બિંદુ ભટ્ટ

તારસપ્તક

તારસપ્તક (1943) : અજ્ઞેય-સંપાદિત સાત અગ્રણી હિન્દી કવિઓની કવિતાનું સંકલન. આ પ્રકાશનને હિંદી કવિતાના ઇતિહાસમાં આધુનિકતાબોધના પ્રથમ પ્રસ્ફુટન રૂપે ગણવામાં આવે છે. તેમાં ગજાનન માધવ મુક્તિબોધ, નેમિચંદ, ભારતભૂષણ અગ્રવાલ, પ્રભાકર માચવે, ગિરિજાકુમાર માથુર, રામવિલાસ શર્મા અને અજ્ઞેય પોતે – એમ સાત કવિઓનાં ચૂંટેલાં કાવ્યો છે. દરેક કવિના વક્તવ્ય બાદ તેમનાં…

વધુ વાંચો >

તિવારી, ઉદયનારાયણ

તિવારી, ઉદયનારાયણ (જ. 1903, પીપરપાંતી, જિ. બલિયા, ઉ.પ્ર.) : હિંદીના ભાષાશાસ્ત્રી. 1929માં તેમણે અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી લીધી. ભાષાવિજ્ઞાનક્ષેત્રે સંશોધનની દિશામાં જવાની પ્રેરણા તેમને વિદ્વાન ભાષાશાસ્ત્રી બાબુરામ સક્સેના પાસેથી મળી. પોતાના શોધ-ગ્રંથ ‘ભોજપુરી ભાષા ઔર સાહિત્ય’ની ભૂમિકામાં લેખકે નોંધ્યા પ્રમાણે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ તેમને ભાષાવિજ્ઞાનની દિશામાં લઈ ગયો. અભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >

ત્યાગપત્ર

ત્યાગપત્ર (1937) : હિંદી નવલકથાકાર જૈનેન્દ્રની મનોવૈજ્ઞાનિક નવલકથા. તે તેમની ત્રીજી નવલકથા છે. અહીં લેખક નવલકથાની નાયિકા મૃણાલના આત્મસંઘર્ષ દ્વારા આત્મવ્યથાનું એક દર્શન સ્થાપે છે. માત્ર 86 પૃષ્ઠની નવલકથાની શરૂઆતમાં પ્રારંભિક અને અંતમાં પુનશ્ચ (તા.ક.) મૂકીને નવલકથામાં નિરૂપિત કથામાં સત્યઘટનાનો આભાસ ઊભો કર્યો છે. આ કથા એક નિવૃત્ત ન્યાયાધીશ સર…

વધુ વાંચો >

દિનકર

દિનકર (જ. 23 સપ્ટેમ્બર 1908, સિમરિયા મુંગેર જિલ્લો, બિહાર; અ. 24 એપ્રિલ 1974) : હિંદી ભાષાના અગ્રણી કવિ. મૂળ નામ રામધારી સિંહ. રાષ્ટ્રકવિનું બિરુદ પામેલા. ‘દિનકર’ તખલ્લુસ. ‘પદ્મભૂષણ’ (1959)ના સન્માન ઉપરાંત સાહિત્ય અકાદમી, દિલ્હી (1960) અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (1972)ના વિજેતા. ભાગલપુર યુનિવર્સિટીએ 1961માં ડિ.લિટ્ની માનદ ઉપાધિ આપેલી. ગરીબ ખેડૂત…

વધુ વાંચો >

દેવ

દેવ (જ. 1673 લગભગ, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1767 લગભગ) : હિન્દી કવિ. મૂળનામ દેવદત્ત. હિંદીમાં મહાકવિ દેવના નામે ખ્યાત. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા બિહારીલાલ દૂબે. જીવનકાળ દરમિયાન જુદા જુદા રાજા કે શ્રીમંતના આશ્રયે એકાધિક સ્થળે નિવાસ. લગભગ સોળ વર્ષની વયે ‘ભાવવિલાસ’ની રચના. કવિના આશ્રયદાતાઓમાં ઔરંગઝેબનો પુત્ર આજમશાહ, ભવાનીદત્ત વૈશ્ય, ફફૂંદના…

