જયન્ત પંડ્યા

આઉટસાઇડર, ધી

આઉટસાઇડર, ધી : ફ્રેન્ચ નવલકથા. લેખક આલ્બેર કામૂ (1913-1960). ફ્રેન્ચ શીર્ષક ‘લ ઍન્ટ્રેન્જર’. 1939માં નવલકથા પૂરી થઈ. પ્રકાશન થયું 1942માં. એનો સ્ટુઅર્ટ ગિલ્બર્ટે કરેલો અંગ્રેજી અનુવાદ, સિરિલ કૉનલીના પુરોવચન સાથે, 1946માં પૅંગ્વિને પ્રગટ કર્યો. પરંપરાગત નવલકથામાં જોવા મળતાં વસ્તુસંકલના, ચરિત્રચિત્રણ તથા વાતાવરણ આ ફ્રેન્ચ નવલકથામાં હોવા છતાં તેની ગણના પ્રતિનવલ…

વધુ વાંચો >

આયૉનેસ્કો, યૂજિન

આયૉનેસ્કો, યૂજિન (જ. 26 નવેમ્બર 1912, સ્લાતિના, રુમાનિયા; અ. 28 માર્ચ 1994, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ નાટ્યકાર અને ઍબ્સર્ડ થિયેટરના પ્રણેતા. ફ્રેન્ચ માતા અને રુમાનિયન પિતાના પુત્ર. બાળપણ ફ્રાંસમાં વીત્યું. 1925 થી 1938સુધીનાં વર્ષો રુમાનિયામાં ગાળ્યાં. ત્યાં ફ્રેન્ચ ભાષાના શિક્ષકની લાયકાત મેળવી અને 1936 માં લગ્ન કર્યું. 1939 માં શિષ્યવૃત્તિ…

વધુ વાંચો >

આર્મ્સ ઍન્ડ ધ મૅન

આર્મ્સ ઍન્ડ ધ મૅન : જ્યૉર્જ બર્નાર્ડ શૉની નાટ્યકૃતિ. ‘પ્લેઝ પ્લેઝન્ટ ઍન્ડ અન્પ્લેઝન્ટ’ની શ્રેણીમાં તે 1898માં પ્રગટ થઈ હતી. ‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’નો પરિવેશ 1885 ની સાલના બલ્ગેરિયાનો છે. યુદ્ધ અને લગ્ન એ આ નાટકનું કથાવસ્તુ છે. યુદ્ધ અનિષ્ટ અને મૂર્ખતાભર્યું છે, તો લગ્ન ઇચ્છવા જેવું અને સારું છે; પરંતુ…

વધુ વાંચો >

ઑગસ્ટાઇન, સેન્ટ

ઑગસ્ટાઇન, સેન્ટ [જ. 13 નવેમ્બર 354, સોખારસ, અલ્જિરિયા (ન્યૂમીડિયા પ્રાચીન); અ. 28 ઑગસ્ટ 430, હીપો, અલ્જિરિયા] : ખ્રિસ્તી ધર્મપરંપરા અને ઈશ્વરમીમાંસામાં મોટો ફાળો આપનાર મધ્યયુગના અગ્રણી તત્વજ્ઞ. પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના મધ્યયુગ તરફના સંક્રાન્તિકાળના તેઓ એક પ્રભાવશાળી પ્રતિનિધિ હતા. ગ્રીસના પ્રશિષ્ટ સાંસ્કૃતિક વારસાથી તેઓ સુપરિચિત હતા. પરંતુ તેનાથી વંચિત રહેલા મધ્યયુગમાં…

વધુ વાંચો >

ઓ’ હેન્રી

ઓ’ હેન્રી (જ. 11 સપ્ટેમ્બર 1862, ગ્રીન્સબરો, નૉર્થ કૅરોલિના, યુ.એસ.; અ. 5 જૂન 1910, ન્યૂયૉર્ક) : વિખ્યાત અમેરિકન વાર્તાકાર. મૂળ નામ વિલિયમ સિડની પૉર્ટર. કાકીની શાળામાં શિક્ષણ લઈને નોકરીની શરૂઆત કાકાની દવાની દુકાનમાં કારકુનીથી કરી. 1882માં મિત્રો તેમને ટૅક્સાસ લઈ ગયા, ત્યાં ‘રેડ’ હૉલ નામના વિખ્યાત ક્ષેત્રપાલ(ranger captain)ના ચરિયાણમાં બુલંદ…

