દશરથલાલ શાહ

ગૂજરાત વિદ્યાપીઠ

ગૂજરાત વિદ્યાપીઠ : સ્વાતંત્ર્ય-આંદોલનના ભાગ રૂપે ગાંધીજીએ 1920માં અમદાવાદમાં સ્થાપેલી શિક્ષણસંસ્થા. સરકારી શાળા-કૉલેજના શિક્ષણ-બહિષ્કારના આંદોલન દરમિયાન ઑગસ્ટ, 1920માં અમદાવાદમાં મળેલી ચોથી ગુજરાત રાજકીય પરિષદની રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર માટે નીમેલી 12 સભ્યોની સમિતિએ તા. 18 —10—1920ના રોજ ‘ગૂજરાત વિદ્યાપીઠ’નું બંધારણ ઘડ્યું અને તે જ તેનો સ્થાપનાદિન ગણાયો. ઉપર દર્શાવેલી સમિતિએ મહાત્મા…

વધુ વાંચો >

દેસાઈ, વાલજી ગોવિંદજી

દેસાઈ, વાલજી ગોવિંદજી (જ. 4 ડિસેમ્બર 1892, જેતપુર, સૌરાષ્ટ્ર; અ. 22 ડિસેમ્બર 1982, પુણે, મહારાષ્ટ્ર) : સ્વાતંત્ર્યસૈનિક, ગાંધીજીના અંતેવાસી અને લેખક. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ તથા વાંકાનેરમાં લીધું હતું. બંગભંગ(19૦5)ના આંદોલન-સમયે તેમનામાં દેશભક્તિ જાગ્રત થઈ. ક્રાંતિકારી ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ ત્યારે તેમણે તેના વિરોધમાં શાળામાં હડતાલ…

વધુ વાંચો >

પરીખ, મોહનભાઈ નરહરિભાઈ

પરીખ, મોહનભાઈ નરહરિભાઈ (જ. 24 ઑગસ્ટ 1922, અમદાવાદ; અ. 14 ઑક્ટોબર 1991, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભૂદાન કાર્યકર, સૂર્યકૂકરના અને કૃષિ-ઓજારોના સંશોધક. તેમના પિતા નરહરિભાઈ પરીખ પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીવાદી લોકસેવક હતા. મોહનભાઈએ પ્રાથમિક શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં લીધું હતું. અમદાવાદમાં 1941માં કોમી હુલ્લડ થયું ત્યારે રવિશંકર મહારાજ સાથે મૃતાત્માઓની દુર્ગંધવાળી લાશો…

વધુ વાંચો >

શિક્ષણ અને સાહિત્ય (સામયિક)

શિક્ષણ અને સાહિત્ય (સામયિક) : વીસમી સદીમાં અમદાવાદથી લગભગ 20 વર્ષો સુધી નિયમિત પ્રગટ થયેલું અને ગુજરાત, ભારત અને વિશ્વના પ્રવાહોને શિક્ષણ અને સાહિત્યની દૃષ્ટિએ મૂલવનારું માસિક. 1919માં મહાત્મા ગાંધીએ પોતાના તંત્રીપદે શરૂ કરેલા ‘નવજીવન’ સાપ્તાહિકમાં તા. 21-7-1929થી 8 પાનાંની પૂર્તિ રૂપે ‘શિક્ષણ અને સાહિત્ય’નો આરંભ કાકાસાહેબ કાલેલકરના તંત્રીપદે થયો…

વધુ વાંચો >

શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર

શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર (જ. 1901, ગોધરા, પંચમહાલ; અ. 16 ઑક્ટોબર 1953) : ગાંધીયુગના ઉત્તમ અનુવાદકોમાંના એક. મૅટ્રિક 1919માં. 18 વર્ષની ઉંમરે ગાંધીજીથી પ્રભાવિત થઈ ગોધરાના હરિજન આશ્રમમાં જઈને એના સંચાલક મામાસાહેબ ફડકેના કામમાં તેઓ મદદ કરવા લાગ્યા. ‘હરિજનબંધુ’ના પહેલા તંત્રી. તેઓ ‘હિંદુસ્તાન’ના તંત્રીપદે તેમજ ભારતીય વિદ્યાભવનના મહામાત્રપદે પણ હતા. ગાંધી…

