ભગવતીપ્રસાદ પંડ્યા

કવિ કર્ણપૂર

કવિ કર્ણપૂર (1524) : સંસ્કૃત નાટ્યકાર અને અલંકારશાસ્ત્રી. બંગાળના નદિયા જિલ્લાના વતની. બીજું નામ પરમાનન્દદાસ સેન. પિતાનું નામ શિવાનંદ અને ગુરુનું નામ શ્રીનાથ. ‘ચૈતન્યચંદ્રોદય’ નાટક તથા અન્ય આઠ કૃતિઓના કર્તા. એ ઉપરાંત ‘અલંકારકૌસ્તુભ’ નામનો તેમનો ગ્રન્થ અત્યન્ત જાણીતો છે. જોકે અન્ય લેખકોના પણ આ જ (‘અલંકારકૌસ્તુભ’) નામ ધરાવતા ચાર ગ્રંથો…

વધુ વાંચો >

કવિકલ્પલતા

કવિકલ્પલતા (1363) : સંસ્કૃત કવિતાના શિક્ષણનો ગ્રંથ. સંસ્કૃત વાઙ્મયમાં આલંકારિકો દ્વારા વિરચિત કાવ્યની વ્યાવહારિક શિક્ષણપદ્ધતિના સાહિત્યને ‘કવિશિક્ષા’ કહે છે. આ પ્રકારના સાહિત્યમાં ‘કવિકલ્પલતા’ નામના ગ્રંથનું વિશિષ્ટ સ્થાન છે. આ ગ્રંથના લેખક ‘દેવેશ્વર’ છે; એમના પિતા વાગ્ભટ માલવનરેશના મહામાત્ય હતા. ‘કવિકલ્પલતા’માં ચાર પ્રતાન (ખંડ) છે અને દરેકની અંદર અનેક સ્તબક છે.…

વધુ વાંચો >

કવિકંઠાભરણ

કવિકંઠાભરણ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : કવિઓને કવિત્વનું શિક્ષણ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક સંસ્કૃત અલંકારશાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય ક્ષેમેન્દ્ર છે. તેમનો ‘ઔચિત્યવિચારચર્ચા’ નામનો ગ્રંથ અલંકારશાસ્ત્રના ‘ઔચિત્યપ્રસ્થાન’નો પ્રતિષ્ઠાપક ગ્રંથ છે. ઉદીયમાન કવિઓને શિક્ષણ આપવાના હેતુથી લખાયેલ આ ગ્રંથમાં પાંચ સંધિ કે અધ્યાયો છે અને 55 કારિકાઓ છે. આમાં કવિત્વની પ્રાપ્તિ…

વધુ વાંચો >

કાત્યાયન

કાત્યાયન (ઈ. પૂ. 400થી ઈ. પૂ. 350) : પાણિનિ પછી વ્યાકરણશાસ્ત્રમાં બીજું મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર વાર્તિકકાર. અન્ય નામ વરરુચિ. જોકે તેમનાં જન્મ, જીવન અને કાર્યસ્થળ અંગે કોઈ પ્રમાણભૂત સામગ્રી મળતી નથી, છતાં તે અંગેની કેટલીક દન્તકથાઓ ‘કથાસરિત્સાગર’ જેવા ગ્રંથોમાં મળી આવે છે. કાત્યાયન એ ગોત્ર-નામ છે. દક્ષિણ ભારતના આ વિદ્વાને…

વધુ વાંચો >

કામસૂત્ર

કામસૂત્ર (ઈ. ત્રીજી કે ચોથી સદી) : મહર્ષિ વાત્સ્યાયન-પ્રણીત કામશાસ્ત્રનો ઉપલબ્ધ પ્રાચીનતમ ગ્રંથ. માનવજીવનના લક્ષ્યભૂત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. પહેલા ત્રણ ‘ત્રિવર્ગ’ નામથી પ્રસિદ્ધ છે. ત્રિવર્ગના ત્રણેય પુરુષાર્થોનું ગૃહસ્થજીવનમાં સમાન મહત્વ હોઈ પ્રત્યેક પુરુષાર્થનું વિશદ વિવેચન કરતા અનેક ગ્રંથો સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. ‘કામ’ વિશે…