વધુ વાંચો >

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન

કન્ફેશન્સ ઑવ્ સેન્ટ ઑગસ્ટિન : અધર્મમાંથી ધર્મના માર્ગે વળવાની મહાયાત્રાની અંગ્રેજીમાં લખાયેલી સંત ઑગસ્ટિનની આત્મકથા (397-401). ખ્રિસ્તી ધર્મમાં સેક્રામેન્ટ અંતર્ગત માફી બક્ષવાની ધર્મક્રિયાને કન્ફેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયામાં પોતાનાં સ્ખલનોનો એકરાર ધર્મગુરુ સમક્ષ કરવાનો હોય છે અને ધર્મગુરુ ઈશ્વરને નામે તેને પાપમુક્ત કરે છે. થઈ ગયેલાં પાપો વિશેનો…

વધુ વાંચો >

કાર્લાઇલ, ટૉમસ

  કાર્લાઇલ, ટૉમસ (જ. 4 ડિસેમ્બર 1795, ઇક્લિફેકન ડમ્ફ્રીશાયર, સ્કૉટલૅન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1881, લંડન) : ઇંગ્લૅન્ડના ઓગણીસમી સદીના નામાંકિત ઇતિહાસકાર, નિબંધકાર તથા તત્વચિંતક. કડિયાકામનો વ્યવસાય કરી પ્રામાણિક અને ઉદ્યમી જીવન જીવતા પિતા જેમ્સ કાર્લાઇલ પ્રૉટેસ્ટન્ટ સુધારક કૅલ્વિનના ચુસ્ત અનુયાયી હતા. કુટુંબની આર્થિક સંકડાશને કારણે ટૉમસને પ્રારંભિક ભણતરમાં ઠીક ઠીક…

વધુ વાંચો >

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ (જ. 9 ઑગસ્ટ 1915, સૂરત; અ. 12 સપ્ટેમ્બર 1993, અમદાવાદ) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા કનૈયાલાલ જમીનદાર. તેઓ વ્યવહારજગતમાં કાનજીભાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતાં. ચાર સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના. બાળપણમાં એ ક્રિકેટના શોખીન. ફાસ્ટ બૉલર તરીકે માન પામેલા. કાનજીભાઈનું આખું કુટુંબ દેશપ્રેમી…

વધુ વાંચો >

નિરીક્ષક

નિરીક્ષક (પ્ર. 15 ઑગસ્ટ, 1968) : ગુજરાતનું પખવાડિક વિચારપત્ર. લોકશાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી આ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. તેના પ્રારંભકોમાં ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, યશવંત પ્રા. શુક્લ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગ. માવળંકર, નીરુભાઈ દેસાઈ અને સુકેતુ શાહ હતા. સાપ્તાહિકનું પ્રકાશન, પ્રકાશ પબ્લિકેશન્સ લિ. તરફથી કરવામાં આવ્યું હતું…

વધુ વાંચો >

પંડ્યા કમળાશંકર

પંડ્યા, કમળાશંકર (જ. 20 ઑક્ટોબર 1904, રાજપીપળા; અ. 1 ઑગસ્ટ 1992, વડોદરા) : ગુજરાતના એક સન્નિષ્ઠ લોકસેવક અને સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતાનું નામ લલ્લુભાઈ અને માતાનું રાધિકાબહેન. તેમણે પ્રાથમિક શિક્ષણ વાલિયા અને નાંદોદમાં તથા હાઈસ્કૂલનું શિક્ષણ વલસાડમાં લીધું હતું. તેઓ ‘ગુજરાતી’, ‘વીસમી સદી’ અને ‘નવજીવન’ કિશોરવયે વાંચતા અને તેની ફાઈલો રાખતા.…

વધુ વાંચો >