વધુ વાંચો >

નાગાર્જુન

નાગાર્જુન (જ. 30 જૂન 1911, સતલાખા વિલેજ મધુબની, બિહાર; અ. 5 નવેમ્બર 1998, ખ્વાજા સરાઈ દરભંગા, બિહાર) : મૈથિલી અને હિંદીના પ્રગતિવાદી સાહિત્યકાર. મૂળ નામ બૈજનાથ મિશ્ર. મૈથિલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ક્યારેક સ્વાધ્યાય અર્થે તો ક્યારેક આજીવિકા અર્થે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, સિંધ, હિમાચલ પ્રદેશ, બંગાળ, તિબેટ અને છેક લંકા…

વધુ વાંચો >

નામવરસિંહ

નામવરસિંહ (જ. 28 જુલાઈ 1927, જીઅનપુર, જિ. બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 2019, નવી દિલ્હી) : હિંદી સાહિત્યના વિવેચક. ઘેર ખેતી પણ પિતા નાગરસિંહ શિક્ષક હોવાના કારણે બાળપણથી જ શિક્ષણ અને સાહિત્યનું વાતાવરણ મળ્યું. પિતાના મિત્રો ધર્મદેવસિંહ અને કામતાપ્રસાદ વિદ્યાર્થીનો ઊંડો પ્રભાવ પડ્યો. 1936માં નહેરુજીની સભામાં ધર્મદેવસિંહ સાથે ગયેલા. સ્વાતંત્ર્યસેનાની…

વધુ વાંચો >

નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી)

નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી) (જ. 21 ફેબ્રુઆરી, 1896  મહિષાદલ, મેદનીપુર સ્ટેટ, બંગાળ; અ. 15 ઑક્ટોબર, 1961, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ આધુનિક હિંદી કવિ. વતન તો ઉત્તર ભારતનું ગઢાકોલા ગામ, પણ જન્મ અને ઉછેર બંગાળમાં હોવાના કારણે નિરાલાએ આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા બંગાળી ભાષામાં લખેલી. ઘરમાં હિંદીની બૈસવાડી બોલી બોલાતી. ખડી બોલી…

વધુ વાંચો >

પાઠક શ્રીધર

પાઠક, શ્રીધર (જ. 11 જાન્યુઆરી 1858, જોંધરી, જિ. આગ્રા; અ. 13 સપ્ટેમ્બર 1928, પ્રયાગ, અલ્લાહબાદ) : જાણીતા હિન્દી કવિ. એફ. એ. સુધી અભ્યાસ કર્યા પછી પાઠકજીને કૉલકાતામાં સરકારી નોકરી મળી. નોકરીના ભાગ રૂપે કાશ્મીર અને નૈનીતાલ જવાનું થતાં પર્વતીય પ્રકૃતિના નિકટ સંસર્ગમાં રહેવાનું બન્યું. હિંદી, વ્રજભાષા ઉપરાંત અંગ્રેજી તથા સંસ્કૃત…

વધુ વાંચો >

પ્રસાદ, જયશંકર

પ્રસાદ જયશંકર (જ. 1889, વારાણસી; અ. 1937) : હિંદી સાહિત્યકાર. અત્યંત સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કુટુંબના. પિતા દેવીપ્રસાદ સાહુ. પરિવાર શિવ-ઉપાસક હોવાના કારણે પ્રસાદજીનું ‘જયશંકર’ નામ પાડવામાં આવ્યું. પ્રારંભમાં સંસ્કૃત, હિંદી, ફારસી અને ઉર્દૂનું શિક્ષણ ઘેર રહીને લીધું. કિશોરવયમાં પિતા અને પછી માતાનું છત્ર ગુમાવ્યું. એ પછી મોટા ભાઈના અવસાનને કારણે…

વધુ વાંચો >