, બાપુસાહેબ (જ. 1777, અ. 1843) : ‘બાપુસાહેબ’ અને શિષ્યોમાં ‘બાપુમહારાજ’ તરીકે ઓળખાયેલા વડોદરાના મરાઠી ભક્ત-કવિ. આ કવિએ જ્ઞાનમાર્ગી કવિતા લખી છે. બાળપણથી જ સંત-અનુરાગી રહેલા બાપુ પોતાની જમીનનો વહીવટ કરવા સાવલી પાસેના ગોઠડા ગામે ગયેલા ત્યારે ત્યાંના કવિ ધીરાના ઉપદેશથી મુમુક્ષુ બન્યા અને વડોદરા પાછા ફર્યા પછી કવિ નિરાંતનો…

વધુ વાંચો >

જશુમતી કંકુવતી

જશુમતી કંકુવતી : ગુજરાતી નાટ્યસંગ્રહ. ‘બારાડીનાં બે નાટકો’ (1984) અંતર્ગત પ્રગટ થયેલું, 1980માં લખાયેલું ને 1982માં ભજવાયેલું દ્વિઅંકી નાટક. તેની રચના વનવેલી છંદમાં થયેલી છે. તે શોષણલક્ષી સામાજિક જીવનરીતિને પ્રતીકાત્મક રીતે નિરૂપે છે. મુગ્ધ કિશોરી જશુમતીને વય પ્રાપ્ત થતાં પરણાવી દેવાય છે ત્યાંથી શરૂ થતું શોષણ મુખ્યત્વે એને, ગૌણ ભાવે…

વધુ વાંચો >

દવે, હરીન્દ્ર જયંતીલાલ

દવે, હરીન્દ્ર જયંતીલાલ (જ. 19 સપ્ટેમ્બર 1930, ખંભરા, કચ્છ; અ. 29 માર્ચ 1995, મુંબઈ) : ગુજરાતના અગ્રણી કવિ અને નવલકથાકાર. માતા સવિતાબહેન. ભાવનગરથી 1947માં મૅટ્રિક, મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. (1951) અને એમ.એ. (1961). દરમિયાન, 1951થી 1962 ‘જનશક્તિ’ના ઉપતંત્રી. 1962થી 1968 ‘સમર્પણ’ના સંપાદક. 1968થી 1973 યુસિસ(મુંબઈ)માં ગુજરાતી વિભાગના તંત્રી.…

વધુ વાંચો >