વધુ વાંચો >

સત્યાગ્રહ (સામયિક)

સત્યાગ્રહ (સામયિક) : રાષ્ટ્રીય સમુત્થાન માટેનું ગાંધીમાર્ગીય સાપ્તાહિક વિચારપત્ર. 1936માં ગૂજરાત વિદ્યાપીઠના દસમા પદવીદાન સમારંભમાં સૌથી પ્રથમ ‘પારંગત’ની પદવી જેમણે ગાંધીજીના હસ્તે મેળવી હતી તેમણે તે વખતે ‘સત્યાગ્રહની મીમાંસા’ નામનો મહાનિબંધ લખીને આ પદવી મેળવી હતી. આ પદવી મેળવનાર મગનભાઈ પ્રભુદાસ દેસાઈ જ્યારે 1961માં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને મહાદેવ દેસાઈ…

વધુ વાંચો >

સવિનય કાનૂનભંગની લડત (૧૯૩૦’૩૨)

સવિનય કાનૂનભંગની લડત (1930-32) : પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ માટે કૉંગ્રેસે ગાંધીજીની આગેવાની હેઠળ માર્ચ, 1930માં શરૂ કરેલી અહિંસક ચળવળ. 1908માં મહાત્મા ગાંધીએ પોતાના પ્રથમ જેલવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં અમેરિકાના હેનરી ડેવિડ થૉરોનો નિબંધ ‘સિવિલ ડિસઓબીડિયન્સ’ વાંચ્યો. તે સત્યાગ્રહનાં ભિન્ન ભિન્ન સ્વરૂપોમાંનો એક ગણાયો. તેનું નામ રખાયું ‘સવિનય કાનૂનભંગ’. તેનો અમલ…

વધુ વાંચો >

સાબરમતી (સામયિક)

સાબરમતી (સામયિક) : વિદ્યાર્થીઓ દ્વારા ચાલેલું 1922થી 1929 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠનું શરૂઆતનું સામયિક. એ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલન સમયે કરી. 1922માં હિંસાને કારણે આ આંદોલન ગાંધીજીએ પાછું ખેંચ્યું અને અંગ્રેજ સરકારે એ જ વર્ષે ‘નવજીવન’ સાપ્તાહિકના લેખો બદલ એમને છ વર્ષની જેલ કરવામાં આવી. તે સમયે વિદ્યાપીઠના…

વધુ વાંચો >

સેવાગ્રામ

સેવાગ્રામ : વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું ગામ. તે વર્ધાથી 8 કિમી. દૂર છે. 1930માં સાબરમતી આશ્રમ છોડ્યા પછી આઝાદી ન આવે ત્યાં સુધી સાબરમતી આશ્રમ પાછા નહિ ફરવાની પ્રતિજ્ઞાને કારણે તેઓ 1934માં વર્ધા ગયા; પરંતુ તેઓ ગામડું પસંદ કરતા એટલે જમનાલાલ બજાજ પાસેથી 1 એકર જમીન લઈને…

વધુ વાંચો >

સ્વદેશી આંદોલન

સ્વદેશી આંદોલન : વિલાયતી-વિદેશી માલના બહિષ્કારનું આંદોલન. સ્વદેશીનું આંદોલન આ દેશમાં સૌપ્રથમ 1905માં શરૂ થયું. 1905માં બંગાળના ભાગલા તે વખતના વાઇસરૉયે પાડ્યા તેથી બંગભંગનું આંદોલન શરૂ થયું. તેની સાથે લોકોને લાગવા માંડ્યું કે આ ભાગલા આપણે વિલાયતી માલ વાપરીએ છીએ તેને કારણે છે, એટલે એ માલના બહિષ્કાર રૂપે સ્વદેશીનું આંદોલન…

વધુ વાંચો >