નલિની કિશોર ત્રિવેદી

સગપણ-સંબંધ

સગપણ–સંબંધ (Kinship) : વ્યક્તિઓ વચ્ચેના કૌટુંબિક સંબંધ કે સંબંધોને ઘનિષ્ઠ બનાવતી મજબૂત ગાંઠ. આવા સંબંધો બે રીતે પ્રસ્થાપિત થાય છે. એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી. બંને સ્વરૂપના સંબંધો ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે. અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવકીય (biological) છે; દા.ત., પિતા-પુત્ર. તેઓ વચ્ચે…

વધુ વાંચો >

સમાજ (society)

સમાજ (society) : સામાજિક સંબંધોનું ગુંફન. સામાજિક સંબંધોની અટપટી વ્યવસ્થા કે જેમાં માનવ સમાજ-જીવન જીવે છે, તે સમાજ છે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કેટલાક માનવેતર જીવો પણ સમાજ-જીવન જીવે છે. આમ તો જીવસૃદૃષ્ટિના ઉદ્ભવની સાથે સમાજ અને સમાજ-જીવન ઉત્ક્રાન્ત થયાં છે. માનવનું સમાજ-જીવન એ જીવસૃદૃષ્ટિના વિકાસનો એક તબક્કો…

વધુ વાંચો >

સંસ્કૃતીકરણ (culturalisation)

સંસ્કૃતીકરણ (culturalisation) : ભારતમાં સામાજિક પરિવર્તનના વિશ્લેષણ માટેની એક વિભાવના. આ વિભાવનાનો સૌપ્રથમ ઉપયોગ ભારતના સમાજશાસ્ત્રી ડૉ. એમ. એન. શ્રીનિવાસે ‘દક્ષિણ ભારતના કૂર્ગ લોકોમાં ધર્મ અને સમાજ’ નામના અભ્યાસમાં કર્યો હતો. જ્ઞાતિ ઉપર આધારિત સ્તર-રચના એ અખિલ ભારતીય ઘટના છે. આ બંધ સ્વરૂપની સ્તર-રચનામાં પરિવર્તનને ખાસ અવકાશ નહિ હોવાનું મનાતું…

વધુ વાંચો >

સામાજિક માળખું (સામાજિક રચના) (social structure)

સામાજિક માળખું (સામાજિક રચના) (social structure) : સામાજિક વ્યવસ્થાના જુદા જુદા સામાજિક એકમો કે ભાગોની વ્યવસ્થિત ગોઠવણી. આ ગોઠવણને સામાજિક રચના પણ કહેવામાં આવે છે. આ રચના જુદા જુદા સામાજિક એકમોની વ્યવસ્થિત ક્રમબદ્ધતા સૂચવે છે અને મહદ્અંશે એ સ્થિર અને કાર્યલક્ષી ગોઠવણી હોય છે. દરેક જૈવકીય કે ભૌતિક વસ્તુને પણ…

વધુ વાંચો >

સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification)

સામાજિક વિભેદીકરણ અને સ્તરીકરણ (Social Differ-entiation and Stratification) : માનવ-સમુદાયો વચ્ચે ભેદ પાડતી પ્રક્રિયા. વિભેદ એટલે ભેદ, ફરક કે જુદાપણું અને વિભેદીકરણ એ ભેદ કે જુદાપણાની પ્રક્રિયા છે. વનસ્પતિ, વસ્તુઓ, પ્રાણીઓ, વ્યક્તિઓ, માનવ-સમાજો વગેરે અનેક બાબતોમાં એકબીજાંથી જુદાં પડે છે. વિભેદીકરણ એ માનવ-સમાજનું અંગભૂત લક્ષણ છે. સમાજમાં આ પ્રક્રિયા આદિકાળથી…

વધુ વાંચો >

સામાજિકીકરણ (Socialization)

સામાજિકીકરણ (Socialization) : વ્યક્તિને સામાજિક બનાવતી પ્રક્રિયા. માનવ-બાળક જન્મ સમયે માત્ર જૈવિક અસ્તિત્વ ધરાવતું હોય છે; અર્થાત્, પ્રાણી-બાળ જેવું જ હોય છે. ત્યારપછી તેને સમાજનાં પ્રચલિત ધોરણો, મૂલ્યો, સામાજિક સંબંધોની વિવિધ ઢબો શીખવવામાં આવે છે. આ શિક્ષણ આપતી પ્રક્રિયાને સામાજિકીકરણ કહેવામાં આવે છે. દરેક સમાજ તેનાં નવાં જન્મેલાં બાળકોને નિશ્ચિત…

વધુ વાંચો >