ભગવતીપ્રસાદ પંડ્યા

અગસ્ત્ય

અગસ્ત્ય : એક પ્રસિદ્ધ ઋષિ. ઉર્વશી નામની અપ્સરાના રૂપદર્શનથી કામપીડિત બનેલ મિત્ર અને વરુણ (મિત્રાવરુણ) દેવનું શુક્ર સ્ખલિત થતાં તેમાંથી જન્મેલ અગસ્ત્ય ઋષિનું એક નામ મૈત્રાવરુણિ પણ છે. તે ઉપરાંત ઔર્વશેય, કુંભમાંથી પેદા થયેલ હોવાથી કુંભયોનિ, ઘટોદ્ભવ વગેરે નામ પણ છે. ઋગ્વેદનાં ઘણાં સૂક્તોના દ્રષ્ટા આ અગસ્ત્યનાં પત્નીનું નામ લોપામુદ્રા…

વધુ વાંચો >

અગ્નિષ્ટોમ

અગ્નિષ્ટોમ (અગ્નિ + સ્તોમ = સ્તુતિ કે પ્રશંસા) : એક પ્રકારનો શ્રૌતયાગ. એકમાંથી અનેક થવાની ભાવનાથી પ્રજાપતિએ પ્રવર્તાવેલ આ યાગ પાંચ દિવસે પૂરો થાય છે. હોતા, અધ્વર્યુ વગેરે સોળ ઋત્વિજોની સહાયથી વસંત ઋતુમાં આરંભાતા આ યાગમાં આરંભમાં યજમાન પોતાની પત્ની સાથે દીક્ષા લે છે. અહીં સોમ-લતાને ખરીદી તેને યજ્ઞશાળામાં લાવી…

વધુ વાંચો >

અવન્તિસુન્દરીકથા

અવન્તિસુન્દરીકથા (ઈ. સ. 65૦ની આસપાસ) : સંસ્કૃત કથા. આ કૃતિના લેખક મહાકવિ દંડી હોવાનું મનાય છે. દંડીની ત્રણ રચનાઓ ‘કાવ્યાદર્શ’ (અલંકારશાસ્ત્રની કૃતિ), ‘દશકુમારચરિત’ અને ‘અવન્તિસુન્દરીકથા’ છે; જોકે ‘અવન્તિસુન્દરીકથા’ના કર્તુત્વ વિશે વિવાદ ચાલુ છે, કારણ કે અત્યારે તે ઉપલબ્ધ નથી. ગદ્યપદ્યાત્મક આ ‘કથા’માં સાત પરિચ્છેદ છે. મુખ્યત: ગદ્યમાં લખાયેલ આ કથામાં…

વધુ વાંચો >

અવલોક

અવલોક (દશમી શતાબ્દીનો અંત; વાક્પતિરાજ મુંજનો શાસન- કાળ) : ‘દશરૂપક’ ઉપરની ધનિક-રચિત ટીકા. ધનંજય-રચિત ‘દશરૂપક’ સંસ્કૃત નાટ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ચાર પ્રકાશ (પ્રકરણ) અને લગભગ 3૦૦ કારિકાઓમાં લખાયેલા આ ગ્રંથમાં નાટ્યશાસ્ત્રના આધારે રૂપકો(નાટ્ય)ના ભેદ, ઉપભેદ આદિનું નિરૂપણ છે અને ચતુર્થ પ્રકાશમાં રસોનું નિરૂપણ છે. આ જ ‘દશરૂપક’ની કારિકાઓ ઉપર ધનંજયના…

વધુ વાંચો >

અવસ્થાભેદ

અવસ્થાભેદ (કાર્યાવસ્થા) : સંસ્કૃત રૂપકમાં લક્ષ્યસિદ્ધિ માટે પ્રયત્ન કરતા નાયકની માનસિક અવસ્થા. રૂપકના નાટકીય સમસ્ત ઇતિવૃત્તનો બીજ, બિન્દુ આદિ પાંચ અર્થપ્રકૃતિઓ સાથે સંબંધ હોય છે, તો એ નાટ્યના નાયકનો પોતાની લક્ષ્યની સિદ્ધિ માટે જે પુરુષાર્થ કે વ્યાપાર કરવા પડે છે, તેને પાંચ સ્થિતિઓ સાથે સંબંધ હોય છે, જેને ‘અવસ્થા’ નામ આપવામાં…