વધુ વાંચો >

કાવ્યપ્રકાશ

કાવ્યપ્રકાશ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ‘વાગ્દેવતા’ના અવતારરૂપ ગણાતા કાશ્મીરી વિદ્વાન મમ્મટનો અત્યંત પ્રસિદ્ધ ગ્રંથ. આ ગ્રંથમાં નાટ્ય સિવાયના કાવ્યને લગતા બધા જ વિષયોનું નિરૂપણ છે. કુલ દસ ઉલ્લાસ (પ્રકરણ) ધરાવતા આ ગ્રંથમાં પ્રથમ ઉલ્લાસમાં કાવ્ય-નિર્માણ, કાવ્ય-હેતુ, કાવ્ય-પ્રયોજન, કાવ્યનું લક્ષણ તથા તેના ભેદો, દ્વિતીય ઉલ્લાસમાં અભિધા, લક્ષણા અને…

વધુ વાંચો >

કાવ્યમીમાંસા

કાવ્યમીમાંસા (ઈ. દશમી શતાબ્દી) : સંસ્કૃત અલંકાર-સંપ્રદાયમાં કવિઓ માટે વ્યાવહારિક માર્ગદર્શન આપનાર કવિશિક્ષા-વિષયક જાણીતો ગ્રંથ. એના લેખક રાજશેખર (ઉપનામ યાયાવરીય) મહારાષ્ટ્રીય વિદ્વાન હતા. રાજશેખરે ‘કાવ્યમીમાંસા’ ગ્રંથ 18 અધિકરણો કે ભાગોમાં લખ્યો હતો, પરંતુ તેમાંથી ‘કવિરહસ્ય’ નામનું પ્રથમ અધિકરણ જ ઉપલબ્ધ છે. તેમાં કુલ 18 અધ્યાયો છે. એમાં કાવ્યશાસ્ત્રના ઉદભવનું વર્ણન,…

વધુ વાંચો >

કાવ્યાદર્શ

કાવ્યાદર્શ (ઈ. 600 લગભગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો કવિ દંડીરચિત સુપ્રસિદ્ધ ગ્રંથ. દંડીના જીવન વિશેની કેટલીક માહિતી તેમની અન્ય કૃતિ ‘અવન્તિસુંદરીકથા’માં મળી આવે છે, તે પ્રમાણે દંડી દક્ષિણ ભારતના હતા. તેમના સમય વિશે વિદ્વાનો એકમત નથી, ‘કાવ્યાલંકાર’ના રચયિતા ભામહ અને ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીના સ્થિતિકાલના પૌર્વાપર્ય વિશે વિદ્વાનોમાં ભારે મતભેદ છે. ‘કાવ્યાદર્શ’માં…

વધુ વાંચો >

કાવ્યાનુશાસન (બારમી સદી)

કાવ્યાનુશાસન (બારમી સદી) : કાવ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ. કર્તા કલિકાલસર્વજ્ઞ જૈનમુનિ આચાર્ય હેમચંદ્ર (1088-1172). તેમના આવા જ બીજા જાણીતા શાસ્ત્રીય ગ્રંથો તે ‘શબ્દાનુશાસન’, ‘કાવ્યાનુશાસન’ અને ‘છન્દોનુશાસન’. ‘કાવ્યાનુશાસન’ની રચના ‘શબ્દાનુશાસન’ પછી અને ‘છન્દોનુશાસન’ પહેલાં, પ્રાય: રાજા કુમારપાલના રાજ્યકાલમાં થઈ હતી. ‘કાવ્યાનુશાસન’માં કુલ આઠ અધ્યાય છે અને કુલ 208 સૂત્રો છે. તેમાં…

વધુ વાંચો >

કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ)

કાવ્યાલંકાર (ઈ. છઠ્ઠી સદી – પૂર્વાર્ધ) : અલંકારશાસ્ત્રનો ભામહરચિત સંસ્કૃત ગ્રંથ. ભામહથી પૂર્વે ભરતમુનિરચિત ‘ભરતનાટ્યશાસ્ત્ર’માં જોકે અલંકાર અંગેનું વિવેચન અલ્પ માત્રામાં થયેલું છે. ભરતે તો મુખ્યત્વે નાટ્યને લગતા વિષયોને જ પ્રાધાન્ય આપ્યું છે, તેથી અલંકારશાસ્ત્રના વિવેચ્ય વિષયોની વાસ્તવિક ચર્ચાનો આરંભ તો ભામહની આ કૃતિથી થયેલો ગણાય છે. કાશ્મીરનિવાસી ભામહના પિતા…

વધુ વાંચો >