વધુ વાંચો >

અશ્વમેધ

અશ્વમેધ : અશ્વનો બલિ અપાય છે તે પ્રાચીન વૈદિક યજ્ઞ. અત્યંત પ્રાચીન વૈદિક યજ્ઞોમાં અશ્વમેધ મુખ્ય ગણાય છે. સમ્રાટ બનવા ઇચ્છતા  રાજાનો ઐન્દ્ર મહાભિષેક થાય તે પછી તેને આ યજ્ઞ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આ યજ્ઞનો આરંભ ફાગણ કે અષાઢની સુદ આઠમ કે નોમથી થાય. આપસ્તંભને મતે ચૈત્રપૂર્ણિમાથી પણ…

વધુ વાંચો >

અંગિરસ (2)

અંગિરસ (2) : બ્રહ્માના માનસપુત્ર. અન્ય ઇતિહાસ પ્રમાણે તેઓ અગ્નિથી ઉત્પન્ન થવાને લીધે અંગિરસ કહેવાય છે. તેમનું લગ્ન કર્દમ ઋષિની પુત્રી શ્રદ્ધા સાથે થયું હતું. તેમને બૃહસ્પતિ ઉપરાંત બે પુત્રો તથા ચાર પુત્રીઓ હતાં. વૈદિક સાહિત્યમાં અંગિરસ એ નામ અનેક વાર આવે છે; ઋગ્વેદના નવમા મંડલનાં કેટલાંક સૂક્તો અંગિરસકુલના દૃષ્ટાઓનાં…

વધુ વાંચો >

ઉદ્ભટ (ભટ્ટોદભટ)

ઉદ્ભટ (ભટ્ટોદભટ) (779-913) : કાશ્મીરનરેશ જયાપીડના સભાપંડિત તથા સુપ્રસિદ્ધ આલંકારિક વામનના સમકાલિક કાશ્મીરી પંડિત. તેમણે ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ની રચના કરી છે. તેનો મુખ્ય વિષય અલંકાર છે. આ કૃતિમાં ઉદભટે 41 અલંકારોનું નિરૂપણ કરી 100 જેટલાં ઉદાહરણ સ્વરચિત ‘કુમારસંભવ’ કે જેના ઉપર મહાકવિ કાલિદાસના ‘કુમારસંભવમ્’ મહાકાવ્યની છાયા છે, તેમાંથી આપ્યાં છે. અહીં નિરૂપિત…

વધુ વાંચો >

ઉદ્યોતકર-2

ઉદ્યોતકર-2 (નાગેશ ભટ્ટ અથવા નાગોજિ ભટ્ટ) (જ. 1650, સાતારા; અ. 1730) : શૃંગબેરપુરના રાજા રામસિંહના સભાપંડિત. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતીદેવી. પાણિનિપરંપરાનુસારી નાગેશની વ્યાકરણવિષયક કૃતિઓમાં ‘લઘુશબ્દેન્દુશેખર’ (ભટ્ટોજિ દીક્ષિતની ‘સિદ્ધાંતકૌમુદી’ ઉપરની પ્રૌઢ ટીકા), ‘બૃહચ્છબ્દેન્દુશેખર’, પાતંજલ વ્યાકરણ મહાભાષ્ય ઉપર કૈયટે લખેલ ‘પ્રદીપ’ ટીકા ઉપર પોતાની ‘ઉદ્યોત’ નામની ટીકા, ‘પરિભાષેન્દુશેખર’, ‘લઘુમંજૂષા’…

વધુ વાંચો >

કમલાકર ભટ્ટ

કમલાકર ભટ્ટ (સત્તરમી શતાબ્દી પૂર્વાર્ધ) : સંસ્કૃતના બહુશ્રુત વિદ્વાન આચાર્ય. પ્રસિદ્ધ ભટ્ટ કુલના નારાયણ ભટ્ટના પૌત્ર. પિતાનું નામ રામકૃષ્ણ ભટ્ટ. તર્ક, ન્યાય, મીમાંસા, વેદાન્ત, સાહિત્યશાસ્ત્ર, વ્યાકરણ, ધર્મશાસ્ત્ર અને વૈદિક કર્મકાંડના મર્મજ્ઞ વિદ્વાન. એમના પ્રસિદ્ધ ‘વિવાદતાણ્ડવ’ ગ્રન્થમાં પોતે 20-22 ગ્રન્થો રચ્યાનું જણાવ્યું છે. કુમારિલ ભટ્ટના ‘શાસ્ત્રતત્વ’ પરના વાર્તિક ઉપર ‘નિર્ણયસિન્ધુ’ નામે…

વધુ વાંચો >